SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates XII શુદ્ધ અંત:તત્ત્વ તેનાથી આગ્નવભાવના પ્રદેશ ભિન્ન છે અને આત્માના આશ્રયે પ્રગટેલી નિર્મળ પર્યાય છે તેને પણ આસ્રવ વસ્તુથી ભિન્ન કહી છે. ભાવે ભિન્ન હોવાથી તેના પ્રદેશને પણ ભિન્ન કહીંને વસ્તુ જ ભિન્ન છે તેમ કહ્યું. [ જ્ઞાનગોષ્ઠી-બોલ નં. ૧૮૨-પેઈજ નં. ૫૬] (૧૩) આહાહા ! એ અતીન્દ્રિય આનંદનો સાગર તેમાં વિકલ્પના કાર્ય કે દિ' હોય ! એ અતીન્દ્રિય આનંદનો નાથ જ્યારે જાગ્યો અને તેની પરિણતી નિર્મળ થઈ એ જ તેનું સત્ત્વ છે. પરના સત્ત્વથી તેનું સત્ત્વ જુદું છે. નિશ્ચયથી જોઈએ તો જે વીતરાગી પરિણામનું સત્ત્વ છે તે ચૈતન્ય સત્ત્વથી ભિન્ન છે. ચૈતન્ય સત્ત્વના પ્રદેશથી પર્યાયની સત્તાના પ્રદેશ ભિન્ન છે. [કલશામૃત ભાગ-૨ પ્ર. નં-૬૧ તા. ૮-૮-૭૭] ૧૪)કલશટીકા-શ્લોક નં. ૫૦.વિવરણ-“જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ ચૈતન્ય સ્વભાવ, પગલદ્રવ્યના ભિન્ન પ્રદેશ અચેતન સ્વભાવ એ રીતે ભેદ ઘણો છે.” આહાહા ! સમયસારના સંવર અધિકારમાં એવું લીધું છે કે-દયા, દાન-વ્રતભક્તિનાં જેટલા પરિણામ ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ, પરંતુ કેટલામાં રાગ ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર અર્થાત્ પ્રદેશ ભિન્ન ગણવામાં આવ્યા છે. વસ્તુ ભિન્ન છે તો તેનું ક્ષેત્ર ભિન્ન કહ્યું છે. સમજમાં આવ્યું? થોડું થોડું સમજવું.. આ તો અમૃતના ઘરની વાત છે. અહીં કહે છે–પુણ્ય-પાપના ભાવ જેટલા અંશમાં-ક્ષેત્રમાં ઉત્પન્ન થાય છે એ ક્ષેત્રભિન્ન છે.. અને આનંદઘન ભગવાન આત્મા જે છે તેના ક્ષેત્ર ભિન્ન છે. સમજમાં આવ્યું કાંઈ ? જેમ પર્વત ઉપર ઘાસ ઉત્પન્ન થાય છે તેનું ક્ષેત્ર ભિન્ન છે અને બાકીના આખા પર્વતનું ક્ષેત્ર ભિન્ન છે. તેમ અહીંયા કહે છે–જેમાં વિકાર ઉત્પન્ન થાય છે એટલે પર્યાય ઉત્પન્ન થાય છે તેના પ્રદેશ ભિન્ન છે. એમ અહીં કહે છે. ચિવિલાસમાં તો એમ લીધું છે કેનિર્મળ પર્યાયના પ્રદેશ ભિન્ન છે. અસંખ્ય પ્રદેશ મળેલાં છે પણ તેના બે ભાગ છે. આહાહા ! જીવદ્રવ્યના ભિન્ન પ્રદેશ તે ચૈતન્ય સ્વભાવે જ છે. ક્ષેત્ર ભિન્ન અને ભાવ ભિન્ન તેમ બન્ને પ્રકારે લીધું છે. પુદ્ગલ દ્રવ્યનું ક્ષેત્ર-પ્રદેશ ભિન્ન અને ચેતનથી અચેતન સ્વભાવની ભાવે ભિન્નતા છે. તે બે વચ્ચે અત્યંત ભિન્નતા છે. તે બે વચ્ચે અંતર ભિન્ન છે. ભગવાન! તને તારી ખબર નથી. આ રીતે બેના પ્રદેશો ભિન્ન છે. તો બે એક કેવી રીતે થઈ જાય ? જ્ઞાનભાવ છે તે જડ પર્યાયરૂપે કેવી રીતે થઈ જાય ? તે કયારેય થતા નથી. બે ભિન્ન છે તે એક કેવી રીતે થાય ? જ્ઞાયકભાવ રાગરૂપે કેવી Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy