SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૨૯ નિશ્ચયથી પરમાત્માને ” યા પરમાત્માની વાત ચાલે છે? આ નિજ પરમાત્મ સ્વભાવ છે. પરમ આત્મા છે. આત્મા તો છે પરંતુ પરમ આત્મા છે. પરમ આત્મા એટલા માટે છે કે મારો આત્મા મારી પરિણતીને પૂજનિક થયો છે. મારી પરિણતી ઉત્પન્ન થાય તેને મારો આત્મા જ પરમ પૂજનિક થાય છે. તેથી હું પરમ આત્મા છું. હું દ્રવ્ય સ્વભાવે પરમ આત્મા છું અને દ્રવ્ય પરમ આત્મા હોવાથી પરિણતી પરદ્રવ્યનું અવલંબન લેતી નથી. એ નિરાલંબી તત્ત્વનું અવલંબન લેતાં પર્યાય પણ પરમાત્મ સ્વરૂપે પ્રગટ થાય છે. નિશ્ચયથી પરમાત્માને એટલે મને પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી હું પરદ્રવ્યનો આશ્રય કરતો નથી. આત્મા એટલે પરમાત્મા પરદ્રવ્ય એવા દેવ-ગુરુ-શાસ્ત્રનું અવલંબન લેતો નથી. આત્મા નિમિત્તનું તો અવલંબન નથી લેતો, કુદેવ-કુગુરુ-કુશાસ્ત્રનું તો લેતો જ નથી પરંતુ સાચા દેવ-ગુરુ-શાસ્ત્રનું પણ અવલંબન ત્યે તેવો નિરાલંબી તત્ત્વનો સ્વભાવ નથી. નિજ પરમાત્મ દ્રવ્યને એ પરદ્રવ્યનું અવલંબન નહીં હોવાથી, આશ્રય નહીં હોવાથી, પરદ્રવ્યની સન્મુખતા નહીં હોવાથી, આત્મા ભૂતકાળમાં પરદ્રવ્યની સન્મુખ થયો જ નથી, વર્તમાનકાળમાં પરદ્રવ્યની સન્મુખ થતો નથી. ભાવિ કોઈપણ કાળે એ પરમાત્મા નિરાલંબી તત્ત્વ હોવાથી પરદ્રવ્યનું અવલંબન લઈ શકતો નથી. નિરાલંબી આત્મા પરદ્રવ્યનું અવલંબન લે તેવું મારા સ્વભાવમાં નથી. કેમકે હું પોતે સહજ સ્વભાવે નિરાલંબ છું. પરદ્રવ્યનું અવલંબન લેવું અને પછી પરદ્રવ્યનું અવલંબન છોડવું, પરદ્રવ્યનો આશ્રય કરવો અને પછી પરદ્રવ્યનો આશ્રય છોડવો તે મારું કામ નથી. કેમકે હું તો સ્વભાવથી જ નિરાલંબ છું. પરદ્રવ્યનું અવલંબન લઉં તેવો મારો નિજ પરમાત્મદ્રવ્યનો સ્વભાવ નથી. પરિણામ પરદ્રવ્યનું અવલંબન લ્ય છે અને પરિણામ પરદ્રવ્યનું અવલંબન છોડે છે. પર્યાય પરદ્રવ્યનું અવલંબન છોડીને એ પરિણતી મારું અવલંબન લ્ય છે. પરિણતી જ્યારે નિરાલંબી તત્ત્વનું અવલંબન લ્ય છે ત્યારે પરિણતીમાંથી દુઃખનો અભાવ થાય છે. એ પરિણતીમાં જે સુખ પ્રગટે છે તે તેને ભોગવે છે. નિરાલંબી તત્ત્વ તે પરિણતીનો કર્તા પણ નથી અને તે સુખની પરિણતીનો ભોક્તા પણ નથી. શાસ્ત્રનું વચન છે કે-લાયક જીવો ઉપકારને ઓળંગતા નથી. સજ્જનો ઉપકારને ઓળંગતા નથી. એ લૌકિક વાત છે. આ લોકોત્તર પરિણતી અર્થાત્ શુદ્ધ પરિણતી એમ કહે છે કે હે! નિરાલંબી તત્ત્વ! મેં પરદ્રવ્યનું શરણ-આશ્રયને અવલંબન છોડયું અને મેં તારું અવલંબન લીધું ત્યારે મારી દશામાં સુખની પ્રગટતા થઈ. એટલે હું તારો ઉપકાર માનું છું. છે. નિરાલંબી પ્રભુ ! વિભુ!હે ! નિરાલંબી નિર્વિકલ્પ તત્ત્વ! હે ! નિરાલંબી શુદ્ધ જીવાસ્તિકાય!હે.. નિરાલંબી પરમાત્મા ! હે ! કારણ પરમાત્મા ! તારું અવલંબન લેતાં, Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy