________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
IX
શુદ્ધ અંત:તત્ત્વ
૪) એ અસંખ્ય પ્રદેશમાં જેટલા ક્ષેત્રમાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલું ક્ષેત્ર; અને આ બાજુનું ક્ષેત્ર એનાથી દૂર છે. પર્યાયનું ક્ષેત્ર પણ દ્રવ્યના ક્ષેત્રથી ભિન્ન છે! આહા.. હા! ઝીણી વાત છે! પર્યાયનો કાળ-પરકાળ એ સ્વકાળથી ભિન્ન છે. પર્યાયનો ભાવ જ દ્રવ્યભાવથી ૫૨-ભિન્ન છે અને દ્રવ્યભાવ (પર્યાયભાવ થી ભિન્ન છે.) [શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં-૩૨ ] (૫) સમયસાર સંવર અધિકા૨માં લીધું છે ને! પુણ્ય-પાપના ભાવ છે એ ૫૨વસ્તુ છે, એ પરક્ષેત્ર અને પરભાવ છે, એનું પરક્ષેત્ર છે. જેટલામાં વિકલ્પ અવસ્થા ઉત્પન્ન થાય છે એ પર્યાય છે તો અસંખ્યપ્રદેશી પણ એ અસંખ્ય પ્રદેશમાં જેટલામાંછેલ્લા અંશમાં વિકૃત કે અવિકૃત-નિર્વિકારી અવસ્થા ઉત્પન્ન થાય છે–એ બેયનું ક્ષેત્ર ભિન્ન છે. આહાહા ! સમજાય છે કાંઈ ?
[શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં-૩૨] ઊ આહાહા ! આવી વાત છે, પ્રભુ ! કેટલો દૂર છે ? એ તો કાલે આવી ગયું હતું ભાઈ ! એક સમયની પર્યાય અને ધ્રુવ છે તો સમીપ. એના અસંખ્ય પ્રદેશમાં જેટલા પ્રદેશમાંથી પર્યાય ઊઠે છે તેટલું ક્ષેત્ર અને તેટલો ભાવ; અને ધ્રુવ ક્ષેત્ર અને ધ્રુવક્ષેત્રનો ભાવ-તે બન્ને ભિન્ન-ભિન્ન છે. તો એના બે અર્થ લેવાઃ એક તો ત્રિકાળીમાં કામ (કાર્ય) છે જ નહીં. એ ‘સાર’ તત્ત્વમાં કામ છે જ નહીં. બીજી રીતે-એ ત્રિકાળી ભગવાન આનંદકંદ પ્રભુ ! નિત્યાનંદ ધ્રુવ; એના આશ્રયથી સંસાર અર્થાત્ કામનો-કામની વાસનાનો-નાશ થાય છે. આહા... હા! પહેલી સમ્યગ્દર્શનની ભૂમિકા કોઈ અલૌકિક છે.
[ શ્રી પ્રવચન નવનીત ભાગ-૨ પેઈજ નં. ૩૫ ] (૭) અહીં પરમાત્મા જિનેન્દ્રદેવ, સંતો આડતિયા થઈને વીતરાગની વાત જગતને જાહેર કરે છે કે–તારી જે નિર્મળ પર્યાય સમ્યગ્દર્શન આદિ થાય તે, જે દ્રવ્ય વસ્તુ સામાન્ય છે તેને અડતી નથી. આહાહા ! એ પર્યાય દ્રવ્યની ઉપ૨ ઉપર તરે છે.
જેમ પાણીમાં તેલનાં ટીપા ઉ૫૨-ઉપર તરે અંદર ન પેસે. આહાહા...! તેલનાં ટીપા એ ઉપ૨ ઉપર તરે છે (પરંતુ ) અંદર પાણીના દળમાં પેસતા નથી. [ શ્રી પ્રવચન નવનીત ભાગ-૩ પેઈજ નં. ૧૧૮ ] (૮) સવારમાં તો આવ્યું હતું ને ! પર્યાયની વાત તો ઘણી આવી હતી. પર્યાયનું કર્તાપણું જ્ઞાનીને નથી. પર્યાયનું ક્ષેત્ર જુદું છે એમ કહ્યું. ત્યાં તો એમ કહ્યું કે-જે રાગની પર્યાય થાય તેના કર્તાપણાનો નય છે. જ્ઞાનની અપેક્ષાએ પણ જે રાગ છે એનું ક્ષેત્ર જુદું છે, અને ગુણનું ક્ષેત્ર જુદું છે. અરે ! એ તો ઠીક પણ જે સમ્યગ્દર્શનની-દૃષ્ટિની પર્યાય નિર્મળ થઈ સમ્યગ્દર્શનની અને સ્વરૂપમાં સ્થિરતાની ચારિત્રની દશા થઈ.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk