________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૬૫
આત્મા એક છે–‘હ્રોગĒ.' હું એક એટલા માટે છું કે-મારા સ્વભાવમાં ૫દ્રવ્યનો, અને કર્તાનો અભાવ છે માટે એક છું.
'
“ અને અક્ષય વિશાળ ઉત્તમ જ્ઞાન સ્વરૂપ છે.” હું જ્ઞાન સ્વરૂપ છું. પહેલા બે બોલમાં નાસ્તિથી વાત કરી છે. પછી નિન્દ્વન્દ્વના બોલમાં હું એક છું એમ કહ્યું. જેનો કોઈ કાળે નાશ ન થાય-ક્ષય ન થાય, વિનાશ ન થાય, અભાવ ન થાય, એવા જ્ઞાન સ્વરૂપે હું છું. એ જ્ઞાન કેવું છે ? વિશાળ છે અને ઉત્તમ છે. આ જગતમાં ઉત્તમમાં ઉત્તમ જો કોઈ વસ્તુ હોય તો જ્ઞાનસ્વરૂપી આત્મા છે. તે વિશાળ એટલા માટે છે કે તેમાં કોઈ પણ પ્રકારનો સ્વભાવમાં સંકોચ થઈ જાય, તેવી સંકુચિત નામની આત્મામાં કોઈ શક્તિ નથી. એતો વિશાળ વિશાળ છે.
શ્રીમદ્દજીના ચા૨ બોલમાં વિશાળતા શબ્દ આવે છે. જિતેન્દ્રિયપણું, સરળતા, મધ્યસ્થતા, વિશાળતા. મારો જ્ઞાનસ્વરૂપી ભગવાન આત્મા વિશાળ છે. આ પર્યાયની વાત નથી પણ ભગવાન આત્માની વાત ચાલે છે. જ્યાં વિશાળની વાત આવે, જ્યાં જ્ઞાનની વાત આવે ત્યાં પર્યાયદેષ્ટિવાળાની નજ૨ પર્યાય ઉપર જાય છે. જ્યાં સુધી પર્યાય દેખાય છે ત્યાં સુધી આત્મા દેખાતો નથી. રાગ દેખાય છે તેમાં તો આત્મા દેખાતો નથી પરંતુ જ્ઞાનની પર્યાયને જ્યાં જુએ છે ત્યારે તેનો શુદ્ધાત્મા તિરોભૂત થઈ જાય છે. તે દૃષ્ટિમાં ઓઝલ થઈ જાય છે. તે દૃષ્ટિમાં આવતો નથી. કેમકે જે આત્મા નથી તેને આત્માપણે જુએ છે તો તેને મૂળ આત્મા દૃષ્ટિમાં આવતો નથી.
વિશાળની આગળ અક્ષય વિશેષણ મૂકયું છે. પર્યાય તો નાશવાન છે જ્યારે આત્મા તો અક્ષય, વિશાળ ને ઉત્તમ છે. આવું જ્ઞાનનું સ્વરૂપ છે.
આ પોતાનો આત્મા પરમાત્મા છે. અને આત્મામાં અત્યારે એવું જ્ઞાન ભરેલું છે કે-જે અક્ષય છે. કોઈ કાળે ખૂટે નહીં એવું છે. તેને અક્ષયપાત્ર કહે છે. આ આત્મા કેવો છે? અક્ષય તો છે પરંતુ અક્ષયપાત્ર છે. એમાંથી અનંત અનંત કાળસુધી કેવળજ્ઞાનની પર્યાય થયા જ કરે તો પણ અંત ન આવે. જ્યારે જુઓ ત્યારે થયા જ કરે એવું અક્ષયપાત્ર છે. જ્ઞાનનો સ્વભાવ ઘટી જાય એવું કોઈ કાળે બનતું નથી.
આહા.. હા ! જ્ઞાનસ્વભાવ, સુખસ્વભાવ, દર્શનસ્વભાવ ચારિત્રસ્વભાવ એમ બધા ગુણો લઈ લેવા. અહીં જ્ઞાનની વાત કરે છે. જ્ઞાન અક્ષય છે. કેવળજ્ઞાન તો ક્ષયવાળું છે. જે પ્રગટ થાય અને નાશ પણ થાય. કેવળજ્ઞાન અનાદિ અનંત નથી પણ સાદિ અનંત છે. એક અપેક્ષાએ સાદિ અનંત અને બીજી અપેક્ષાએ સાદિ સાંત છે. કેવળજ્ઞાન પ્રગટ થયું તે થયું તે ધારાવાહી રહે છે. સાદિ એટલે જે મોક્ષની શરૂઆત થઈ તેનો કોઈ કાળે અસ્ત થવાનો નથી.. તે અપેક્ષાએ તેને સાદિ અનંત કહેવાય છે. એક સમયની પર્યાય હોવાથી સાદિસાંત છે. પ્રગટ થાય છે અને બીજે સમયે વ્યય થાય છે. જ્યારે ભગવાન
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk