________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૫૪
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ ( રહિત ) કહ્યું છે. તે ૫૨મ તત્ત્વ જયવંત છે. આ જે કલ્પનાનું સુખ અને જે કલ્પનાનું દુઃખ કહ્યું તેનાથી ત્રિકાળી તત્ત્વ રહિત છે.. તેમ બુધજનોએ કહ્યું છે. જે તત્ત્વમાં નિપુણ અનુભવી પુરુષો આમ કહે છે. તારા આત્મામાં કલ્પનાનું સુખ અને કલ્પનાનું દુઃખ નથી. તે સુખ-દુઃખથી તારો ભગવાન આત્મા દૂર રહેલો છે.. તેવો આત્મા આત્માને ઉપાદેય છે. અને એ આત્મા ઉપાદેય હોવાથી ૫૨મ તત્ત્વ જયવંત છે. મોક્ષ તત્ત્વ છે પરંતુ પરમ તત્ત્વ તો ત્રિકાળી શુદ્ધ સ્વભાવી ભગવાન આત્મા છે. સંવર પણ તત્ત્વ છે, નિર્જરા પણ તત્ત્વ છે અને મોક્ષ પણ તત્ત્વ છે. અને જે જીવ છે તે પરમ તત્ત્વ છે.. તે ત્રિકાળ જયવંત વર્તો. આહા ! કેમકે સંવ-નિર્જરા નાશવાન છે અને મોક્ષની પર્યાય એક સમયે ઉત્પન્ન થાય છે અને બીજા સમયે તેનો પણ વ્યય થાય છે. અને ભગવાન આત્મા શાશ્વત હોવાથી ૫૨મ તત્ત્વ હોવાથી પૂજનિક તત્ત્વ તો ત્રિકાળી ભગવાન આત્મા છે માટે ૫૨મ વિશેષણ લગાડયું છે.
પરમ તત્ત્વો નહીં પરંતુ પરમ તત્ત્વ તે એકવચન છે, ૫૨મ તત્ત્વો તે બહુવચન છે. હું વ્યાકરણ કે ન્યાય કે કાંઈ ભણ્યો નથી હોં! પરંતુ તત્ત્વ શબ્દ એમ બતાવે છે કેએકવચન છે અને તત્ત્વો બહુવચન છે. ૫૨મ તત્ત્વ જયંવત છે. આહા ! ત્રણેકાળ ભગવાન આત્મા પૂજનિક પંચમભાવરૂપ અને ૫૨મ તત્ત્વ છે. આહા... હા ! તે જયવંત વર્તે છે. અમને તેનું જ નિત્ય શરણ હો ! શરણ લેનારી પર્યાયનું પણ અમને શરણ ન હો ! કેમકે તે અમને અઉપાદેય જણાય છે. એક ભગવાન આત્મા જ ઉપાદેયપણે જણાય છે. આહા ! આ બહુ ઊંચો અધિકાર છે. ટાઈમ ટુંકો લાગે, સ્વાધ્યાયમાં બીજા બે મહિના ચાલે તેવું છે.
શ્લોક - ૬૪
(માલિની ) अनिशमतुलबोधाधीनमात्मानमात्मा सहजगुणमणीनामाकरं तत्त्वसारम्। निजपरिणतिशर्माम्भोधिमज्जन्तमेनं भजतु भवविमुक्त्यै भव्यताप्रेरितो यः ।। ६४॥
[ શ્લોકાર્થ:- ] જે આત્મા ભવ્યતા વડે પ્રેરિત હોય, તે આત્મા ભવથી વિમુક્ત થવા અર્થે નિરંતર આ આત્માને ભજો-કે જે (આત્મા) અનુપમ જ્ઞાનને આધીન છે, જે સહજગુણમણિની ખાણ છે, જે (સર્વ) તત્ત્વોમાં સાર છે અને જે નિજ પરિણતિના સુખસાગરમાં મગ્ન થાય છે. ૬૪.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk