________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
પ્રવચન નં:- ૯ ગાથા-૪૩ જાય છે. આહા ! એ જાણવાનો જ્ઞાનનો સ્વભાવ છે. મારામાં જાણવાની ક્રિયા પણ થતી નથી. હું તો નિષ્ક્રિય આત્મા છું. “આવો આ આત્મા... ખરેખર ઉપાદેય છે.”
કેવળજ્ઞાનની પર્યાય શુદ્ધ સભૂત વ્યવહારનયનો વિષય હોવાથી, તે જ્ઞાનનું જ્ઞયા છે પરંતુ મારા ધ્યાનનું ધ્યેય નથી. કેવળજ્ઞાનની પર્યાય મને ઉપાદેય નથી. કેવળજ્ઞાન જેનું અવલંબન લે છે તેવો મારો આત્મા ત્રણેકાળ મને ઉપાદેય છે. પર્યાય એક સમયમાત્ર ઉપાદેય નથી. એક ઉપાદેય છે અને બીજું અઉપાદેય છે. ત્રિકાળી સામાન્ય સ્વભાવ ઉપાદેય છે અને પ્રગટ થયેલી શુદ્ધ પર્યાયો અઉપાદેય છે. કેમકે શુદ્ધાત્માને અવલંબને રાગ ઉત્પન્ન થતો નથી. માટે તે હેયના ખાનામાંથી પણ ચાલ્યો જાય છે. આ જરા ઝીણી વાત છે.
ફરીને.. શું કહ્યું? જ્યારે આવો શુદ્ધાત્મા આત્માને ઉપાદેય થાય છે, ઉપાદેય એટલે દૈષ્ટિમાં ગ્રહણ થાય છે. તે ધ્યાનમાં ધ્યય થાય છે, જ્ઞાનમાં ઉપાદેયપણે શય થાય છે. જ્યારે ભગવાન આત્મા દૃષ્ટિમાં અને જ્ઞાનમાં ઉપાદેય થાય છે, શય થાય છે. આવું ગ્રહણ થાય છે તે અંતર્સનુખના પુરુષાર્થથી થાય છે. જ્યારે આત્મા ઉપાદેય થાય છે ત્યારે આત્માશ્રિત પરિણામો પણ પ્રગટ થાય છે. કેમકે અંતર સન્મુખ પરિણામમાં જ અપરિણામી ઉપાય થાય છે. અંતર્સન્મુખ થયેલા જે પરિણામ છે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના તે પરિણામમાં આત્મા ઉપાદેય થાય ત્યારે ત્રિકાળી દ્રવ્ય ઉપાદેય થયું કહેવાય છે. આ રત્નત્રયના પરિણામમાં દ્રવ્ય ઉપાદેય છે અને તે પરિણામમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના પ્રગટ પરિણામ અન્ઉપાદેય છે. તે સમયે મિથ્યાત્વના પરિણામ તો પ્રગટ થતા જ નથી. તે પરિણામ છે જ નહીં તો જ્ઞાનનું ય પણ થતું નથી. જે હોય તે જ્ઞાનનું શેય થાય, પરંતુ જે અવસ્તુ થઈ ગઈ તે જ્ઞાનનું જ્ઞય અત્યારે મને થતું નથી.
આહા ! જેમ-જેમ આત્મા વિજ્ઞાનઘન સ્વભાવ થતો જાય છે તેમ-તેમ આ આત્મા આસ્રવોથી નિવર્તે છે. તેથી ઉપાદેય તત્ત્વ ત્રિકાળી દ્રવ્ય છે અને અઉપાદેય શુદ્ધ પર્યાય છે. પ્રથમ મિથ્યાત્વ જાય છે પછી બીજી ચોકડીનો અભાવ થાય છે. જેનો અભાવ હોય તે ય કેમ થાય? તે તો અવસ્તુ થઈ ગઈ. પછી ત્રણ ચોકડીનો અભાવ થયો ને સાધુ થયો તો હવે ત્રણ કષાયના અભાવ સ્વરૂપ વીતરાગતા છે તે અઉપાદેય છે અને શુદ્ધાત્મા જ ઉપાદેય છે. આહા.. હા ! આવી વસ્તુની સ્થિતિ છે. આહા... હા ! એ રાગને જ્ઞાનના જ્ઞયમાં પણ રાખવા જેવો નથી. એ જાણેલો પ્રયોજનવાન થશે કે નહીં ? ભાઈ ! એ વાત બીજી છે. અને આ વાત બીજી છે. અત્યારે તો આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે.
આહા.. હા ! એ બધા આગમપદ્ધતિના અને કથનપદ્ધતિના પ્રકાર જુદા છે. અધ્યાત્મપ્રમાણની કથનપદ્ધતિનો પ્રકાર જુદો છે. પ્રમાણના બે પ્રકાર છે. એક આગમપ્રમાણ અને એક અધ્યાત્મપ્રમાણ. હવે અધ્યાત્મપ્રમાણમાં ત્રિકાળી દ્રવ્ય શુદ્ધ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk