________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૩૧
શુદ્ધ અંત:તત્ત્વ ગયું છે તેમ આ નિજ શુદ્ધ પરમાત્માને તેને કોઈનું અવલંબન નથી. અનાદિ અનંત જીવ સિદ્ધ સમાન સ્વતઃ સિદ્ધ છે. સ્વતઃ સિદ્ધ છે તેવો નિજ પરમાત્મા નિરાલંબી તત્ત્વ છે. હવે હું નિરાલંબી તત્ત્વના શરણમાં જાઉં છું.. એમ પરિણતી કહે છે.
તે કહે છે-મને પરદ્રવ્યનું અવલંબન લેતા અનંતકાળ વીત્યો. સ્વદ્રવ્ય એવો આત્મા નિરાલંબીતત્ત્વ છે એવું મેં સાંભળ્યું પણ ન હતું અને તેવું વિચાર્યું પણ ન હતું અને તેવું જાણ્યું પણ ન હતું. આજે શ્રીગુરુ પાસેથી સાંભળ્યું કે-આત્મા નિરાલંબી છે. પરનું અવલંબન લેવાવાળો આત્મા નથી. પરિણતી પરદ્રવ્યનું અવલંબન ત્યે છે તો વ્યવહારનયથી–ઉપચારથી એમ કહેવાય છે કે-અનાદિકાળથી આત્માએ પરદ્રવ્યનું અવલંબન લીધું હતું. હે... આત્મા ! હવે પરદ્રવ્યનું અવલંબન છોડ! એમ પર્યાયનો ઉપચાર આત્મા ઉપર આપીને વ્યવહારનય અન્યથા કથન કરે છે. આત્માએ એક સમયમાત્ર પદ્રવ્યનું અવલંબન લીધું નથી. કર્મનું અવલંબન એક સમયમાત્ર લીધું નથી. દર્શનમોહનું અવલંબન એક સમયમાત્ર ભગવાને લીધું નથી. કોઈ કર્મનું, નોકર્મનું કે ભાવકર્મનું અવલંબન લે તેવો નિજ પરમાત્માનો સ્વભાવ જ નથી. એતો સ્વભાવથી જ નિરાલંબી છે તેથી તેને કોઈનું અવલંબન નથી. વસ્તુ આલંબન રહિત છે.
પરદ્રવ્યના આલંબન રહિત એવો નિજ પરમાત્મદ્રવ્ય હોવાથી પરનું અવલંબન નહીં હોવાથી આત્મા એટલે પરમાત્મા, પરમાત્મા એટલે નિજ પરમાત્મા. શું કહ્યું? આત્મા એટલે પરમાત્મા અને પરમાત્મા એટલે નિજ પરમાત્મા જે નિરાલંબ છે. નિરાલંબી આત્માએ કોઈ દિવસ દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન નથી લીધું. દેશનાલબ્ધિનું અવલંબન આત્માને ન હોય. તીર્થંકર પરમાત્માનું અવલંબન આત્માને ન હોય. એ તીર્થકર પરમાત્માનું જે અવલંબન લેવા જાય છે તે પરિણતી લેવા જાય છે. એ પરદ્રવ્યનું અવલંબન લેતાં તે પરિણતી દુઃખી થાય છે. પરંતુ હું દુઃખી થતો નથી. એ પરિણતી દુઃખને કરે છે અને દુ:ખને ભોગવે છે. જે પરનું આલંબન ત્યે તે દુઃખી થાય, એ પરિણતી પણ ક્ષણમાત્ર તે સમય પુરતી તે દુઃખને કરે છે અને તે સમયે ભોગવે છે.
જે સમયે પરિણતી કર્તા થઈને એ દુ:ખને કર્મ બનાવીને દુઃખને વેદે છે. તે પણ એક સમયમાત્ર છે. પરદ્રવ્યનું અવલંબન લઈને પરિણતી દુઃખી થાવ તો થાવ! હવે એ પરિણતી જ્યારે દુઃખથી થાકે છે ત્યારે તે પરદ્રવ્યનું અવલંબન છોડે છે. અને તે મારું અવલંબન લે છે. જે નિરાલંબી તત્ત્વ છે તેનું અવલંબન પરિણતી લ્ય છે.. ત્યારે પરિણતીમાં સુખ પ્રગટ થાય છે. ત્યારે એ પરિણતી સુખને ઉત્પન્ન કરે છે અને સુખને ભોગવે છે. હું એ સુખની પરિણતિનો કર્તા પણ નથી અને ભોક્તા પણ નથી. કેમકે હું નિરાલંબી તત્ત્વ છું તેથી શુદ્ધ પરિણતીનું પણ અવલંબન મને આવે એવો મારો સ્વભાવ નથી. કેવળજ્ઞાનનું અવલંબન હું લઉં એવો મારો સ્વભાવ નથી. હું તો નિરાલંબી તત્ત્વ છું.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk