SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૩૦ પ્રવચન નં:- ૮ ગાથા-૪૩ તારા શરણમાં આવતાં મને સુખ પ્રગટ થયું છે.. તેથી અમે સજ્જન છીએ.. તેમ પરિણતી કહે છે. અમે સજ્જન છીએ કે–તારું અવલંબન લેતાં દુ:ખ ટળ્યું અને સુખ પ્રગટ થયું. એટલે તારો અનંતો ઉપકાર આજે મારા ઉપર થયો છે. નિશ્ચયથી તો તારો ઉપકાર છે, પરંતુ વ્યવહારનયે સર્વજ્ઞ પરમાત્માઓ, પંચપરમેષ્ઠીઓથી માંડીને મારા ગુરુપર્યંત ધમાત્માઓ એ મને તારું સ્વરૂપ સંભળાવ્યું અને મેં પણ તારા સ્વરૂપની વાર્તા સાંભળી. આમ સજ્જન પરિણતી કહે છે. શુદ્ધ પરિણતી સજ્જન છે. લૌકિક સજ્જનતાની વાત પણ અત્યારે મોટે ભાગે મરી પરવારી છે. લૌકિક સજ્જનતા પણ ઘટતી જાય છે. આતો લોકોત્તર સજ્જનતાની વાત ચાલે છે. તારું શરણ મેં લીધું, તારું અવલંબન મેં લીધું અને તેં મને અવલંબન દીધું એવું તારામાં નથી. પરંતુ મેં તારું અવલંબન લીધું એમ મારામાં મને જણાય છે. એટલે હૈ! નિરાલંબી પરમાત્મા તારો જેટલો ઉપકાર માનું તેટલો ઓછો છે. આમ નિરાલંબીતત્ત્વની સન્મુખ થઈને પરિણતી કહે છે. નિશ્ચયથી તો તારો ઉપકાર છે... એમ તું તો નિરાલંબન છો. પણ પદ્રવ્યનું અવલંબન કરતી પરિણતીમાં કાંઈ દેખાતું નહોતું. હવે જ્યારે સાંભળ્યું કે૫રદ્રવ્યની દેશનાલબ્ધિ પણ ૫૨ દ્રવ્ય છે. હવે તેનું અવલંબન છોડ! આત્મા નિરાલંબી તત્ત્વ છે. હું તો અનાદિથી પર્યાયને જ આત્મા માનતી હતી... કે-આ પર્યાય છે તેટલો જ આત્મા છે. પરંતુ પર્યાયથી ભિન્ન પરમાત્મા નિરાલંબી તત્ત્વ રહેલું છે. પર્યાય પરદ્રવ્યનું અવલંબન લ્યે છે અને પરદ્રવ્યનું અવલંબન છોડે છે. જ્યારે ૫૨માત્મા નિરાલંબી છે તેણે કોઈનું અવલંબન લીધું જ નથી એવા આત્માનું અવલંબન લેતાં પરિણતી શુદ્ધ થાય છે. આ રીતે મેં મારા શ્રીગુરુ પાસેથી સાંભળ્યું છે તેથી શ્રીગુરુ પણ વ્યવહારે ઉપકારી છે. કેમકે સજ્જન છે તે વ્યવહારને ઓળવતો નથી. હવે પરિણતી તેનાથી આગળ જાય છે. હૈ!નિરાલંબી પરમાત્મા ! મેં તારું અવલંબન લીધું માટે હું શુદ્ધ થઈ છું એમ પણ ખરેખર નથી. હું મારા સ્વકાળે શુદ્ધ થઈ છું... ત્યારે મારું મુખ તારી સન્મુખ છે... એટલે તારા અવલંબનથી શુદ્ધતા પ્રગટ થઈ એવો વ્યવહા૨ીજનોનો ઉપચાર આવે છે. કેમકે અમે વ્યવહારીજન છીએ તેમ પરિણતી કહે છે. અમે વ્યવહારીજન છીએ એટલે તારો ઉપકાર માન્યા વિના રહી શકાતું નથી. આ ભગવાન આત્મા નિરાલંબી તત્ત્વ છે તે એક બોલ જો વણાય જાય, તે સ્વરૂપજ્ઞાનમાં ખોડાઈ જાય તો તેને અલ્પકાળમાં સમ્યગ્દર્શન થયા વિના રહેશે નહીં... તેવો ઊંચામાં ઊંચો આ બોલ છે. આત્મા કોનું અવલંબન લ્યે ! ૫૨માત્મા કોનું અવલંબન લ્યે ! ચક્રવર્તી કોનું અવલંબન લ્યું ! આહા ! આ જે સિદ્ધ પ૨માત્મા છે તે બીજાનું અવલંબન લ્યે ! તો પછી આ સ્વતઃ સિદ્ધ પરમાત્મા તે બીજાનું અવલંબન લ્યે ! જેમ સિદ્ધ ૫૨માત્માને બીજું અવલંબન છૂટી Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy