________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૨૬
પ્રવચન નં:- ૭ ગાથા-૪૩ અપરિણામી પરદ્રવ્યને અવલંબી શકે નહીં. જીવને પરદ્રવ્યનો આશ્રય છે નહીં. અવલંબન કહો કે આશ્રય કહો એક જ છે. કાલે આ ભાઈ કહે-તમારે કયાં લઈ જવા છે? આત્મામાં લઈ જવા માટેની વાત છે.
શ્રોતા:- આત્માને બહુ લડાવો છો !
ઉત્તરઃ- જીવનું આવું સ્વરૂપ છે તે વાત તેણે રુચિપૂર્વક ખરેખર સાંભળી નથી. નહીંતર “ભાવિ નિર્વાણ ભાજનમ્.” તે વ્યવહારનો પક્ષ રાખીને શુદ્ધાત્માની વાત સાંભળે છે. તેના માટે ગુરુદેવ દષ્ટાંત આપે છે.
બે ભમરા મિત્રો હતા. એક ફૂલ ઉપર જઈને પરાગ લે અને એક વિષ્ટા પર જાય અને ત્યાંથી પાછા ફરીને બન્ને ભેગાં થાય. બન્ને પોતપોતાના વખાણ કરે. વિષ્ટાવાળો કહે–આજ તો બહુ મજા આવી. પેલો ફૂલવાળો કહે મને બહુ મજા આવી. ફૂલ વાળા ભમરાને વિચાર આવ્યો કે-આ દરોજ વિઝા ઉપર જઈને બેસે છે તો આજે તેને હું ફૂલ ઉપર લઈ જાઉં. તે મિત્રને કહે–આજે તું મારી સાથે ચાલ ! વિષ્ટાવાળો ભમરો કહે–આજે નહીં, કાલે તમારી સાથે આવીશ.
બીજે દિવસે તે ગયો વિષ્ટા ઉપર અને ઝીણી બે ગોળી અંદર નાકમાં બરોબર ચડાવી. સરખાઈની ચડાવી કે ક્યાંય પડી ન જાય ! ઉડ તો પણ પડે નહીં તે રીતે ચડાવી. પછી બન્ને ગયા ફૂલના બગીચા ઉપર. અને ફૂલ ઉપર જઈને બેઠા. પેલો ફૂલવાળો ભમરો વિચારે છે-આજે તો તેને બરાબરની સરખી સુગંધ આવી હશે ! ? તેને દુર્ગધ છૂટી ગઈ હશે !. આજે તેને દુધનું વેદન નહીં હોય!
ફૂલવાળો ભમરો પૂછે છે-કેમ ભાઈ ! કેવી મજા આવી ? વિષ્ટાવાળો ભમરો કહેમને કાંઈ ફેર દેખાણો નહીં. અરે !! આ તું શું વાત કરે છે? આપણે બન્ને ફૂલ ઉપર બેઠા હતા. મેં જોયેલું કે તું ફૂલ ઉપર બેઠો હતો અને ફૂલની સુગંધ લેતો હતો. તારા શ્વાચ્છોશ્વાસ તો ચાલે છે ને ? તો પછી તને થયું શું? પછી કહેએલા તે નાકમાં તો કાંઈ નાખ્યું નથી ને? ભમરો કહે-બે ગોળી ચડાવીને આવ્યો હતો. તેથી મને ફૂલની સુગંધ આવી નહીં. એતો દષ્ટાંત થયો હવે સિદ્ધાંત.
તેમ તે તીર્થકરની સભામાં જાય છે, તે ગુરુદેવની સભામાં દેશનાલબ્ધિ સાંભળવા જાય છે. પણ તે ગોળી ચડાવીને જાય છે. તે વ્યવહારની ગોળી ચડાવીને નથી જતો પરંતુ તે વ્યવહારના પક્ષની ગોળી ચડાવીને જાય છે. આત્મા પરદ્રવ્યનો આશ્રય લ્ય છે, પરદ્રવ્યનો આશ્રય છોડે છે તેવું શાસ્ત્રમાં આવે છે તો તે કોના માટેની વાત છે? આ જે નિરાલંબન આત્મા કહે છે તે સાધક માટેની વાત છે? વ્યવહારનો પક્ષ રાખીને નિશ્ચયની વાત સાંભળનારા આત્માઓને નિશ્ચયનો પક્ષ આવશે નહીં. તેથી તે પક્ષીતિક્રાંત થતો નથી. આહા ! કયાંયને કયાંય ખૂણે ખાંચરે ભેદનો પક્ષ રહી જાય છે. વ્યવહારનય
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk