________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
VIII
ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનું અવલંબન લ્યે છે ત્યારેજે દ્રવ્યનું ક્ષેત્ર છે તે જ જો પર્યાયનું પણ ક્ષેત્ર હોય.. અર્થાત્ બન્નેનું ક્ષેત્ર એક જ હોય તો દ્રવ્યનું અવલંબન લેતાં પર્યાયનું અવલંબન આવી જાય છે. તેથી અનુભવથી સિદ્ધ થાય છે કે પર્યાય અભૂતાર્થ હોવાથી. તેનું ક્ષેત્ર ભિન્ન હોવાથી પર્યાયનું અવલંબન આવતું નથી. માટે અનુભવથી જ આ વાત સિદ્ધ થાય છે કે–દ્રવ્ય પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે.
૧) ચિદ્વિલાસમાં કહ્યું છે કે-નિશ્ચયથી તો પર્યાયનું દ્રવ્ય ભિન્ન, ક્ષેત્રભિન્ન, કાળ ભિન્ન, ભાવ ભિન્ન. શું કહ્યું ? આહાહા ! અહીં વિકારી પર્યાયની તો વાત જ નથી. અને શ૨ી૨વાણીની ક્રિયા આત્માની એ વાત પણ અહીં નથી, એ ક્રિયા તો જડની છે. પણ ભગવાન આત્માની જે મોક્ષમાર્ગની પર્યાય, જે અંદર થઈ છે, એ પર્યાયને કથંચિત્ ભિન્ન કહી. કેમકે, પર્યાય છે તે એક અંશ છે.
અહીં ચિવિલાસમાં દ્રવ્ય તે અંશી (અને બાકીનો અંશ) તે ભિન્ન (કહ્યું. ) દ્રવ્ય અર્થાત્ ત્રિકાળી વસ્તુ છે તેનાથી પર્યાય ભિન્ન છે. જેટલામાંથી પર્યાય ઉત્પન્ન થાય છે એટલા પ્રદેશ ભિન્ન છે. દ્રવ્યના પ્રદેશથી એ ( પર્યાયના ) પ્રદેશનો અંશ ભિન્ન છે. છે તો અસંખ્ય પ્રદેશ પણ અસંખ્ય પ્રદેશમાંથી બે પ્રકાર: જેટલામાંથી મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન થઈ છે તે ક્ષેત્ર ભિન્ન છે, અને જેટલામાં ધ્રુવ રહે છે તે ક્ષેત્ર ભિન્ન છે.
[ શ્રી પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૨૮૩] ૨) શ્રી નિયમસારમાં પર્યાયને પરદ્રવ્ય કહ્યું છે. દ્રવ્ય જે વસ્તુ છે તેનાથી એ પર્યાયનું ક્ષેત્ર ભિન્ન છે, અને પર્યાયનો કાળ ભિન્ન છે.. ( પર્યાય એક સમયની અને વસ્તુ ત્રિકાળ. ) અને પર્યાયનો ભાવ ભિન્ન છે (દ્રવ્ય સ્વભાવ કરતાં પર્યાયનો ભાવ ભિન્ન છે.)
શ્રોતા:- સ્વભાવ પણ ભિન્ન ?
ઉત્તર:- ત્રિકાળી વસ્તુથી પર્યાય ભિન્ન છે. શુદ્ધ પર્યાય ભિન્ન છે. જો બે એક થઈ જાય તો ! એટલે કે-પર્યાય અંશમાં દ્રવ્ય આવી જાય તો તે દ્રવ્ય ‘ અંશ ’ થઈ જાય, અને પર્યાય દ્રવ્યમાં આવી જાય તો, પર્યાય દ્રવ્ય થઈ જાય. પણ એમ કદી બનતું નથી. [ શ્રી પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૨૮૩] (૩) જો આ મોક્ષમાર્ગની પર્યાય આત્માથી સર્વથા અભિન્ન હોય તો જ્યારે મોક્ષ થશે ત્યારે એ પર્યાયનો તો નાશ થશે, તો અવિનાશી આત્મદ્રવ્યનો પણ નાશ થશે. અહીં તો પ્રદેશની અપેક્ષા લઈને (પર્યાયને ) ‘ કથંચિત્ ભિન્ન ’ કહી કે પોતાના પ્રદેશમાં છે ને ! એ અપેક્ષા રાખી છે. નહીંતર તો પ્રદેશેય ખરેખર ભિન્ન છે.
[ શ્રી પ્રવચન નવનીત ભાગ-૧ પેઈજ નં. ૩૦૭ ]
Please inform us of any errors on rajesh.shah@fotalise.co.uk