SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૧૫ શુદ્ધ અંત:તત્ત્વ ઉઠતાં, બેસતાં અને આગળ વધીને જો કહેવામાં આવે તો....! કોઈએ ઉંધુ ન લેવું હોં! સવળુ લેજો ! સંભાળીને કહેવું પડે છે. સમાજને સંભાળીને કહેવું પડે છે. અરે ! ચક્રવર્તી છ ખંડના રાજ્યને ભોગવતો હોય, જ્યારે તેના ઉપયોગમાં પાપના પરિણામ છે ત્યારે નિરંતર આત્માની ભાવનામાં પડ્યો છે. તેને નિરંતર આત્માની ભાવના છૂટતી નથી. એટલે તેના પાપના પરિણામને અનંતાનુબંધી નામ લાગુ પડતું નથી. આનો અર્થ નીચે ઉતરવાનો નથી. પરંતુ સમ્યગ્દર્શનનો મહિમા અને તેનું શું બળ છે અને તે ચીજ શું છે તેની જગતને ખબર પડતી નથી. શ્રોતા:- આપની વાત સત્ય છે. ઉત્તર:- સર્વજ્ઞ ભગવાનની વાત સત્ય છે અને ગુરુદેવની વાત સત્ય છે. આવી સત્યતાની આપણે ભાવના ભાવીએ છીએ. આહા ! સર્વેએ આપણી ઉન્નતિ અર્થે પણ આ એકની ભાવના ભાવવા જેવી છે. નિમિત્તની ભાવના ભાવવા જેવી નથી. અને નિમિત્તનો ભાવ આવે તેમાં પણ રોકાવા જેવું નથી. એમાં પણ તેને નિષેધબુદ્ધિ આવવી જોઈએ. તેને એમ લાગે કે-અરે નિમિત્તનો ભાવ આવ્યો અને આ વલણ નિમિત્તનું થઈ ગયું. જો નિમિત્તનું વલણ થયું તો ખરેખર તે ભાવ નથી પરંતુ ભાવના થઈ ગઈ છે. સાધકને ભાવ હોય અને અજ્ઞાનીને તો નિમિત્તની ભાવના જ હોય છે. શ્લોક - ૬૧ (ગ્નપર) इत्थं बुद्ध्वोपदेशं जननमृतिहरं यं जरानाशहेतुं भक्तिप्रह्वामरेन्द्रप्रकटमुकुटसद्रत्नमालार्चितांघेः । वीरात्तीर्थाधिनाथाद्दुरितमलकुलध्वांतविध्वंसदक्षं एते संतो भवाब्धेरपरतटममी यांति सच्छीलपोताः।। ६१।। [ શ્લોકાર્ચ- ] ભક્તિથી નમેલા દેવેંદ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા આ સંતો જન્મજરા-મૃત્યુનો નાશક અને દુષ્ટ મળસમૂહુરૂપી અંધકારનો ધ્વંસ કરવામાં ચતુર એવો આ પ્રકારનો (પૂર્વોક્ત) ઉપદેશ સમજીને, સલ્હીલરૂપી નોકા વડે ભવાબ્ધિના સામા કિનારે પહોંચી જાય છે. ૬૧. શ્લોક - ૬૧ : ઉપર પ્રવચન “ભક્તિથી નમેલા દેવેન્દ્રો મુગટની સુંદર રત્નમાળા વડે જેમનાં ચરણોને પ્રગટ રીતે પૂજે છે એવા મહાવીર તીર્થાધિનાથ દ્વારા”, દેવેન્દ્રો એટલે દેવોના પણ Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy