________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૩૭ નિર્દોષ છે. જેને આત્મા માનવો છે તારે એ આત્મા નિર્દોષ છે તેમ તું માન મારે નિર્દોષ થવું છે તે તારી દૃષ્ટિ પર્યાય ઉપર છે. આહા ! હું મિથ્યાષ્ટિ છું અને હવે મારે સમ્યગ્દર્શન પ્રગટ કરવું છે તો તારી દૃષ્ટિ પર્યાય ઉપર ગઈ. એ મિથ્યાત્વના પરિણામથી ભગવાન આત્મા રહિત છે. અંતઃ પરિગ્રહથી આભારહિત છે.
હવે નિર્મૂઢનો બોલ આવે છે. એ નિર્મૂઢના બોલમાં નિશ્ચય અને વ્યવહાર બન્ને ઉતારશે. “સહજ નિશ્ચયનયથી સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વીતરાગ સુખ વગેરે અનેક પરમ ધર્મોના આધારભૂત નિજ પરમાત્મ તત્વને જાણવામાં સમર્થ હોવાથી આત્મા નિર્મૂઢ છે. (મૂઢતા રહિત) છે;” અત્યાર સુધી તો બધા બોલમાં નિશ્ચય ઘુંટાવ્યું. હવે જે નિર્મૂઢનો બોલ આવે છે તેમાં નિશ્ચયથી નિર્મૂઢ છે... અને વ્યવહાર નિર્મૂઢ થાય છે. એ નિર્મૂઢનો બોલ દ્રવ્ય અને પર્યાય બન્નેના વિશેષણમાં લગાડશે.
નિર્મૂઢ પહેલો બોલ છે તેમાં દ્રવ્યનું વિશેષણ કહે છે. સહજ નિશ્ચયનયથી આહાહા ! સહજ નિશ્ચયનયથી એટલે અંતર્મુખજ્ઞાનથી, સ્વભાવની સમીપે જઈને જોવામાં આવે તો આત્મા અનાદિ અનંત નિર્મૂઢ છે. હવે નિર્મૂઢ કેમ છે તેનું કારણ કહે છે.
સહજ જ્ઞાન એટલે ત્રિકાળી ગુણ લેવો. કેવળજ્ઞાનનું લક્ષણ.. કેવળજ્ઞાનની પર્યાયનું લક્ષણ ક્ષાયિકભાવ છે. અને જે કેવળ.. માત્ર-ફક્ત સહજ જ્ઞાનગુણ છે તેનું લક્ષણ પારિણામિકભાવ છે. દ્રવ્યનું વિશેષણ સહજ જ્ઞાન છે. તે ગુણનું વિશેષણ છે. અને ગુણીનો એ અંશ છે. પણ તે ગુણી નથી. શું કહ્યું? સહજ જ્ઞાન તે ગુણી નથી... પરંતુ ગુણ છે. ગુણ છે પરંતુ તે સહજ છે. સહજ એટલે અકૃત્રિમ. અને કેવળજ્ઞાન તે કૃત્રિમ છે. કારણ કે તે નવી અવસ્થા છે, જે પહેલાં ન હતી અને પછી પ્રગટ થઈ છે. આ તો અનાદિ અનંત આત્માનો સહજ સિદ્ધ સ્વભાવ છે. અહીં સહજજ્ઞાનમાં ગુણની વાત છે.
હવે સહજ દર્શન એ પણ ત્રિકાળી ગુણ છે. સહજ ચારિત્ર એ પણ ત્રિકાળીગુણ છે. ચારિત્રની પર્યાયમાં જે યથાખ્યાત ચારિત્ર પ્રગટ થાય છે અને ક્ષયોપશમ ચારિત્ર પ્રગટ થાય છે ઉપશમ શ્રેણી વખતે જે ઉપશમ ચારિત્ર પ્રગટ થાય છે તેની વાત નથી. આતો ચારિત્ર નામનો આત્માનો ત્રિકાળી સહુજ ગુણ છે. તે નિત્ય નિરાવરણગુણ છે. અને એ ગુણપૂર્ણ છે. અને એ ગુણનું લક્ષણ પરમપરિણામિક છે. એક-એક ગુણમાં પારિણામિક ભાવની પરિણતી પૂજિત છે. પંચમભાવની પરિણતી થાય છે. એ ગુણ છે તે પારિણામિકભાવથી થાય છે અને ક્ષાયિકભાવથી વ્યાસ કેવળજ્ઞાન છે. તું શું ક્ષાયિકભાવથી વ્યાસ છો? હું તો પરમપારિણામિકભાવથી વ્યાપ્ત છું. અહીં તો હું અને તું ની વાત છે.
અરે ! મારે અને તારે પ્રદેશભેદ છે. એમ આવ્યું તું ને! તે ભાઈને બહુ પ્રમોદ આવ્યો કે-મારામાં અને તારામાં, મારા વચ્ચે અને તારા વચ્ચે પ્રદેશભેદ છે. મારા દ્રવ્યને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk