________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૪
પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ ભાવના આશ્રયથી મોક્ષ થાય છે.
આત્મા નિરાગ છે. મારો ભગવાન આત્મા અત્યારે નિરાગ છે. ક્રોધ, માન, માયા ને લોભ એવા જે પરિણામ પર્યાયમાં પ્રગટ થાય છે એમ જ્ઞાનમાં જણાય છે. એમ વ્યવહારજ્ઞાનથી જણાય છે. જ્યારે નિશ્ચયજ્ઞાનથી જુદું જણાય છે. વ્યવહારજ્ઞાનથી એટલે વ્યવહારનયની પ્રધાનતાથી પર્યાયથી સહિતપણું જણાય છે. પરંતુ નિશ્ચયજ્ઞાનથી હું જોઉં છું તો આ બધા પરિણામથી હું રહિત છું.
આ વિકારી પરિણામથી તો રહિત છું, પરંતુ સહજ અગુરુલઘુગુણના પરિણામ જે પ્રગટ થાય છે પદ્ગણ હાનિવૃદ્ધિરૂપ જે કેવળીગમ્ય છે અને આગમથી માનવા યોગ્ય છે. તેવા પરિણામથી પણ મારો આત્મા રહિત છે. ઉત્પાદ્ વ્યયથી સહિત હોવા છતાં ઉત્પા ભયથી રહિત તેવા ધ્રુવ પરમાત્માનું હું ધ્યાન કરું છું. હે ભવ્ય આત્માઓ! તમારો આત્મા ઉત્પાદ–વ્યયથી કથંચિત્ સહિત હોવા છતાં કથંચિત્ ઉત્પાદ–વ્યયથી રહિત છે. આવા શુદ્ધાત્માની તમે ભાવના ભાવોતો તમારી દશામાં સમ્યગ્દર્શન આદિ ની નિધિ પ્રગટ થશે.
હું નિરાગી છું મારામાં રાગ થયો નથી, મારામાં દુઃખ નથી, હર્ષ નથી શોક નથી એ વિનાની વસ્તુ છે.
“નિશ્ચયથી પાપ મળકલંકરૂપી કાદવને ધોઈ નાખવામાં સમર્થ, સહજપરમ વીતરાગ-સુખ સમુદ્રમાં મગ્ન ( ડૂબેલી બીજી પ્રગટ સહજ અવસ્થારૂપ જે સહજજ્ઞાન શરીરી તેના વડે પવિત્ર હોવાને લીધે આત્મા નિર્દોષ છે.” | મારો આત્મા વર્તમાનમાં નિર્દોષ છે, મારે નિર્દોષ થવું નથી. હું તો નિર્દોષ છું. આહી... હા! જરા આગળ આવો ! વધારે આગળ આવો.. બે, પાંચ, દસ માણસની જગ્યા થઈ જશે. આજ રવિવારના હિસાબે સંકડાશ બહુ લાગે છે. રવિવારે ટાઈમ મળે છે, બાકી તો ઓછો ટાઈમ મળે છે. મળે નહીં એમ નહીં પરંતુ ઓછો મળે.
આ શુદ્ધાત્માની ભાવના માટે તો ટાઈમ મળતો નથી. પરંતુ શુદ્ધભાવની વાર્તા સાંભળવા માટે પણ ટાઈમ મળતો નથી. તે શુદ્ધાત્માની વાર્તા સાંભળવા ટાઈમ કાઢતો નથી.. અને તેને શુદ્ધાત્માની પ્રાપ્તિ કરવી છે. કેમકે શુદ્ધાત્માની વાર્તા સાંભળવા માટે ટાઈમ કાઢે તો એક દિ', બે દિ', ચાર દિવસ સોનગઢ જવું પડે ને તો તેનાં વેપાર ધંધાને ધક્કો લાગે ! અરેરે ! તું શુદ્ધાત્માની ભાવનાથી રહિત થઈ રહ્યો છે. તને કેવું નુકશાન થાય છે તે કેવળી પરમાત્મા જાણે છે તને કાંઈ ખબર પડતી નથી.
નિશ્ચયથી સમસ્ત પુણ્ય અને પાપ બન્ને મળ અને મેલ છે. જેમ શેવાળ છે તે પાણીનો મળ અને મેલ છે અને તે કલંકરૂપ છે. આહા ! એ પરિણતીમાં કલંક છે. એ કલંક પરિણતીને લાગે છે. પરંતુ હું તો નિષ્કલંક છું. આહા! પરિણતીને કલંક લાગી જાય છે અને તું તેને મારામાં ખતવી દે છે કે આત્મા કલંકિત થઈ ગયો, એ તારી મોટી ભ્રાંતિ
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk