SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૨૩ દે તો તારું કામ થશે. આ જિન ભગવાન મહાવીરનો ઉપદેશ છે. શુભભાવ કરવાનું કહેતેવો મહાવીરનો ઉપદેશ હોય શકે નહીં. કુંભારપણ કહે છે કે-પુણ્ય કરો તો ધર્મ થાય, અને ભગવાન મહાવીર અને મહાવીરના અનુયાયીઓ શુભભાવ કરવાથી ધર્મ થાય તેમ કહે ? તો તો કુંભાર અને ભગવાનમાં અને ભગવાનના અનુયાયીઓમાં કાંઈ ફેર નથી. તો તો એ બધા જ ભારની જાતના છે. ચોખ્ખી વાત છે હોં ! ૪૫-૪૫ વરસ થયા ને! આહા ! ગુરુદેવ તો એમ કહે છે કે-શુભભાવની રચના કરનારો નપુંસક છે. તે હીજડો-પાવૈયો છે. કુંભાર તો હજુ પણ સારો. ગુરુદેવ તો ભરસભામાં કહે. દશ-દશ હજારની મેદનીમાં આવી વાત કહેવાની કોની તાકાત છે? આવા શબ્દો કોણ કહી શકે ? પાછા શુભભાવની કર્તા બુદ્ધિવાળા જીવો સભામાં બેઠા છે. તેની કર્તબુદ્ધિ છોડાવવા માટે કહે છે, પરંતુ તેના પ્રત્યે દ્વેષ આવતો નથી. જ્ઞાનીને શુભરાગ પ્રત્યે દ્વેષ નથી કેમકે તેનું જ્ઞાન મધ્યસ્થ છે. સાધક શુભભાવ પ્રત્યે ઉદાસ છે તેથી શુભભાવ પ્રત્યે દ્વેષ આવતો નથી. તેમજ તેને ક્રોધ પ્રત્યે રાગ આવતો નથી. ક્રોધ આવે છે જે પાપનો ભાવ તેના પ્રત્યે દ્વષ નથી. ક્ષમાનો તેના અકાળે શુભભાવ આવે તો તેના પ્રત્યે દ્વેષ નથી. શુભભાવ આવે છે તે મહેમાન છે. કેમકે તે એક સમયની મુદત લઈને આવ્યો છે ને! શુભભાવને મારે ટાળવો છે. અરે ! ટળતો ભાવ ઉત્પન્ન થયો છે તે ટળે... ટળને ટળે જ. તેને ટાળવાનો ધર્મ પણ મારો નથી. અને તેનો ઉત્પાર્ક પણ હું નથી. અરે! વીતરાગભાવનો ઉત્પાર્ક હું નથી. તો આ રાગનો ઉત્પાર્ક તો કયાંથી હોઉં! આહા! આ ભગવાન મહાવીરનો ઉપદેશ છે કે-આત્મા અકારક અને અવેદક છે. આહા.. હા ! વિચાર તો એમ થાય છે કે-ઝાઝી ગાથાઓ થાય તો ઠીક, પરંતુ બહુ ઝાઝું ચાલતું નથી. આ ગાથામાં કહે છે કે-ખરેખર શુદ્ધાત્માને સમસ્ત વિભાવનો અભાવ છે. અભાવ છે.. અભાવ થતો નથી. મૂળમાં પહેલેથી અભાવ છે. આત્મા રાગના અભાવ સ્વભાવે રહેલો હોવાથી આત્માનું નામ અપોહક છે. મનદંડ, વચનદંડ અને કાયદંડને યોગ્ય દ્રવ્યકર્મો તથા ભાવકર્મોનો અભાવ હોવાથી આત્મા નિર્દડ છે.” આહા... હા ! મારામાં ભાવકર્મ થાય છે તે વાત હવે બે ઘડી ભૂલી જા તું! આહી. હા ! બે ઘડી તો તેનો પાડોશી બન તું! શુદ્ધ આત્માને રાગથી ભિન્ન પાડીને, ભેદજ્ઞાન કરીને અંતરમાં જા ! આત્માને ભાવકર્મનો અભાવ હોવાથી આત્મા નિર્દડ છે. આત્મા ભાવકર્મથી કે દ્રવ્યકર્મથી દંડાય એવો તેનો સ્વભાવ નથી. કેમકે તે નિર્દડ છે. નિર્દડ એટલા માટે કે આત્મા દંડાતો નથી. તેને દ્રવ્યકર્મ, ભાવકર્મનો અભાવ છે તેથી તે દંડાતો નથી. ભાવકર્મ સંયોગમાં છે તે સ્વભાવને દંડી શકતો નથી. ભાવકર્મ સંયોગમાં ભલે હો ! તો પણ હું તો નિર્દડ છું. Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy