________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંતઃતત્ત્વ
૧૩૯
ભાવભાસનનો અભાવ થઈ અને પ્રત્યક્ષ અવભાસન-અનુભવ થાય એવો આ અધિકાર છે. તે અનુભવને આપે અને અનુભવને લાવે તેવો આ અધિકાર છે. શુદ્ધભાવની ભાવના કરનારને પરિણતીમાં અનુભૂતિ થયા વિના રહેતી નથી. આ આચાર્યદેવ તો મોક્ષની પ્રગટતા માટે શુદ્ધભાવની ભાવના કરે છે. સમકિતી ચારિત્ર માટે શુદ્ધભાવને ભાવે છે અને મિથ્યાર્દષ્ટિ સમ્યગ્દર્શનને માટે શુદ્ધાત્માની ભાવના ભાવે છે. મિથ્યાર્દષ્ટિ પણ સમ્યગ્દર્શનની ભાવના ભાવતા નથી. મિથ્યાર્દષ્ટિ પણ શુદ્ધાત્માની ભાવના ભાવે છે. આવી ભાવનામાં ને ભાવનામાં નિર્વિકલ્પ ધ્યાનસ્થ અવસ્થા પ્રગટ થતાં સહજ સમ્યગ્દર્શન થઈ જાય છે. નિશ્ચય મોક્ષમાર્ગરૂપે પરિણમે ત્યારે તેને ઉપચારથી કર્તાપણ કહેવામાં આવે છે. આ અધિકાર બહુ ઊંચો છે. જેટલું આમાંથી કાઢે એટલું ઓછું લાગે. ભાવો બ્રહ્માંડના ભર્યા છે. આ તો બધા અનાદિના ઝેર ઉતારનારા ગૂઢમંત્રો છે. આ બધા મંત્રો સર્વજ્ઞ કથિત છે. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં આવેલી આ વાત છે. અને સંતોએ અનુભવીને આ શાસ્ત્ર લખ્યાં છે.
૫૨મ ધર્મોના એટલે ૫૨મગુણોના.., આ ગુણોની વાત છે એટલે ૫૨મ વિશેષણ મૂક્યું. આહા ! શુદ્ધાત્મા અને ગુણો પરમભાવે છે, બાકી બધા અપરમભાવે છે. આ ચારેય ભાવો પૂજનિક નથી એટલે આશ્રય કરવા યોગ્ય નથી. પરમધર્મોના બહુ વચન છે ને ! ? ૫૨મ ધર્મોના સહજજ્ઞાન, દર્શન વિગેરે વિગેરેના ધર્મોનો આધારભૂત. આહાહા ! આ બધા ધર્મોનો આધારભૂત એટલે બધા ગુણોનો આધાર નિશ્ચયનયે ૫૨માત્મદ્રવ્ય છે. હવે જે કેવળજ્ઞાનની પર્યાયને આત્મા આધાર થાય છે તે શુદ્ધ સદ્ભૂત વ્યવહા૨નયે છેનિશ્ચયનયે નથી. એ બે વાત નિર્મૂઢના બોલમાં કહેશે. નિર્મૂઢનો બોલ બહુ સારો છે.
એક વાત દ્રવ્યનું વિશેષણ નિર્મૂઢતા તે કહેશે. બીજીવાત કેવળજ્ઞાનની પર્યાય જે પ્રગટ થઈ તે નિર્મૂઢ અવસ્થા છે તેમ કહેશે. આ “૫૨મધર્મોના આધારભૂત નિજ ૫૨મ તત્ત્વને ” આહા ! આ ગુણોનો આધાર ગુણી છે. ગુણોનો આધાર ગુણી છે તેમ ભેદ કરીને સમજાવે છે. આ આધાર અને આ આધેય તેવો ભેદપણ જ્યાં દેખાતો નથી. દ્રવ્ય આધા૨ છે અને તે ગુણને આધાર આપે છે. ગુણ ગુણીમાં રહેલા છે. તે પણ સમજાવવાની એક પ્રકારની પદ્ધતિ છે. બાકી અભેદ વસ્તુમાં ગુણ અને ગુણી વચ્ચે આધાર-આધેય સંબંધનો પણ પરમાર્થે અભાવ છે.
૫૨મ ધર્મોના એટલે ૫૨મ ગુણોના આધા૨ભૂત નિજ ૫૨મ તત્ત્વને એટલે કે-આ ગુણો મારા આધારે રહેલા છે. નિજ પરમ તત્ત્વને આધારે મારા ગુણો રહેલા છે. મારા ગુણો છે તે ગુણની પર્યાયના આધારે નથી. રાગને આધારે નથી, નિમિત્તના આધારે નથી, પરંતુ મારા આધારે રહેલા છે.
શું કહ્યું ? જે આ ગુણો છે તે કેવળજ્ઞાનની પર્યાયના આધારે છે.. એમ નથી.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk