________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૧૬
પ્રવચન નં:- ૭ ગાથા-૪૨ ઇન્દ્રો એટલે ઇન્દ્રમહારાજના મુગુટની સુંદર રત્નમાળા વડે પ્રગટ રીતે પૂજે છે.. એવા તીર્થંકર પરમાત્મા સંતો દ્વારા તેમજ ભગવાન મહાવીરના ચરણોમાં ઇન્દ્રપણે ઝૂકે છેનમે છે. અસંખ્યદેવોના જે અધિપતિ એવા એ ઇન્દ્ર જ્યારે ભગવાન મહાવીરના સમવસરણમાં જાય છે ત્યારે તેઓ પૂજે છે-નમે છે... એવા જે તીર્થંકર ભગવાનની વાણીમાં જે આવ્યું છે તેને સંતો દ્રવ્યશ્રુત દ્વારા કહે છે.
જન્મ-જ૨ા-મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર”, આ પાંચ મહાવ્રતના પરિણામ છે તે દુષ્ટ મળ છે. આ પાંચ મહાવ્રતના પરિણામ ઝેરના ઝાડ છે હોં ! કોના શુભ ભાવ ? ભાવલિંગી સંતના. અજ્ઞાનીને વ્યવહારવ્રત ન હોય, તેના વ્રતને તો કષાયની મંદતા કહે છે. કેમકે તેને શુભરાગ પ્રત્યે વૈરાગ્ય નથી. જ્ઞાનવૈરાગ્ય વિનાનો એ ભાવ હોવાથી રૂંધાયેલો કષાય છે. આ દ્રવ્યલિંગી મુનિની વાત ચાલે છે... હોં ! એની વાત કહી તેમાં નીચેના બધા આવી જાય છે. જેઓ પાંચ મહાવ્રત, અઠ્ઠાવીસ મૂળગુણ તેને નિરતિચા૨૫ણે પાળે છે.. છતાં તેનાં પાંચ મહાવ્રત... વ્રત નામને પામતા નથી. તેમને વ્યવહારવ્રત નથી પરંતુ કષાયની મંદત્તા છે. કેમકે નિશ્ચયવ્રતના અભાવમાં કષાયની મંદતાને વ્યવહા૨વ્રત પણ કહી શકાતું નથી. તેના વ્રત કષાયની મંદતામાં જાય છે પરંતુ વ્યવહારવ્રતમાં જતા નથી.
આતો ભાવિલંગી સંત છે. પાંચ મહાવ્રતનો વિકલ્પ ઉઠયો છે પણ તેને દુષ્ટ જાણે છે. તેઓ ૫૨ પરિણતીથી દૂર છે ૫૨પરિણતીથી એટલે પાંચ મહાવ્રતથી હું રહિત છું તેમ પ્રતીતમાં વર્તે છે.
''
66
મળ સમૂહરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર”, આહાહા! વિકલ્પનો નાશ કરે છે તે પણ ઉપચારનું કથન છે. જ્યારે સ્વભાવનું અવલંબન થાય છે ત્યારે વિકલ્પની ઉત્પત્તિ થતી નથી તો તેણે નાશ કર્યો તેમ ઉપચારથી કહેવામાં આવે છે. નાશ કર્યો તે પણ ઉપચારનું કથન છે. પરંતુ કથનની પદ્ધતિ તો જે પ્રકારે આવતી હોય તે પ્રકારે આવે.
“ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સત્હીલરૂપી નૌકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ” આહા ! ભગવાન મહાવી૨ના ઉપદેશમાં તો એમ આવ્યું છે કે–હું એક અખંડ જ્ઞાન છું-તું તેની ભાવના ભાવ. આહાહા ! ભગવાનની વાણીમાં એમ નથી આવ્યું કે તું પાંચ મહાવ્રતનું પાલન કર અને કષાયની મંદતા કર. ઉપદેશમાં એમ આવ્યું નથી. શુદ્ધાત્માની ભાવના ભાવ તો તારો મોક્ષ થશે.. એમ વાણીમાં આવ્યું છે. એવા પ્રકારનો આ ઉપદેશ છે.
પૂર્વોક્ત જે કહેવામાં આવે છે એટલે અત્યાર સુધી જે ગાથાઓમાં કહ્યું તેને ભગવાન મહાવીરનો ઉપદેશ કહેવામાં આવે છે. ભગવાન મહાવીરનો ઉપદેશ આવ્યો છે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk