________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૬૭ જે પરિણમી જાય છે.
તેઓ ભવજનિત દુઃખોથી દુર એવી સિદ્ધિને પામે છે.” તેઓ એટલે જનો, ભવ્ય આત્માઓ ભવજનિત એટલે જેમાં ભવ અને ભવનો ભાવ પ્રગટ થાય છે તેવો રાગ અને તેનાથી જનિત એટલે ભાવકર્મથી જન્મેલા દુઃખો, આત્માથી જન્મેલા નહીં. ભવજનિત દુઃખોથી એટલે ભાવકર્મથી એટલે કે કર્મ ચેતના અને કર્મફળ ચેતનાથી દૂર એવી સિદ્ધિને પામે છે. જે પોતાના શુદ્ધાત્માની ભાવનામાં પડ્યા છે તેઓ અલ્પકાળમાં મોક્ષદશાને પામે છે.
સંતો ધર્મ કરવાની રીત બતાવે છે. પોતે શુદ્ધાત્માની ભાવના ભાવે છે અને સાથે જગતના જીવોને માર્ગદર્શન આપે છે કે આવો અક્ષય ભંડાર આત્મા તમારી પાસે પડ્યો છે. સુખ માટે તમે કયાં બહાર ભીખ માંગવા જાઓ છો. તમારી પાસે સુખની નિધિ છે જે આત્મા અક્ષય સુખ સાગર છે. જેમ અક્ષય જ્ઞાનસ્વરૂપ છે તેમ અક્ષય સુખસ્વરૂપ છે. સુખનો પ્રવાહુ અંદરમાંથી આવ્યા જ કરે છે. તે પ્રવાહ કોઈ કાળે ખૂટે એવો નથી.
એવી કહેવત છે કે ખોટે રસ્તે પૈસા વાપરે તો રાજાના ભંડાર પણ ખૂટી જાય છે. પરંતુ આ અક્ષય ભંડાર એટલે જ્ઞાનસ્વરૂપ આત્મા છે. અક્ષયસુખ સ્વરૂપી આત્મામાં એકાગ્ર થતાં (પર્યાયમાં) બહારમાં ગમે તેટલું સુખ આવે તો પણ તે અક્ષય રહે છે. એમાંથી કદી ખૂટે નહીં એવો આત્મા છે. આવા આત્માની ભાવના ભાવતાં તે દુઃખથી નિવૃત્તિ થઈ જાય છે. તે દુ:ખથી દૂર એટલે રહિત એવી સ્થિતિને પામે છે. એવા અતીન્દ્રિયજ્ઞાન અને અતીન્દ્રિયઆનંદને પામે છે.
આવી પ્રાપ્તિ કોને થાય છે? ભવ્યજનોને. એ ભવ્યજનો શું કરે છે? આવા શુદ્ધાત્માની ભાવના કરે તેને આવી નિધિ પ્રગટ થાય છે. આત્માર્થી નિધિને ઇચ્છતો નથી. એ વાત હવે આવશે. નિષ્કામના બોલમાં, કે જેને પરમતત્ત્વની પણ વાંછા નથી એટલેકે મોક્ષની તો વાંછા નથી. પરંતુ મોક્ષ સ્વરૂપ આત્માની પણ વાંછા નથી.)
છે
આત્મા આત્મામાં નિજ આત્મિક ગુણોથી સમૃદ્ધ આત્માને એક પંચમભાવને જાણે છે અને દેખે છે; તે સહજ એક પંચમભાવને એણે છોડયો નથી જ અને અન્ય એવા પરભાવને કે-જે ખરેખર પૌલિક વિકાર છે તેને એ ગ્રહતો નથી જ.
(શ્રી નિયમસારજી કલશ ૧૨૯) I
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk