SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૩૩ નથી. આ રીતે ધ્યેયપૂર્વક સ્વજ્ઞયની પરિણતી પ્રગટ થાય છે. સ્વય એટલે દ્રવ્ય પૂર્ણ અને પર્યાય પણ પૂર્ણ છે. તેને પૂર્ણ જ્ઞય કહેવામાં આવે છે. ધ્યેય તો પહેલા જ સમયે પુરું થઈ જાય છે (શ્રદ્ધામાં) અને જ્ઞયને પુરું થવા થોડો વખત લાગે છે. હવે આગળ. મિથ્યાત્વની વાત આવે છે. “મિથ્યાત્વ, વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ નામનાં ચૌદ અત્યંતર પરિગ્રહોનો અભાવ હોવાથી આત્મા નિરાગ છે.” અહીં ભાવ મિથ્યાત્વની વાત છે હોં ! આ દ્રવ્ય મિથ્યાત્વની વાત નથી. વેદ એટલે પણ ભાવવેદ લેવું. અભ્યતર એટલે આત્માની સાથે રહેલી પરિણતીપર્યાય તે સંયોગરૂપ છે, તે આત્માથી તાદાભ્યરૂપે થતી નથી. એવા જે અત્યંતર પરિગ્રહો તેનો અભાવ હોવાથી અભાવ થવાથી તેમ નથી લખ્યું. અભાવ હોવાથી, ત્રણેકાળ મિથ્યાત્વના પરિણામથી પરમાત્મા રહિત છે. જે કોઈ આત્મા આત્માને રાગથી સહિત માને છે તે અનંત સંસારનું બીજ છે. દયાના પરિણામથી હું વર્તમાનમાં સહિત છું, હું વર્તમાનમાં ક્રોધના પરિણામથી સહિત છું અને પ્રતિમાજીના દર્શન કરવાનો જે શુભરાગ થયો તેનાથી હું સહિત છું અને મેં શુભભાવ કર્યો એમ જે માને છે એવી માન્યતા એ જીવને અનંત સંસારનું કારણ થઈ જાય છે. એ પરમાત્મા ભાવ મિથ્યાત્વથી રહિત છે. દ્રવ્ય મિથ્યાત્વથી પૃથક છે. અને ભાવ મિથ્યાત્વથી રહિત છે. જ્ઞાયક ભાવ પ્રમત્ત-અપ્રમત્તથી રહિત છે. બીજા શબ્દથી કહે છે કે-ચૌદ પ્રકારના અંતરંગના પરિગ્રહથી ભિન્ન છે. તેને અંતરંગ પરિગ્રહ કેમ કહ્યું? જેમ અંતઃ શુદ્ધતત્ત્વ છે તેમ એક અંતઃ અશુદ્ધતત્ત્વ પણ છે. તેનાથી પરમાત્મા રહિત છે-મિથ્યાત્વથી રહિત છે. આ ચૌદ પરિગ્રહ કહ્યાં તે-વેદ, રાગ, દ્વેષ, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, ક્રોધ, માન, માયા અને લોભ એવા આ અભ્યતર પરિગ્રહનો આત્મામાં અભાવ હોવાથી આત્મા એટલે પરમાત્મા નિરાગ છે. નિજ પરમાત્મા નિરાગ છે. આત્મા રાગી થતો નથી, આત્મા ક્રોધી થતો નથી, આત્મા મિથ્યાષ્ટિ થઈ શકતો નથી. તારે મિથ્યાષ્ટિ થવું હોય ને તોપણ તું મિથ્યાષ્ટિ થઈ શકવાનો નથી.. મિથ્યાષ્ટિ થવું અશકય છે અને આત્માએ સમ્યગ્દષ્ટિ થવું હોય તો પણ આત્મા સમ્યગ્દષ્ટિ થઈ શકે નહીં. આત્મા નિજ પરમાત્મા પૂર્ણાનંદનો નાથ છે. તેતો બંધને મોક્ષથી રહિત છે જે મિથ્યાત્વને સમ્યગ્દર્શનથી રહિત છે તેવા નિજ શુદ્ધાત્માની હું ભાવના ભાવું છું. આચાર્ય મહારાજ કહે છે-જેની ભાવના હું ભાવું છું તું તેને ભજ. અરે! હું જેની ભક્તિ કરું છું તું તેની ભક્તિ કર. આ નિશ્ચય ભક્તિની વાત છે. વ્યવહાર ભક્તિ તો બંધનું કારણ છે. અને નિશ્ચયભક્તિ પરિણતી હોવાથી તે મોક્ષનું કારણ છે. એક અપેક્ષાએ તો પારિણામિક Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy