SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૩૬ પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ નથી. મળને ધોઉં એવો પણ મારો સ્વભાવ નથી. કેમકે મારે મળને ધોવા માટે પણ મળની સન્મુખ થાવું પડે. આહી.. હા ! હું મારાથી જરા પણ વિમુખ ત્રણકાળમાં એક સમયમાત્ર થતો નથી. આહા ! પરદ્રવ્યનું તો અવલંબન નથી પરંતુ પર્યાયનું પણ મને અવલંબન નથી. તેથી હું નિરાલંબી તત્ત્વ છું. આહા ! સમ્યગ્દર્શનનું અવલંબન મને નથી. સમ્યગ્દર્શનને મારું અવલંબન છે પરંતુ હું નિરાલંબી તત્ત્વ છું તો હું કોનું અવલંબન લઉં? હું તો પૂર્ણ પરમાત્મા છું. અપૂર્ણ પૂર્ણનું અવલંબન લ્ય છે પરંતુ પૂર્ણ અપૂર્ણનું, નિત્ય અનિત્યનું, શરણ લે તેમ ત્રણકાળમાં બનતું નથી. સમસ્ત પાપમળ કલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજ-પરમ વીતરાગ-સુખ સમુદ્રમાં મગ્ન (ડૂબેલી-લીન) પ્રગટ સહજ અવસ્થા સ્વરૂપ જે સહજ જ્ઞાનશરીર તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે.” આહા ! આવો ત્રિકાળ સ્વભાવ છે. આત્માનો કે જે વીતરાગ સુખમાં ડૂબેલો આત્મા છે. અથવા આત્મામાં પરિપૂર્ણ વીતરાગતાને સુખ ભરેલું છે. સહુજ અવસ્થા એટલે અકૃત્રિમ અવસ્થા છે, છે ને છે. પર્યાય નહીં, ઉત્પાદ-વ્યય નહીં. સહજ જ્ઞાન શરીર એટલે જ્ઞાન વિભુ આત્મા તે જ્ઞાનના શરીરથી બનેલો છે. તે નભમંડળની માફક અરૂપી છે. તે સહજ જ્ઞાન શરીર વડે પવિત્ર હોવાને લીધે, પવિત્ર થવાને લીધે તેમ નહીં. જો પવિત્ર થાય તો પહેલાં એમ આવી ગયું કે-આત્મા પહેલાં અપવિત્ર હતો. પરંતુ હું અપવિત્ર થાઉં તેમ તો અશકય છે. એ તારી પર્યાય દૃષ્ટિ, તારી દૃષ્ટિ અપવિત્ર ઉપર છે અને જે અપવિત્ર પરિણામ છે તેને તે આત્મા માની રહ્યા છો તેથી હું અપવિત્ર થયો એમ તને ભાસે છે. પણ હું અપવિત્ર થતો નથી. એવા પવિત્ર પરમાત્માની દૃષ્ટિ તને થઈ નથી ત્યાં સુધી હું અપવિત્ર આત્મા માની રહ્યો છે. આહા ! પવિત્ર પરમાત્માની સામે જો ! આ પરિણતી અપવિત્ર થઈ અને પછી પવિત્ર થઈ છે. આહા ! કપડાની અવસ્થા મલિન થઈ અને કપડાંની અવસ્થા સ્વચ્છ થઈ છે પરંતુ કપડું તો પ્રથમથી જ અનાદિ-અનંત સ્વચ્છ, નિર્મળ અને શુદ્ધ રહેલું છે. એ પાણીની અવસ્થા ગરમ થઈ અને પાણીની અવસ્થા ઠંડી થઈ છે. એ ગરમ વખતે અને ઠંડી અવસ્થા વખતે પર્યાયથી નિરપેક્ષ જે પાણીનું દળ છે એ તો શીતળ સ્વભાવથી ભરેલું છે. એ પાણીની ગરમ અવસ્થા તેના શીતળ સ્વભાવના ટકા ઘટાડી શકતી નથી. અને પાણીની જે પ્રગટ થયેલી શીતળ અવસ્થા તે શીતળ સ્વભાવને વધારી શકતી નથી. એ વધઘટ વિનાની વસ્તુ છે તે અનાદિ અનંત રહેલી છે. સહજ પરમ વીતરાગ સુખ સમુદ્રમાં મગ્ન પ્રગટ સહજ અવસ્થારૂપ જે સહજજ્ઞાન શરીર તેના વ.. અર્થાત્ પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે. આત્મા અનાદિ અનંત Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy