________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૭૨
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૪
સહિત માને છે. આહા... હા ! શ્રદ્ધા સર્વથાને સ્વીકારે છે, અને જ્ઞાન ચિત્ને જાણે છે. જે જ્ઞાનની પર્યાય પ્રગટ થાય છે તે આ રાગાદિથી સર્વથા ભિન્ન છે.. એમ માને ત્યારે શ્રદ્ધા સમ્યક્ થાય છે. હવે પ્રગટ થયેલું જ્ઞાન એમ જાણે છે કે ( –નિર્મળ પરિણામથી )
6
કચિત્ રહિત છે અને ચિત્ સહિત છે. સાધક છે ત્યાં સુધી ચિત્ રહિત સહિત જાણે છે પરંતુ પ્રથમ સર્વથા રહિતને જાણ્યા પછી સર્વથા રહિતને જાણ્યા પછી કચિત્ રહિત-સહિત જાણનારા સાધકને કોઈ દોષ નથી. સર્વથા રહિતમાં આવ્યા સિવાય કચિત્ રહિત સહિતનું સ્યાદ્વાદરૂપ સમ્યજ્ઞાન પ્રગટ ન થાય. અજ્ઞાનમાં ચિત્ નથી અજ્ઞાનમાં સર્વથા છે.. અને શ્રદ્ધામાં પણ સર્વથા છે. શ્રદ્ધાની પર્યાય સર્વથાને સ્વીકારતી નથી કેમકે શ્રદ્ધાની પર્યાય નિર્વિકલ્પ છે. કાં તો ૫૨ને સર્વથા પોતાનું માને અને કાં તો પોતાના સ્વરૂપને એટલે આત્માને પોતાનું માને.
હું સર્વથા નિગ્રંથ છું. કથંચિત્ નિગ્રંથ અને કથંચિત્ સથ એવું મારું સ્વરૂપ જ નથી. ઝીણી વાત છે. આ શુદ્ધાત્માની આત્મકથા ચાલે છે. ક્રોધ-માન-માયા ને લોભ આત્મામાં થાય છે તેવો આસ્રવ અનાદિકાળથી પર્યાયદેષ્ટિવાળા જીવને થાય છે. પરંતુ તે આત્માની બહાર થાય છે. આત્મામાં ક્રોધ-માન-માયા-લોભ થાય જ નહીં. અરે ! આત્મામાં જ્ઞાનેય ઉત્પન્ન થતું નથી.. આત્મા તો અક્ષય જ્ઞાનસ્વરૂપે જ છે. જે પ્રગટ થાય છે તે હું નથી... પ્રગટ છે તે હું, આવું ભેદજ્ઞાન કરતાં તેને એક નવું જ્ઞાન પ્રગટ થાય છે. અરે ! મારો શુદ્ધાત્મા તો આવો છે, કષાયથી રહિત છે એવો અનુભવ થાય છે. એવો અનુભવ થાય તેનું નામ જ્ઞાન કહેવાય. જ્ઞાનમાં જ આવો શુદ્ધાત્મા જણાય છે. હું પરિગ્રહથી રહિત છું તેવું સમ્યજ્ઞાન નવું પ્રગટ થાય છે.
શ્રીમદ્ભુ કહે છે–“ અપૂર્વ અવસર એવો કયારે આવશે,
કયારે થઈશું બાહ્યાંતર નિગ્રંથ જો.’
જો તમે નિગ્રંથ થઈ ગયા છો તો નિગ્રંથ થવાની ભાવના શા માટે ભાવો છો ? તને ખબર નથી એ ભાવના સાધ્ય માટેની છે. ધ્યેય માટેની એ ભાવના નથી. ધ્યેયની ભાવનામાં તો હું નિગ્રંથ છું. સાધ્યમાં તેમને હજુ નિગ્રંથ દશા થઈ નથી માટે સ્વરૂપમાં હું કયારે લીન થાઉં તેવી ભાવના ને નિગ્રંથ ભાવના કહેવામાં આવે છે. કયારે નગ્ન થાઉં ? કયારે પાંચ મહાવ્રત પાળુ ? ના... ના... ના... એ નિગ્રંથ દશા નથી. કયારે અમે અમારા સ્વરૂપમાં લીન થઈએ તેનું નામ અપૂર્વ અવસર એવો કયારે આવશે. અલ્પ લીનતા તો છે જ પરંતુ વિશેષ લીનતાની વાત છે.
નિગ્રંથ એટલે કે શુદ્ધોપયોગરૂપ દશા. શુદ્ધાત્માનું શ્રદ્ધાન તો થઈ ચૂકયું છે, શુદ્ધ પરિણતી તો છે પણ હવે હું સ્વરૂપમાં લીન થવાની ભાવના ભાવું છું. એક પ્રગટ કરવાની અપેક્ષાએ ભાવના છે અને એક આશ્રયની અપેક્ષાએ ભાવના છે.
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk