________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૫૦
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ આત્મા રહિત છે. જુઓ, કૌંસમાં અક્ષર અને અંક તેમ બે વાત કહી. અક્ષર એટલે ક, ખ, ગ, ઘ, ઙ અને અંક એટલે એક, બે, ત્રણ તેનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી. આત્મા તો જે છે તે છે... પરંતુ સમજાવવા માટે અંકની જરૂર પડે છે. તેને અનેકપણાની બુદ્ધિ થઈ ગઈ છે માટે તેનો નિષેધ કરવા હું એક અને શુદ્ધ છું તેમ કહેવામાં આવે છે. પરંતુ એક નામનો જે અંક છે તે આત્માના સ્વભાવને વિશે નથી. આત્મા છે તે છે. આવા અંકનો અક્ષરોનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી હોં!
‘ આત્મા ’, આત્મા તેવું નામ તેને અક્ષર કહેવાય. તેનું નામ અ, આ, ઈ, ઉ થાય ને! આત્મા જે અક્ષર છે તેનો પ્રવેશ આત્મામાં નથી. અને આત્મા એક છે તેવો એક નામનો જે અંક તેનો પ્રવેશ પણ ભગવાન આત્મામાં નથી. આહા... હા ! અક્ષરનો પણ પ્રવેશ નહીં અને અંકનો પણ પ્રવેશ નથી.. તેમ યોગીન્દુદેવે કહ્યું છે.
આહાહા! આ અદ્ભૂતવાત છે હોં! હું એક છું તેમ થોડીવાર માટે રહેવા દે! અનેકનો નિષેધ કરવા માટે હું એક છું તેવો વિચાર આવ્યો તો તે વિચાર છોડી દે ! હું તો જે છું તે છું–ત્યારે તને અનુભવ થશે. એકના વિચારમાં પણ અટકવા જેવું નથી. તે ભાઈ ! વીર્યવાન જીવ છે-આમ કહે છે હોં ! (પ્રમોદ બતાવે છે.)
અક્ષર પણ નહીં અને અંક પણ નહીં. આત્મા તે અક્ષર કહેવાય. અને આત્મા એક છે તે અંક કહેવાય. આત્મા એવો જે શબ્દ તે આત્મામાં નથી. અક્ષર પણ આત્મામાં નથી અને એક, બે, ત્રણ, ચાર તેવા અંક એ પણ આત્મામાં નથી. સંખ્યાથી રહિત, અક્ષરથી રહિત તે વાત કરી.
66
અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમજ સ્પર્શ, ૨સ, ગંધ અને રૂપ વિનાનું છે.” શું કહે છે... ભગવાન આત્મા ત્રણેયકાળ હિતરૂપ-સુખરૂપ છે.. પણ દુઃખરૂપ નથી. અહિતરૂપ એટલે હિત વિનાનું છે. આત્માનું અહિત કોઈ દિ ’ થાય નહીં. અર્થાત્ કોઈ કહે-આત્માનું બહુ બગડી ગયું, આત્માનું અહિત થઈ ગયું, તો તેને કહે છે– આત્માનું અહિત ન થાય. પરિણામનું અહિત થાય છે અને પરિણામનું હિત થાય છે. એ.. પરિણામમાં હિત હો કે અહિત હો ! તે હિત વિનાનો હું આત્મા છું.
આહાહા..! મારું કોઈ બગાડી નાખે અને હું બગડી જાઉં, અને મારું અહિત બીજો કરી ઘે, મિથ્યાત્વના પરિણામ મારું અહિત કરી ઘે તેમ ત્રણકાળમાં બનવાનું નથી. કેમકે હું તો અહિત વિનાનો છું. હું અહિત વિનાનો છું એટલે અહિત વિનાનો થઈ જાય છે. એ જે અહિત વિનાનો થાય છે તેના ઉ૫૨ મારું લક્ષ નથી મારું લક્ષ તો છું તેના ૫૨ છે. મારું લક્ષ કયાં છે? હું કેવો છું તેની ભાવના ભાવું છું.
આચાર્ય મહારાજ કહે છે કે-મારી ઉત્તર અવસ્થામાં હવે મારે ઠરી જવું છે. અલમ્.. અલમ્.. બસ થાઓ, બસ થાઓ. મેં ઘણું કહ્યું હવે મારે કાંઈ કહેવું નથી-હું મારા
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk