________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૧૬૩
ભવના ભાવનો અભાવ કરીને તે મોક્ષની પ્રાપ્તિ કરે છે. મોક્ષ છે તે સાધ્ય છે. અને શુદ્ધાત્મા છે તે ધ્યેય છે. આવો શુદ્ધાત્મા ધ્યાન કરવા યોગ્ય છે. અને શુદ્ધાત્માનું ધ્યાન કરનાર આત્માને સાધ્ય મોક્ષ છે.
“તેઓ ભવજનિત દુઃખોથી દૂર એવી સિદ્ધિને પામે છે.” તે આત્મા એટલે ભવ્ય આત્માઓ પોતાના પરમાત્માની ભાવનારૂપે-એકાગ્રતારૂપે-ધ્યાનરૂપે પરિણમે છે. ભાવના એટલે નિર્વિકલ્પ ધ્યાનરૂપે પરિણમવું તે. તેઓ ભવનિત-ભવથી જન્મેલું દુઃખ, તે દુઃખ આત્માથી જન્મેલું નથી. રાગ અને દ્વેષ તે ભવનો ભાવ છે અને તેમાંથી ઉત્પન્ન થયેલું જે દુ:ખ તેનાથી દૂર એટલે રહિત તેવી આત્મસિદ્ધિને પામે છે. એ આ આત્માની સિદ્ધિ થઈ.
જે
કોણ સિદ્ધિને પામે છે ? કહે–ભવ્ય. તે કોને ભાવે છે ? તે પોતાના પરમાત્મ તત્ત્વની ભાવનારૂપે પરિણમે છે, એટલે ધ્યાન અવસ્થામાં એકાગ્ર થઈને એ રૂપે પરિણમે છે. ભવથી જન્મેલા રાગ, દ્વેષ અને દુઃખ તેનાથી રહિત તેવી સિદ્ધિને પામે છે.
હવે ૪૭ ગાથા કાઢો. એમ વિચાર આવ્યો કે-૫૦ ગાથા લઈને પછી પાંચ રતનની ગાથા લઈ લેવી-જે પરમાર્થ પ્રતિક્રમણની છે. ભગવાન આત્મા અકર્તા છે તે અપૂર્વ ચીજ છે. જ્ઞાયકભાવ કહો કે-અકર્તા કહો તે બન્ને પરસ્પર પોષભાવ છે, ઘાતકભાવ નથી. જ્ઞાયકભાવ અને અકર્તાભાવ તે અકર્તા એવા જ્ઞાયકને પોષે છે અથવા જ્ઞાયક એવો અકર્તાભાવ તેને પોષે છે. તે બન્ને ભાવ પરસ્પર પોષક છે. હવે ૪૭ ગાથાની ઉપરનો ૭૦ નંબરનો શ્લોક કહે છે.
તા. ૯/૧૧/’૮૭
શ્લોકઃ ૬૮
“૫૨માત્મતત્ત્વ આદિ-અંત વિનાનું છે. ” આત્મતત્ત્વ એટલે આત્માનું સ્વરૂપ. શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે? કહે છે-૫૨મ છે એટલે કે ઉત્કૃષ્ટ છે. શુદ્ધાત્મા સિવાય આ જગતમાં બીજી કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ નથી. હું જેને વંદન કરું છું એવા અરિહંતો, અનંત સિદ્ધો, આચાર્ય ઉપાધ્યાય અને સાધુઓ છે તે વ્યવહારે પૂજનિક છે, વ્યવહારે વંદનિક છે. એ પરમેષ્ઠીને વંદન કરતાં મને આત્મલાભ થતો નથી. તેથી મારા આત્મલાભ માટે મારા પરમ પૂજનિક ઉત્કૃષ્ટ એવા આત્મતત્ત્વનું સ્મરણ કરું છું. પરમાત્મતત્ત્વ એટલે કેસર્વોત્કૃષ્ટ છે અર્થાત્ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આ આત્મા છે.
એક ભાઈનો રાજકોટમાં સ્વર્ગવાસ થવાનો કાળ હતો. મને ટેલિફોન કરીને
બોલાવ્યો, તેને હાર્ટએટેક આવેલો... હજુ શુદ્ધિમાં હતા ત્યારે પૂછ્યું કે-આ જગતમાં ઊંચામાં ઊંચી વસ્તુ કઈ છે ? તો એ ભાઈએ કહ્યું કે-ઊંચામાં ઊંચી વસ્તુ હોય તો મારો શુદ્ધાત્મા છે, તે સિવાય બીજી કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ નથી. પછી થોડા ટાઈમમાં તેનો
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk