SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૨૪ પ્રવચન નં:- ૭ ગાથા-૪૩ “નિશ્ચયથી પરમ પદાર્થ સિવાયના સમસ્ત પદાર્થ સમૂહનો (આત્મામાં) અભાવ હોવાથી આત્મા નિકંદ છે. (દ્વૈત રહિત છે.)” નિશ્ચયથી પરમ પદાર્થ એટલે એક શુદ્ધાત્મા તે પરમ પદાર્થ છે. પહેલાં દ્રવ્યકર્મ અને ભાવકર્મ લીધું અને હવે નોકર્મ લીધું. જે છ દ્રવ્યનો સમૂહ છે તે નોકર્મમાં જાય છે. તે પદાર્થ સમૂહનો અભાવ હોવાથી આત્મા નિર્દદ છે. આત્માને દેહાદિનો સંબંધ થતો નથી. ભગવાન આત્મામાં ત્રણેકાળ પદ્રવ્યોનો અભાવ છે. પ્રશસ્ત અપ્રશસ્ત સમસ્ત મોહેં–રાગ-દ્વેષનો અભાવ હોવાથી.., ત્રણેકાળ આત્મામાં અભાવ છે. આહા! આ આત્માની ભાવના ભાવવા જેવી છે. આહા ! પ્રશસ્ત એટલે શુભ અને અપ્રશસ્ત એટલે અશુભ એવા સમસ્ત મોહ, રાગ, દ્વેષનો અભાવ હોવાથી.. , આત્મા નિર્મમ છે, અર્થાત્ મમતા રહિત છે. આત્મા દુઃખી થાય છે. આત્માને વર્તમાનમાં મમતા તો હોયને એ કયાં સમકિતી થયો છે ભાઈ ! સાંભળ બાપુ સાંભળ! આ શુદ્ધનયના વિષયભૂત દ્રવ્ય સ્વભાવની વાત ચાલે છે. અત્યારે અહીંયા પર્યાયની વાત ચાલતી નથી. જ્યારે પર્યાયમાં મમત્વના પરિણામ છે ત્યારે આત્મા નિર્મમત્વ છે. આ પર્યાયના મમત્વના નાશનો ઉપાય છે. શું કહ્યું? પર્યાયમાં મમત્વનો ભાવ છે. અજ્ઞાનીને. એ મમત્વના પરિણામ તે હું છું, તે હું છું-એવી જે રાગની, દ્વેષની, મોહની ભાવના ભાવે છે અર્થાત્ તેના પ્રત્યે મમતા છે. પર્યાય તે હું છું તે તેના પ્રત્યે મમતા કહેવાય. એ મમત્વના જે પરિણામ થાય છે તેનાથી રહિત હું નિર્મમ છું. હું મમતા રહિત છું. હું શુદ્ધ છું એવી જે ભાવના ભાવે છે તેને પર્યાયમાંથી મમતાનો નાશ થઈ જાય છે. આ પર્યાયમાં થતી મમતાના નાશનો ઉપાય છે. એ મમતા મારામાં ત્રણેકાળ ન હોવાના કારણે હું નિર્મમ આત્મા છું. એમ નિર્મમ આત્માને શ્રદ્ધા જ્ઞાનમાં લેતાં પર્યાયમાંથી મમતાનો નાશ થઈ જાય છે, અને વીતરાગી પરિણતી પ્રગટ થાય છે. નિશ્ચયથી ઔદારિક, વૈક્રિયિક, આહારક, તેજસ અને કાર્યણ નામના પાંચ શરીરોના સમૂહનો અભાવ હોવાથી આત્મા નિ:શરીર છે.” એ શું કહ્યું? અત્યારે મનુષ્યોને ત્રણ પ્રકારના શરીર હોય છે. (૧) તૈજસ (૨) કામણ (૩) ઔદારિક. એક ઔદારિક શરીર આ રોટલા-દાળ-ભાત-શાકથી થયેલા શરીરને ઔદારિક કહેવાય. અને આઠ પ્રકારના કર્મોનો જે સમૂહ છે તે કર્મોનું શરીર છે-તે જીવનું શરીર નથી. તેમને કાણ નામનું શરીર કહેવાય. એક તૈજસ નામનું સૂક્ષ્મ શરીર છે, એ પણ રજકણથી બનેલું છે, કે જેથી પરમાણુમાં ક્રાંતિ દેખાય. ક્રાંતિ એટલે તેજ દેખાય. તે તેજસ વર્ગણાથી બનેલું તૈજસ શરીર છે. એક આઠ કર્મોથી બનેલું કાર્મણ શરીર છે. અને રોટલા, દાળ, ભાત, શાકથી બનેલું ઔદારિક શરીર છે. તે ત્રણ પ્રકારના શરીર મનુષ્યોને હોય છે. અને એ જીવ કોઈ વખતે સાધુ થાય, Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy