________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭)
પ્રવચન નં:- ૧) ગાથા-૪૪ દેખાય તો એનું જ્ઞાન બિડાતું જાય છે, તેનું જ્ઞાન ઉઘડશે નહીં. એ તો મિથ્યાત્વને દ્રઢ કરે છે.
ભાઈ ! તેં શુદ્ધાત્માનું સ્વરૂપ જાણ્યું નથી. “ જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુ:ખ અનંત, આ એક કામ બાકી રહી ગયું છે. શુદ્ધાત્માનું વારંવાર વિચાર કરી અને શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે તેને દ્રઢતામાં લેતો નથી. અહીંયા કહે છે-શુદ્ધાત્માના સ્વરૂપની વાત હું કહીશ.
શુદ્ધ જીવાસ્તિકાય”, અસંખ્યાત પ્રદેશી આત્મા છે. તે બહુપ્રદેશી હોવાથી અસ્તિકાય કહેવામાં આવે છે. એક કરતાં વધારે પ્રદેશ હોય તેને અસ્તિકાય કહેવામાં આવે છે. એક પરમાણું છે તે એક પ્રદેશી છે અને કાલાણ પણ એક પ્રદશી છે. બાકીના ચાર પદાર્થ છે તે અસ્તિકાયરૂપ છે. આ જીવ અસ્તિકાયરૂપ છે. અસ્તિકાયરૂપ તો છે પણ શુદ્ધ અસ્તિકાયરૂપ છે.
“બાહ્ય અત્યંતર ચોવીશ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિગ્રંથ છે. જ્યારે સાધુ થાય છે ત્યારે આ ચોવીસ પ્રકારના પરિગ્રહનો ત્યાગ કરે છે. પરંતુ એ ત્યાગભાવ કયારે કહેવામાં આવે છે? નિગ્રંથ સ્વભાવ દૃષ્ટિમાં આવે છે ત્યારે. જેવું દ્રવ્ય દૃષ્ટિમાં આવે છે તેને તેવું પર્યાયમાં પ્રગટ થઈ જાય છે. હવે પર્યાયમાં પણ ચોવીસ પ્રકારના પરિગ્રહ, ઇચ્છા પરિગ્રહ, મૂછ પરિગ્રહ તેના પરિત્યાગ સ્વરૂપ થાય છે. આત્મા પરિત્યાગ સ્વરૂપ છે તેથી તે ત્યાગ કરનારો નથી. તે તો નિગ્રંથ સ્વરૂપે જ છે. આત્મા અત્યારે ત્યાગ સ્વરૂપે જ છે. આ મુનિ થાય તેની વાત નથી પરંતુ આત્મા અત્યારે જ નિગ્રંથ છે. આ કુતરા, બિલાડાના આત્માઓ અત્યારે નિગ્રંથ છે. નિગોદનો આત્મા અત્યારે નિગ્રંથ છે. કેમ નિગ્રંથ છે? નીચે ફૂટનોટમાં જુઓ...!
ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસ, દાસી, કપડાં અને વાસણ એમ દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે. એક મિથ્યાત્વ ચાર કષાય અને નવ નૌકષાય એમ ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે.”
દસ પ્રકારનો જે બાહ્ય પરિગ્રહ એ બાહ્ય પરિગ્રહના અભાવ સ્વભાવે છે–ત્યાગ સ્વભાવે છે. આત્માએ કદી ધન-ધાન્યને ગ્રહણ કર્યું જ નથી. અને સોના-ચાંદીને ગ્રહણ કરતો નથી. આત્મા બાહ્ય પદાર્થોના ત્યાગ સ્વભાવે રહેલો હોવાથી.. તેના અભાવ સ્વભાવે રહેલો હોવાથી અત્યારે નિગ્રંથ છે. તેને બાહ્યનો ત્યાગ છે એટલે તેના અભાવ સ્વભાવે રહેલો છે. પરના અભાવ સ્વભાવે રહેલો આત્મા અપોક્ક છે.
હવે અંતરંગમાં ભગવાને જે ચૌદ પ્રકારના પરિગ્રહ જોયા તેમાં ભાવકર્મ-મિથ્યાત્વના પરિગ્રહનો આત્મામાં અત્યારે અભાવ છે. જે મિથ્યાત્વના પરિણામને જુએ છે તે નિગ્રંથ આત્માને જોઈ શકતો નથી. નિગ્રંથ એટલે શુદ્ધાત્મા મિથ્યાત્વના પરિણામથી અત્યારે રહિત છે. ચાર કષાય જેમાં ક્રોધ-માન-માયાને લોભ છે તે પરિગ્રહ છે. એ પરિગ્રહ છે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk