SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૫૬ પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ શ્લોક - ૬૫ (ફુતવિનંવિત) भवभोगपराङ्मुख हे यते पदमिदं भवहेतुविनाशनम्। भज निजात्मनिमग्नमते पुन स्तव किमध्रुववस्तुनि चिन्तया।। ६५।। [ શ્લોકાર્ચ- ] નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા તથા ભવથી ને ભોગથી પરાક્ષુખ થયેલા હે યતિ! તું ભવહેતુનો વિનાશ કરનારા એવા આ (ધ્રુવ) પદને ભજ; અધ્રુવ વસ્તુની ચિંતાથી તારે શું પ્રયોજન છે? ૬૫. શ્લોક - ૬૫ : ઉપર પ્રવચન “નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા”, આહા ! જે નિજ પરમાત્મ સ્વભાવ છે તેમાં લીનતા, આ વાત ચારિત્રની મુખ્યતાથી મુનિવરો પોતે કરે છે. નિજ આત્મામાં લીન બુદ્ધિવાળા એટલે જ્ઞાનવાળા, “તથા ભવથી ને ભોગથી પરાભુખ થયેલા હે યતિ!” ભવ એટલે પુણ્યના પરિણામ અને પુણ્યના પરિણામના ફળ તેને ભોગ કહેવાય છે. એ ભવ અને તેના ભોગથી પરામુખ થયેલા હે! યતિ! હે મુનિરાજ! હે! અતિઆસન્નભવ્ય આત્માઓ! “તું ભવ હેતુનો વિનાશ કરનારા એવા આ ધ્રુવ પદને ભજ” જેનું અવલંબન લેતાં ભવનો નાશ થાય તેમજ ભવના કારણનો વિનાશ કરનારા એવા આ ધ્રુવપદને ભજ. આહા..હા ! નિમિત્તને ભજવાનું હવે તો છોડ! નિમિત્તનું ભજન કરવાનું હવે તો છોડ! એમ કહે છે કે પાંચમહાવ્રતનું ભજન કરવાનું હવે તો છોડ! દેશવ્રતનું ભજન કરવાનું હવે તો છોડ! આ અવ્રતનું તો ભજન કરવા જેવું જ નથી. અરે ! સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામનું ભજન કરવા જેવું નથી. કેમકે એક સમયના પરિણામ નાશવાન છે. તેમજ કર્મ સાપેક્ષ હોવાથી તેને કર્મકૃત પણ કહેવામાં આવે છે. તે પરિણામ અધુવ છે. આહા! સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્રના પરિણામ અધ્રુવ છે. સંવર, નિર્જરા અને મોક્ષ તત્ત્વ પણ અધ્રુવ છે. તે જ્યારે પ્રગટ થાય પછી ભલે કાયમ રહે.. પરંતુ એ સિદ્ધની મોક્ષની પર્યાય એક સમયવર્તી છે. માટે તે પણ અધ્રુવ છે. તેથી કહે છે કે-ભવના હેતુનો અને દુઃખના કારણોનો નાશ કરવાની તારી ભાવના થઈ હોય અને તું ભવ્ય ભાવથી પ્રેરિત થયો હોય તો! આ વાતની સંધિ કરી. આગળના અને ઉપરના કળશની સંધિ કરી. જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત થયો હોય, એટલે જેને Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy