SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૪૧ વિશેષણ છે. પર્યાયનું વિશેષણ હવે આવશે. બધા ઘરેથી વાંચીને આવે છે. અનાદિ-અનંત આત્મા મૂઢતા રહિત નિર્મૂઢ છે. આ વાત નિશ્ચયથી તો કરી પરંતુ હવે વ્યવહારથી કહે છે. “સાદિ અનંત અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવવાળા શુદ્ધ સદ્ભુત વ્યવહારનયથી.” વ્યવહારનયથી જોવામાં આવે તો સાદિ અનંત છે. જુઓ ! નિર્મૂઢની નિશ્ચયની વાતમાં અનાદિ અનંત લીધું હતું. અને આ નિર્મૂઢતા જે પ્રગટ થાય તે સાદિ કેવળજ્ઞાનની પર્યાય છે. તેની તો નવી શરૂઆત થાય છે. તેની શું કિંમત ? કિંમત તો અનાદિ અનંતની છે. આ તો શુદ્ધભાવ અધિકાર છે. તેનો જેટલા ટાઈમ સુધી સ્વાધ્યા કરીએ, છ મહિના સ્વાધ્યાય કરીએ તો પણ ટૂંકો છે. આહા ! એવો આ અધિકાર છે.. તેમાં બ્રહ્માંડના ભાવો ભર્યા છે. હવે વ્યવહારનયની વિવિક્ષાથી વાત કરે છે. ઉપાદેય તત્ત્વની વાત મુખ્ય રાખીને તે જ્ઞાનના જ્ઞયની વાત કરે છે. પર્યાય વ્યવહાર જ્ઞય છે. તે પર્યાય વ્યવહારજ્ઞાનનો વિષય છે. કેવળજ્ઞાનનો પર્યાય તે વ્યવહારે ય છે. નિશ્ચયથી જ્ઞયતો મારો પરમાત્મા છે. અથવા કેવળ જ્ઞાનની શરૂઆત સાદિથી થાય છે ને! કેવળજ્ઞાન પહેલાં ન હોય પરંતુ પછી પ્રગટ થાય છે. સાદિ અનંત અર્થાત્ સાદિ કહેતાં શરૂઆત થાય અને પછી અનંત કહેતાં કેવળજ્ઞાનનો કોઈ દિવસ અભાવ ન થાય. માટે અનંત અમૂર્ત અતીન્દ્રિયસ્વભાવવાળા કહ્યું. કેમકે કેવળજ્ઞાનનો સ્વભાવ છે તે અતીન્દ્રિયસ્વભાવ છે. આ પ્રગટ થયેલા અતીન્દ્રિય સ્વભાવને દ્રવ્યઇન્દ્રિયનું અવલંબન નથી તેથી તે ભાવઈન્દ્રિય વડે આત્માને જાણતો નથી. પરંતુ તે અતીન્દ્રિયજ્ઞાનથી પોતાના શુદ્ધાત્માને જાણે છે. કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન કહીએ કેવળજ્ઞાન તે દેહ છતાં નિર્વાણ.” જગતના જીવો આ કેવળજ્ઞાનને નથી સમજી શકતા માટે કેવળજ્ઞાનનું રૂપ કહેવું પડે છે... કે-કેવળજ્ઞાન કોને કહેવાય ? ત્રણકાળના અને ત્રણલોકના સ્થાવર-જંગમ સ્વરૂપ સમસ્ત દ્રવ્યગુણ અને પર્યાયોને એક સમયે જાણવામાં સમર્થ સકળ-વિમળ (સર્વથા નિર્મળ ) કેવળજ્ઞાન રૂપે અવસ્થિત થવાથી આત્મા નિર્મૂઢ છે.” જગતના જીવો સમજી શકતા નથી તેથી હવે કેવળજ્ઞાનનું સ્વરૂપ કહે છે. લોકલોકના પદાર્થોને ભૂત, ભવિષ્ય તેમજ વર્તમાનની પર્યાયને યુગપદ જાણે, (સ્થાવર જંગમ અર્થાત્ ) ચલ, અચલ પદાર્થને જાણે તેને કેવળજ્ઞાન કહેવામાં આવે છે. જે કેવળજ્ઞાનના સ્વરૂપથી વિમૂઢ થઈ ગયા છે તેવા અજ્ઞાની જીવોને આ કેવળજ્ઞાનનું સ્વરૂપ વ્યવહાર સાપેક્ષથી સમજાવવામાં આવે છે. પરંતુ ખરેખર એમ નથી. “કેવળ નિજ સ્વભાવનું અખંડવર્તે જ્ઞાન'. કેવળી તેને કહીએ કે-કેવળજ્ઞાન વડે સતત અર્થાત્ ધારાવાહી ઉપયોગમાં ઉપયોગાત્મકપણે આત્માને જાણ્યા Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy