________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૬૬
પ્રવચન નં:- ૧૦ ગાથા-૪૩
આત્મા અક્ષય છે. જેમાંથી કેવળજ્ઞાન આવે છે તે અક્ષય ગુણ છે. આ આત્મા અક્ષયગુણઅક્ષયપાત્ર છે. જેમાંથી અનંત અનંતકાળ કેવળજ્ઞાન આવે છે. ભૂતકાળ ગયો તેનાં કરતાં ભવિષ્યનો કાળ અનંત-અનંતગુણો છે. જ્યારે કેવળજ્ઞાન પ્રગટ થશે ત્યારે પણ એ જ્ઞાનગુણ જ્યારે જોશો ત્યારે અક્ષય-વિશાળ જણાશે. તે અક્ષયપાત્ર છે જે કદી ખૂટે નહીં.
આહાહા ! એક એવી લબ્ધિ પ્રગટ થાય છે જે અક્ષયલબ્ધિ છે. તેમાં સો માણસના લાડુ બનાવ્યા હોય અને તેમાં પાંચસો માણસ જમે તો પણ ખૂટે નહીં. એ સો લાડુના બસો દેખાય. લાડવા ઉ૫૨ કપડું ઢાંકી રાખો અને જોઈએ તેટલા લાડવા લઈ લ્યો. લાડવા સો બનાવ્યા હોય અને દશહજાર માણસ જમી જાય.. અને લાડવા ખૂટે નહીં. અહીંયા તો બે વ૨સ વ૨સાદ ન પડે તો.. તળમાંથી પાણી આવવું બંધ થઈ જાય.
જ્યારે આ ભગવાન આત્મા તો અક્ષયપાત્ર છે. જ્ઞાન બહારથી આવતું નથી અને અંદરમાંથી આવે તો પણ ખૂટતું નથી. જ્ઞાન શાસ્ત્રમાંથી આવતું નથી અને આત્મામાંથી આવે છે તો પણ ખૂટતું નથી. આવો અક્ષયપાત્ર ભગવાન આત્મા છે. આવા સ્વભાવની ભાવના જીવે ભાવી નથી. અનંતકાળથી તે વિભાવની ભાવના અને નિમિત્તની ભાવના ભાવે છે. અને કાં સંયોગની ભાવના ભાવે છે. તે સંયોગની અને સંયોગી ભાવની ભાવનામાં પડયો છે. પરંતુ તે સ્વભાવની ભાવના ભાવતો નથી. સ્વભાવની ભાવનામાં ભવનો અંત આવે છે. આત્મા અક્ષય વિશાળ જ્ઞાન સ્વરૂપ છે તે બોલ થયો.
હવે કહે છે કે—આવો જે શુદ્ધાત્મા છે તેની ભાવના કરનારા છે કે નથી ? કહે છે– ત્રણેકાળ એની ભાવના કરનારા હોય હોય ને હોય જ, ભલે તેની સંખ્યા ઓછી હોય પરંતુ હોય ખરા. આ જગતમાં રહેલા જે જીવો છે તેમાં બે પ્રકા૨ છે. (૧) ભવ્ય (૨) અભભ. ભવ્યના બે પ્રકાર છે-એક મોક્ષમાં જવાને લાયક છે અને એક મોક્ષમાર્ગમાં આવી ગયેલા છે. ભવ્ય પણ બે પ્રકારના છે. (૧) સમ્યગ્દષ્ટિ અને ( ૨ ) સમ્યક્ સન્મુખ મિથ્યાર્દષ્ટિ તેને પણ ભવ્ય કહેવાય.
“ જગતમાં જે ભવ્ય જનો તેની ભાવનારૂપે પરિણમે છે”, જગતમાં જે ભવ્ય જનો છે, જનો એટલે ચારગતિમાંથી મનુષ્યો લીધા. કેમકે અત્યારે મનુષ્યો સાંભળે છે તિર્યંચ સાંભળવા આવતા નથી. જગતમાં ભવ્ય જનો તેની ભાવના રૂપે પરિણમે છે. અક્ષયપાત્ર તેવા શુદ્ધાત્માની ભાવના એટલે એકાગ્રતા. ભાવના એટલે હું જ્ઞાનસ્વરૂપ છું. હું જ્ઞાનસ્વરૂપ છું તેમ શબ્દ નહીં, વિકલ્પ નહીં, ઇન્દ્રિયજ્ઞાન નહીં, પરંતુ અંતર્મુખ થઈને ભાવના ભાવે છે. જે ભવ્ય જનો એટલે લાયક-પાત્ર જીવો, મોક્ષમાર્ગમાં આવેલા અથવા મોક્ષમાર્ગમાં આવવાની તૈયારીવાળા જીવો આવા શુદ્ધાત્માની ભાવનામાં પડયા છે. ભાવનારૂપે પરિણમે છે એટલે કે–શુદ્ધાત્મા હું છું એમ તેના શ્રદ્વાન-જ્ઞાન અને આચરણરૂપે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk