________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૪૫
( સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે. એક સમયમાં સ્થાવરને તેમજ જંગમને તેમ ત્રણલોકના પદાર્થોને ત્રણેકાળ દ્રવ્ય-ગુણ-પર્યાયને એક સમયમાં જાણે છે. કાળનો નાનામાં નાનો સમય.. તેને એક સમયમાં જાણવામાં સમર્થ છે. સર્વથા સકળ-વિમળ નિર્મળ કેવળજ્ઞાનમાં કોઈ પણ પ્રકારે મલિનતા હોઈ શકે નહીં. કેવળજ્ઞાન સ્વરૂપે અવસ્થિત થવાથી.., જુઓ, અહીં પર્યાયની વાતમાં થવાથી વિશેષણ કહ્યું. અને દ્રવ્યની વાત કરશે ત્યારે ‘હોવાથી ’ વિશેષણ લગાડશે. ‘હોવાથી ’ અને ‘ થવાથી ’ તે બન્ને શબ્દો છે કે નહીં ? નિશ્ચયમાં એટલે નિશ્ચયનયના વિષયમાં ‘ હોવાથી ’ શબ્દ આવે અને વ્યવહારનયના વિષયમાં ‘ થવાથી ’ શબ્દ આવે છે. અહીં પણ થવાથી લીધું પરંતુ આમ કરવાથી એમ ન લીધું.
આહા ! દ્રવ્ય-ગુણ-પર્યાયોને એક સમયમાં જાણવામાં સમર્થ એ સકળ-વિમળ કેવળજ્ઞાનરૂપે અવસ્થિત થવાથી એટલે કેવળજ્ઞાન પ્રગટ થયું તે થયું તેનો હવે નાશ નહીં થાય. આ રીતે આત્મા નિર્મૂઢ છે. પહેલામાં દ્રવ્ય અપેક્ષાએ નિર્મૂઢ છે અને પર્યાય અપેક્ષાએ નિર્મૂઢ થાય છે. કેમકે પ્રમાણ અપેક્ષાએ આત્માનો પરિણામી સ્વભાવ છે. પ્રમાણજ્ઞાનની અપેક્ષાએ જોવામાં આવે તો આત્માનો સ્વભાવ પરિણામી છે. એટલે પર્યાયમાં પણ કેવળજ્ઞાન થાય છે.
સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના જેમાં પ્રવેશી શકતી નથી એવા નિજ અંતઃતત્ત્વરૂપ મહા દુર્ગમાં (કિલ્લામાં ) વસતો હોવાથી આત્મા નિર્ભય
,,
છે. ” ‘પાપરૂપી શૂરવીર શત્રુઓની સેના', શું કહે છે? અહીં પુણ્ય અને પાપ બન્નેને પાપ કહેવામાં આવે છે. પુણ્યને પાપના ભેદ નથી બન્ને પાપના પરિણામ છે. પુણ્યપણ પાપ અને પાપ પણ પાપ છે. યોગીન્દુદેવ યોગસા૨માં કહે છે કે
“ પાપને તો સૌ કોઈ પાપ કહે પરંતુ પુણ્યને તો કોઈ વિરલા અનુભવી–જ્ઞાની પાપ કહે છે. ” એ જ્યારે કલકત્તામાં કહ્યું ત્યારે ત્યાં રતનલાલજી ચમકી ગયા કે પુણ્યને પાપ ! હા, ભાઈ ! પુણ્યને પણ પાપ કહેવામાં આવે છે. જયસેન આચાર્ય ભગવાન પુણ્ય પાપ અધિકારની પૂર્ણાહૂતિ કરતાં કહે છે કે-હવે પાપ અધિકાર પૂર્ણ થાય છે. પુણ્યને પાપ બન્નેને પાપ કહેવાય છે.
66
અજ્ઞાની પુણ્ય નથી કરતો પરંતુ પાપ કરે છે કેમકે તેમાં જીવનું ભાવમરણ થાય છે. તેનો અતીન્દ્રિયઆનંદ હણાય જાય છે. એ હિંસાના પરિણામ થયા તેને પાપ કહેવામાં આવે છે. જે પુણ્યના પરિણામ ઉત્પન્ન થયા તેમાં આત્માની હિંસા થઈ, આત્માના સ્વભાવની હિંસા થઈ- તેમાં જીવ હણાણો. જે પરિણામોથી જીવ હણાય એ પરિણામને પાપ કહેવામાં આવે છે. આ ન્યાયથી વાત છે કે નહીં ?
‘સમસ્ત પાપરૂપી શૂરવીર શત્રુ”, શૂરવીર કેમ કહ્યું ? એ પુણ્ય ને પાપ શૂરવીર
66
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk