SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૫૩ શ્લોક – ૬૩ (માલિની) जयति परमतत्त्वं तत्त्वनिष्णातपद्मप्रभमुनिहृदयाब्जे संस्थितं निर्विकारम्। हतविविधविकल्पं कल्पनामात्ररम्याद् भवभवसुखदुःखान्मुक्तमुक्तं बुधैर्यत्।। ६३।। [ શ્લોકાર્ચ- ] જે તત્ત્વનિષ્ણાત (વસ્તુ સ્વરૂપમાં નિપુણ) પદ્મપ્રભમુનિના હૃદયકમળમાં સુસ્થિત છે, જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે, અને જેને બુધપુરુષોએ કલ્પનામાત્ર-રમ્ય એવાં ભવભવનાં સુખોથી તેમ જ દુઃખોથી મુક્ત (રહિત) કહ્યું છે, તે પરમતત્વ જયવંત છે. ૬૩. શ્લોક - ૬૩ : ઉપર પ્રવચન શ્લોકાર્થ- જે તત્ત્વ નિષ્ણાત (વસ્તુ સ્વરૂપમાં નિપુણ ) તત્ત્વોમાં નહીં પરંતુ તત્ત્વમાં નિપુણ છે. તત્ત્વોમાં નિપુણ પંડિત છે અને તત્ત્વમાં નિપુણ જ્ઞાની છે. તત્ત્વોમાં નિપુણ કોણ ? પંડિતો, તત્ત્વોમાં નિપુણ છે. પરંતુ તે તત્ત્વમાં નિપુણ નથી. જ્ઞાની તો તત્ત્વ નિષ્ણાત છે. તત્ત્વ એટલે જીવતત્ત્વ સામાન્ય તે માં જે નિષ્ણા ત એટલે તેમાં જેની અહુબુદ્ધિ થઈ ગઈ છે એવા વસ્તુ સ્વરૂપમાં નિપુણ “પદ્મપ્રભમુનિના હૃદય કમળમાં સુસ્થિત છે.” આહાહા ! જે તત્ત્વમાં નિષ્ણાત છે એવા પદ્મપ્રભ મુનિ જે છે તેના હૃદય કમળમાં આ ભગવાન આત્મા સુસ્થિત છે. ભગવાન આત્મા સંવરમાં રહેલો છે. ભગવાન આત્મા આસ્રવમાં રહેતો નથી. આત્મા સંવરમાં સુસ્થિત છે તે પણ વ્યવહારનયનું કથન છે. એતો પરમભાવમાં સુસ્થિત રહેલો છે-એટલે પારિણામિક ભાવમાં સ્થિત છે. તત્ત્વનિષ્ણાત મુનિ પોતે પોતાથી વાત કરે છે. તત્ત્વ નિષ્ણાત એટલે તત્ત્વનો અનુભવી, આત્માના સ્વરૂપનો અનુભવી છે તેને તત્ત્વ નિષ્ણાત કહેવામાં આવે છે. એવા પદ્મપ્રભમુનિના હૃદયકમળમાં એટલે મારા અંતરમાં, મારા શુદ્ધોપયોગમાં. હૃદયકમળમાં એટલે ભાવમનમાં નહીં. આહા! ભાવભાસનમાં વિકલ્પ સ્થિત છે અને અતીન્દ્રિયજ્ઞાનમાં શુદ્ધોપયોગમાં-હૃદયકમળમાં ભગવાન આત્મા સ્થિત રહેલો છે. મારામાં બીજું કાંઈ મને દેખાતું નથી. જે નિર્વિકાર છે, જેણે વિવિધ વિકલ્પોને હણી નાખ્યા છે, અને જેને બુદ્ધ પુરુષોએ કલ્પનામાત્ર-૨) એવાં ભવભવનાં સુખોથી તેમ જ દુઃખોથી મુક્ત Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy