SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૪૯ અને પરિણામ પણ શુદ્ધ એટલો જ અધ્યાત્મપ્રમાણનો વિષય છે. આગમ પ્રમાણમાં રાગાદિ છે તે આવી જાય છે. જ્યારે અહીંયા તો રાગનું કામ નથી. કેમકે જે આશ્રિત પરિણામ થયા તે અઉપાદેય છે. એટલે કે-તેના પ્રત્યે મને ઉપેક્ષા વર્તે છે. સમયસાર ૪૯ ગાથામાં અવ્યક્તના બોલમાં આવે છે કે-વ્યક્ત પર્યાય પ્રત્યે ઉદાસ છે. અવ્યક્તના બોલમાં રાગને યાદ કર્યો નથી. છ બોલ છે તેમાં રાગને યાદ કર્યો છે? આહા ! સાધક આત્મા કહે છે કે-વ્યક્ત પર્યાય પ્રત્યે હું ઉદાસીન છું. મને તેમાં ઉપાદેયબુદ્ધિ થતી નથી. તેની પ્રગટતા જ્ઞાનમાં જણાય છે પણ તેમાં ઉપાદેયતા થતી નથી. જ્ઞાનમાં જ્ઞાયક ઉપાદેયપણે જણાય છે ત્યારે જ્ઞાયક આશ્રિત જે જ્ઞાન, દર્શન, ચારિત્રના પરિણામ વીતરાગી પ્રગટ થયા છે તે અઉપાદેયપણે જ્ઞાનમાં જણાય છે. ઉપાદેય એક છે અને અઉપાદેય અનેક પરિણામ છે. આવો આ આત્મા ખરેખર ઉપાદેય છે. દરેક જીવને માટે એક જ આત્મા ઉપાદેય છે બાકી કોઈ પરિણામ ઉપાદેય નથી. એવી રીતે (શ્રી યોગીન્દ્રદેવકૃત) અમૃતાશીતિમાં (પ૭મા શ્લોક દ્વારા) કહ્યું છે કેतथा चोक्तममृताशीतौ (મતિની) " स्वरनिकरविसर्गव्यंजनाद्यक्षरैर्यद् रहितमहितहीनं शाश्वतं मुक्तसंख्यम्। अरसतिमिररूपस्पर्शगंधाम्बुवायु क्षितिपवनसखाणुस्थूलदिक्चक्रवालम्।।” “[ શ્લોકાર્થ-] આત્મતત્ત્વ સ્વરસમૂહું, વિસર્ગ ને વ્યંજનાદિ અક્ષરો રહિત તથા સંખ્યા રહિત છે ( અર્થાત્ અક્ષર અને અંકનો આત્મતત્વમાં પ્રવેશ નથી), અહિત વિનાનું છે, શાશ્વત છે, અંધકાર તેમ જ સ્પર્શ, રસ, ગંધ અને રૂપ વિનાનું છે, પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુના અણુઓ રહિત છે તથા સ્કૂલ દિચક્ર (દિશાઓના સમૂહ) રહિત છે.” શ્લોક - ઉપર પ્રવચન શ્લોકાર્થ:- “આત્મતત્વ સ્વરસમૂહ”, વિસર્ગને વ્યંજનાદિ અક્ષરો રહિત તથા સંખ્યા રહિત છે. (અર્થાત્ અક્ષર અને અંકનો આત્મતત્ત્વમાં પ્રવેશ નથી). આ જે સ્વર નીકળે છે બહારમાં તે સ્વર અને વિસર્ગને વ્યંજનાદિ અક્ષરોથી રહિત છે. અક્ષરોના ત્રણ વિશેષણો છે-ક, ખ, ગ, ઘ, ડ એ અક્ષરો કહેવાય. તેનાથી ભગવાન આત્મા રહિત છે. તેમજ એક બે, ત્રણ, ચાર વગેરેને સંખ્યા કહેવાય. તેનાથી ભગવાન Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy