________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૧૩ આધિ, વ્યાધિ અને ઉપાધિ તેવા ત્રણ પ્રકારના જે સંકલ્પ-વિકલ્પ છે તેનાથી રહિત નિર્વિકલ્પ સમાધિ હોય છે. તે સાધક આત્મ શાંતિને પ્રગટ કરતો થકો તે સાધ્ય બની જાય છે. ધ્યેય તો ધ્રુવ આત્મા છે પરંતુ પરિણતી કયાં જાય છે ! સાધ્યને પ્રાપ્ત કરવાનું એવું એક કારણ અંદરમાં ઉત્પન્ન થાય છે. તે મોક્ષને પ્રાપ્ત કરે છે. આવો એક નિશ્ચય મોક્ષમાર્ગ કારણરૂપે પ્રગટ થાય છે, પરંતુ ભગવાન આત્મા મોક્ષનું કારણ નથી.
પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો એટલે પ્રગટ કરતો થકો પરપરિણતીથી દૂર થયો છે. આહી.. હા ! તે ઇન્દ્રિયજ્ઞાનથી તો દૂર અને પાંચ મહાવ્રતના શુભભાવથી પણ દૂર છે. તે “અનુપમ, અનઘ ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને પામે છે.” અનુપમ એટલે ઉપમા ન આપી શકાય તેવું. અનઘ એટલે દોષ રહિત, નિષ્પાપ, મળરહિત ચિન્માત્ર-ચૈતન્યમાત્ર આત્માને પામે છે.
ઓહો ! દૃષ્ટિમાં તો ચૈતન્યમાત્ર આત્મા આવ્યો છે. હવે નિર્વિકલ્પ ધ્યાનમાં પણ, ચૈતન્યમાત્ર આત્મામાં પ્રગટપણે પૂર્ણાનંદની પ્રાપ્તિ થઈ જાય છે. સાધક સતપણે ધ્યાન કરે છે હોં ! ગુરુદેવ જ્યારે આહાર કરતા હોય ત્યારે તેને શુદ્ધાત્માની ભાવના છે કે છૂટી ગઈ છે? તેમને સતપણે ભાવના ચાલુ છે. “સતત્પણે ” આવ્યું કે નહીં ? નિરંતર આવ્યું કે નહીં? નહીંતર તો મિથ્યાષ્ટિ થઈ જાય. તેમને શુદ્ધાત્માની ભાવના ખસતી નથી અને સંયોગની ભાવના સમયમાત્ર પણ આવતી નથી. એક સમયમાત્ર પણ સાધકને સંયોગની ભાવના ન હોય.
ગૃહસ્થી સાધક હોય તો તેને સંયોગનો ભાવ આવે. પરંતુ તેને સંયોગની ભાવના ન હોય. ભાવ અને ભાવનામાં મોટો ફેર છે. શાંતિનાથ ભગવાન ચક્રવર્તી હતા તો તેમને પરપદાર્થનો ભાવ આવે છે. આવે છે કે નહીં? ખાવું, પીવું, ફરવું, હરવું, વગેરેનો હોં !
શ્રોતા:- છ ખંડનો.. પણ...
ઉત્તરઃ- છ ખંડનો તો ભાવ આવે છે પરંતુ છ ખંડની તેમને ભાવના નથી. ભાવના અખંડની અને છ ખંડનો ભાવ આવે છે. છ ખંડને જીતો, પેલા રાજાને નમાવો-તેને આપણો ખંડિયો બનાવી દ્યો ! પરંતુ તેમને અંદરમાં બીજા રાજાને ખંડિયો બનાવવાની ભાવના નથી. ભાવ આવે છે તે-અસ્થિરતાનો રાગ છે. એ કાર્ય બીજું છે. તે મારું કર્તવ્ય નથી. મારાથી તો રાગ ભિન્ન છે. જુઓ ! આવી શુદ્ધાત્માની ભાવના નિરંતર ચાલુ છે.
ચતુર્થ ગુણસ્થાનના પહેલા સમયથી ઉપયોગરૂપ જે ભાવના હતી તે અંતર્મુહૂર્તપછી તેને પરિણતીરૂપ ભાવના ચાલુ રહે છે. મુનિઓને નિર્વિકલ્પ ઉપયોગ જલ્દી-જલ્દી આવે છે.
જે પર૫રિણતીથી દૂર, અનુપમ, અનઘ, નિર્દોષ ચિન્માત્રને પામે છે.” આ સાધકની દશાની વાત છે, સાધ્ય તો મોક્ષ છે, અને ધ્યેય તો એક અખંડ આત્મા જ છે. તેને સાધ્ય શું છે? પ્રગટ કરવાની અપેક્ષાએ મોક્ષને સાધ્ય કહેવાય. આહા ! સાધકને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk