________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
ગાથા-૪૪ ગાથા - ૪૪ णिग्गंथो णीरागो णिस्सल्लो सयलदोसणिम्मुक्को। णिक्कामो णिक्कोहो णिम्माणो णिम्मदो अप्पा।। ४४।।
निर्ग्रन्थो नीरागो निःशल्यः सकलदोषनिर्मुक्त:। नि:कामो निःक्रोधो निर्मानो निर्मद: आत्मा।। ४४।। નિગ્રંથ છે, નિષ્કામ છે, નિક્રોધ, જીવ નિર્માન છે,
નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪. અન્વયાર્થ:- [ માત્મા] આત્મા [ નિ9:] નિગ્રંથ, [ નીચTT: ] નીરાગ, [ નિ:શN:] નિઃશલ્ય, [ સત્તવોષનિક્p:] સર્વદોષવિમુક્ત, [ નિ:વામ: ] નિષ્કામ, [નિ:શોધ:] નિ:ક્રોધ, [ નિનઃ] નિર્માન અને [નિર્મ:] નિર્મદ છે.
ટીકા:- અહીં (આ ગાથામાં) પણ શુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું છે.
શુદ્ધ જીવાસ્તિકાય બાહ્ય-અત્યંતર *ચોવીશ પરિગ્રહના પરિત્યાગ સ્વરૂપ હોવાથી નિગ્રંથ છે; સકળ મોહ-રાગ-દ્વેષાત્મક ચેતન કર્મના અભાવને લીધે નીરાગ છે; નિદાન, માયા અને મિથ્યાત્વ-એ ત્રણ શલ્યોના અભાવને લીધે નિઃશલ્ય છે; શુદ્ધ નિશ્ચયનયથી શુદ્ધ જીવાસ્તિકાયને દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મનો અભાવ હોવાને લીધે સર્વદોષવિમુક્ત છે; શુદ્ધ નિશ્ચયનયથી નિજ પરમ તત્વની પણ વાંછા નહિ હોવાથી નિષ્કામ છે; નિશ્ચયનયથી પ્રશસ્ત-અપ્રશસ્ત સમસ્ત પરદ્રવ્યપરિણતિનો અભાવ હોવાને લીધે નિ:ક્રોધ છે; નિશ્ચયનયથી સદા પરમ સમરસીભાવસ્વરૂપ હોવાને લીધે નિર્માન છે; નિશ્ચયનયથી નિઃશેષપણે અંતર્મુખ હોવાને લીધે નિર્મદ છે. ઉક્ત પ્રકારનું (ઉપર કહેલા પ્રકારનું), વિશુદ્ધ સહજસિદ્ધ નિત્ય-નિરાવરણ નિજ કારણસમયસારનું સ્વરૂપ ઉપાદેય છે.
- તા. ૯/૧૧/'૮૭
ગાથા – ૪૪ : ઉપર પ્રવચન અનાદિથી શુદ્ધાત્માના સ્વરૂપની વાત તે સાંભળી નથી. તે અશુદ્ધ આત્માની વાત સાંભળી છે અને તને પરિચય પણ અશુદ્ધ આત્માનો છે. તને અનુભવ પણ અશુદ્ધજીવનો છે. એ અશુદ્ધ જીવથી ભિન્ન શુદ્ધ જીવ રહેલો છે એવા શુદ્ધાત્માની કથા-વાર્તા રુચિપૂર્વક સાંભળી નથી. શુદ્ધાત્માની ચર્ચા સાંભળવા જેવી છે, ચર્ચા કરવા જેવી છે અને એકાગ્ર થઈને અનભવ કરવા જેવી ચીજ છે.. * ક્ષેત્ર, મકાન, ચાંદી, સોનું, ધન, ધાન્ય, દાસી, દાસ, કપડાં અને વાસણ એમ દસ પ્રકારનો બાહ્ય પરિગ્રહ છે; એક મિથ્યાત્વ, ચાર કષાય અને નવ નોકષાય એમ ચૌદ પ્રકારનો અત્યંતર પરિગ્રહ છે.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk