________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૮
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ અને મારી રાગની પર્યાયને પ્રદેશભેદ છે.. એમ નથી. મારે અને તારા વચ્ચે પ્રદેશભેદ છે. જેમ મારે અને આ ભીંતને પ્રદેશભેદ છે એમ મારે અને તારે એટલે રાગ વચ્ચે પ્રદેશભેદ છે-અત્યંત અભાવ છે.. એમ અહીંયા આચાર્ય ભગવાન ફરમાવે છે.
સહજજ્ઞાન, સહજદર્શન, સહજચારિત્ર એવા જે ગુણો છે એ ગુણની સાથે પારિણામિકભાવ થાય છે, અને કેવળજ્ઞાનની સાથે ક્ષાયિકભાવ વ્યાપ્ત છે. કેવળજ્ઞાનની પર્યાયની સાથે પારિણામિકભાવ વ્યાસ નથી. અને મારી સાથે ક્ષાયિકભાવ વ્યાપ્ત નથી. આ અધિકાર ઊંચા પ્રકારનો છે અને તે જીવનમાં સમજવા જેવો છે.
આહા ! સૌ પ્રથમ અભેદને સમજવો. અભેદને સમજ્યા પછી ભેદ તો સહજપણે સમજાય જશે. એને સમજવાનો પુરુષાર્થ કર્યા વિના સમજાય જશે. જ્યારે અભેદને સમજવા માટે પુરુષાર્થ કરવો પડશે. ભેદને સમજવા માટે જુદો પુરુષાર્થ હોતો નથી. પરંતુ અભેદને સમજવા માટે પુરુષાર્થ હોય છે.
પુરુષાર્થ એટલે શું? પુરુષાર્થ એટલે જેવો સ્વભાવ છે એવા સ્વભાવને લક્ષમાં લઈને પ્રતીતમાં લેવો, અને તે પ્રતીત અને જ્ઞાનને બળ આપે તેને પુરુષાર્થ કહેવામાં આવે છે. વીર્યગુણ એને કહેવાય કે જે શુદ્ધિની રચના કરે. તેને પુરુષાર્થ કહેવામાં આવે છે. અનંત વીર્યનો પિંડ તેવો પુરુષાર્થી ભગવાન આત્મા બિરાજમાન છે તે તો પુરુષાર્થનો પિંડ છે. બીજો એક પર્યાયનો પુરુષાર્થ છે.
આત્મા અનંતવીર્યનો પિંડ છે. અનંતવીર્યથી ભરેલો આત્મા છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસુખ, અને અનંતવીર્યથી ભરેલો પરમાત્મા છે. સહજ પરમ વીતરાગસુખ વગેરે બધા ગુણો તેમાં આવી ગયા. અનેક પરમ ધર્મો અર્થાત્ ગુણને ધર્મ કહેવામાં આવે છે. TTT: સ્વમાવી ભવન્તિ” ગુણને ગુણ પણ કહેવાય, ગુણને સ્વભાવ પણ કહેવાય અને ગુણને ધર્મ પણ કહેવાય.
તેવા અનેક પરમ ધર્મો.. આહા... હા ! ગુણ છે તે પરમ ધર્મ છે. કેવળજ્ઞાનની પર્યાય છે તે ધર્મ છે પરંતુ પરમધર્મ નથી. પરમ એટલે પૂજનિક. એક ગુણ છે તે પૂજનિક નથી પરંતુ અનંતગુણનો જે પિંડ છે તે પૂજનિક છે. તો અનંતગુણ પૂજનિક છે. ભેદ અપેક્ષાએ ગુણને પૂજનિક ઉપચારથી કહેવામાં આવે છે. બહુ ધ્યાન રાખીને સંભાળવા જેવું છે.
આ શુદ્ધભાવ અધિકાર ઊંચો છે હોં ! જો ઉપયોગ બીજે ગયો તો નહીં સમજાય. અને ઉપયોગમાં સમજવા જેટલું બળ અને એકાગ્રતા નહીં હોય તો પણ યથાર્થ નહીં સમજાય. ઉપયોગ બહાર જાય તો તો સમજાશે જ નહીં. જેટલી માત્રામાં આ શુદ્ધભાવને સમજવો જોઈએ તેટલી માત્રામાં તેનું વીર્ય કામ કરે અને ઉપયોગની એકાગ્રતા હોય તો તેને જેમ છે તેમ પ્રથમ અનુમાનમાં ભાવભાસન થાય. પછી તે અનુમાન નામના
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk