SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates XIII શુદ્ધ અંત:તત્ત્વ રીતે થાય ? [ કલશામૃત ભાગ-૨ શ્લોક નં. ૫૦ તા. ૯-૮-૭૭ ] (૧૫) આ સોનગઢનું ક્ષેત્ર જુદું અને આત્માનું ક્ષેત્ર જુદું. અરે ! સોનગઢનું ક્ષેત્રતો ઠીક પણ એ સંબંધી જ્ઞાનમાં આવ્યું કે–સોનગઢ આવું છે અને પ્રતિમા આવી છે અને સીમંધર ભગવાન આવા છે એવું જે જ્ઞાનરૂપે પરિણમન થયું તે પણ એક સમયનું ક્ષેત્ર છે. તે ધ્રુવ ક્ષેત્ર નથી. એ પર્યાયનું ક્ષેત્ર તે કાંઈ વસ્તુ છે? સમજાણું કાંઈ ? મકાન એ તો ૫૨ક્ષેત્ર છે અને જ્ઞાનમાં જણાયું એટલો જે પર્યાય તે સ્વક્ષેત્રથી ભિન્ન છે. અથવા પરક્ષેત્રની પર્યાય એનાથી સ્વક્ષેત્ર ભિન્ન છે. આ વાત કળશટીકામાં છે. [નાટક સમયસાર સાધ્ય સાધક અધિ. તા. ૭-૯-૯૧ શ્લોક ૧૧ થી ૨૨] (૧૬) આત્મા સ્વક્ષેત્રપણે હોવાપણે છે તેમાં બે પ્રકાર છે. પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન હોવા છતાં તે ૫૨ક્ષેત્રપણે થયો નથી. તે સ્વક્ષેત્રપણે રહ્યો છે. અને પર્યાયમાં જે સ્વક્ષેત્રનું જ્ઞાન પોતાથી થયું તેને પણ પરક્ષેત્ર ગણીને તેમાં સ્વક્ષેત્ર આવતું નથી. ઘટપટાદિ જ્ઞેયથી જ્ઞાન તન્મય થતું નથી. જ્ઞાન તો આત્માની સત્તા બરોબર છે. જ્ઞાન જગતનું ચૂડામણિ છે. ભગવાન આત્મા ચૂડામણિ મુગુટ છે. ત્રણકાળત્રણલોકના પદાર્થોના ક્ષેત્રને જાણવા છતાં પરરૂપે થયો નથી.. અને ૫૨ના ક્ષેત્રનું જ્ઞાન એક સમયમાં આવ્યું તે રૂપે પણ દ્રવ્ય થતું નથી. ૫૨ક્ષેત્ર ભિન્ન અને ભગવાન આત્માની પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે. પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે અને દ્રવ્યનું ક્ષેત્ર ભિન્ન છે. જુઓ ! સ્યાદ્વાદ વસ્તુનું સ્વરૂપ જ આવું છે. જ્ઞાન ૫૨ક્ષેત્રરૂપે તો નથી પણ, પરક્ષેત્રનું એક સમયની પર્યાયમાં જ્ઞાન થાય એટલો આત્મા નથી. આહાહા! અહીં કહે છે તારું અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર વીતરાગ સિવાય બીજે કયાંય નથી. અસંખ્ય પ્રદેશી સ્વક્ષેત્ર તેમાં જે દ્રવ્યરૂપ ભાવ તે સ્વક્ષેત્ર અને પર્યાયરૂપનું ક્ષેત્ર તે પરક્ષેત્ર. જીવ તો પોતાના જ્ઞાનની સત્તા પ્રમાણે છે. તે ૫૨ની સત્તા પ્રમાણે નથી. ‘ જ્ઞેય સો અવ્યાપક’, ખરેખર ૫૨ક્ષેત્ર તે અવ્યાપક છે. ૫૨ક્ષેત્રમાં તેણે પ્રવેશ કર્યો નથી. એ તો ઠીક... પણ, પરક્ષેત્રને જાણવાની જે એક સમયની સ્વતઃ પર્યાય છે એમાં પણ દ્રવ્યે પ્રવેશ કર્યો નથી. આ તમારા છ લાખના મકાનમાં (તમે ) પ્રવેશ કર્યો નથી. અને એ ક્ષેત્રનું અહીંયા જ્ઞાન થાય એ જ્ઞાનની પર્યાય પણ પરક્ષેત્રને લઈને પરક્ષેત્રમાં ગઈ નથી અને પરક્ષેત્રનું જે જ્ઞાન થયું પર્યાયમાં એટલામાં આખું સ્વક્ષેત્ર આવતું નથી. તારી પર્યાયમાં પરક્ષેત્ર સંબંધી જ્ઞાન થાય છે (તેનો ) ખેદ ન કર.. ખેદ ન કર ! એ તો જ્ઞાન સ્વભાવમાં રહેલો આત્મા છે.. એમાં એ ક્ષેત્રનું જ્ઞાન થાય છે. Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy