SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૧૧૪ સાધ્યનો ભાવ આવે પરંતુ તેને સાધ્યની ભાવના નથી. શ્રોતા:- સાધ્ય છે તે ધ્યેય નથી !. પ્રવચન નં:- ૭ ગાથા-૪૨ ઉત્ત૨:- સાધ્ય છે તે તો પ્રગટ કરવાની અપેક્ષાએ છે. જ્યારે ધ્યેય તો ધ્રુવ પરમાત્મા એકલો જ છે. આહા ! એવો ભાવ આવે છે. “ અપૂર્વ અવસર એવો કયારે આવશે. એમ કહેવાય કે ભાવના ભાવે છે પરંતુ તે ભાવના ભાવતા નથી. તેમને ભાવ આવે છે.. પરંતુ ભાવના તો નિરંતર શુદ્ધાત્માની જ છે. આ શબ્દો પડયા છે ને ! આપણા ઘરની કયાં વાત છે! આમાં લખ્યું છે. આમાં લખ્યું છે કે નહીં ? હું અખંડ જ્ઞાન છું તેવી સાચી ભાવના નિરંતર ભાવે છે. 99 ભાવના એક શુદ્ધાત્માની છે. આહા ! ૫૨૫દાર્થની ભાવના, નિમિત્તની, ભેદની ભાવના હોતી નથી. આહા ! સાધ્ય મોક્ષ છે તેનો ભાવ છે પરંતુ તેની ભાવના નથી. તેમને ત્રિકાળ મુક્ત સ્વભાવની ભાવના વર્તે છે. એ ભાવનામાં ને ભાવનામાં તે પર્યાય મુક્ત થાય છે તેને સાધ્યની સિદ્ધિ કહેવામાં આવે છે. પ્રગટ કરવાની અપેક્ષાએ સાધ્યની સિદ્ધિ થઈ એમ કહેવામાં આવે છે. આ અધિકા૨ બહુ ઊંચો છે. ટીકાકાર પણ એવા જ છે. આહા ! એકદમ અધ્યાત્મની મસ્તી ચડી જાય છે. હું કઈ નયથી જોઉં કે આ સંસારી અને આ મુક્ત છે.. એવી નય અમારી પાસે નથી. તેઓ સવિકલ્પદશામાં આવીને આ શ્લોક લખે છે. હું કઈ નયથી એવા ભેદ પાડું-તફાવત કરું કે–આ સંસારી જીવ છે અને આ સિદ્ધ છે. એવી વ્યવહારનય અમારી પાસે નથી. આહા... હા.. હા! તેમને કેટલું ત્રિકાળ સ્વભાવનું બળ છે. સ્વભાવનું બળ આવતાં તેઓ આ લખે છે. બહુ વ્યવહારનયને સ્થાપિશ નહીં. અને સ્થાપવા જઈશ તો વ્યવહારમાં મગ્ન થઈ જઈશ. એટલા માટે શબ્દ છે. એ શબ્દ કાંઈ મફતનો નથી. સાધકે લખ્યું છે. આહા ! અમારી પાસે બીજી નય હોય તો કહીએને ? આ સંસારી અને આ સિદ્ધ? અમે તો બધાને સિદ્ધ ૫૨માત્મા તરીકે જોઈએ છીએ. તેનો શુદ્ધાત્મા અમારા જેવો જ આત્મા છે તેમ માનીએ છીએ- આ ભગવતીમાતાનો શબ્દ છે ને! વળી નાટક સમયસારમાં આવે છે કે “સિદ્ધ સમાન સદા પદ મેરો.” દ્રવ્ય સંગ્રહમાં એક શ્લોક છે કે-“ સવ્વુ શુદ્ધા શુદ્ઘનયા ” શુદ્ઘનયથી જોવામાં આવે તો બધા આત્માઓ પછી તે ભવિ હો કે અભવિ હો, કે નિગોદમાં હો ! તે બધા શુદ્ધ ૫૨માત્મપણે બિરાજમાન છે. શ્રીમદ્ભુનું વાકય છે-“ સર્વ જીવ છે સિદ્ધસમ જે સમજે તે થાય. 23 ;; આ શાસ્ત્ર ભાવનાનું છે હોં ! નિજ ભાવનાને અર્થે હું લખું છું.. તેમ લખ્યું છે. એમાં આ બરોબર ભાવનાનો શ્લોક આવ્યો.. કે નહીં? તેઓ કોની ભાવના ભાવે છે? “હું અખંડ જ્ઞાન છું...” તેવી ભાવના નિરંતર ભાવે છે. ખાતાં, પીતાં, હાલતાં, ચાલતાં, Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy