________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૧)
પ્રવચન નં:- ૭ ગાથા-૪૨ શ્લોક – ૬૦
(માનિની ) अनवरतमखण्डज्ञानसद्भावनात्मा व्रजति न च विकल्पं संसृते?ररूपम्। अतुलमनघमात्मा निर्विकल्प: समाधि:
परपरिणतिदूरं याति चिन्मात्रमेषः ।।६।। [ શ્લોકાર્થ-] સતતપણે અખંડ જ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા (અર્થાત્ હું અખંડ જ્ઞાન છું' એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા) સંસારના ઘોર વિકલ્પને પામતો નથી, પરંતુ નિર્વિકલ્પ સમાધિને પ્રાપ્ત કરતો થકો પર૫રિણતિથી દૂર, અનુપમ, અનઘ ચિન્માત્રને (ચૈતન્યમાત્ર આત્માને) પામે છે. ૬૦.
શ્લોક - ૬O : ઉપર પ્રવચન શ્લોકાર્ચ- “સતતપણે અખંડ જ્ઞાનની સભાવનાવાળો આત્મા”, સત પણે એટલે નિરંતર, એક સમયનો પણ જેમાં આંતરો પડતો નથી. મૂડી વ્યાજ મૂકયા પછી એક સમય એવો ન હોય કે-વ્યાજ ન ચડે. અમારા મૂળજીભાઈ લાખાણી કહેતા હતા કે-અમે રાત ને દિ’ કમાઈએ અને છોકરાઓ તમે તો દિવસના કમાવ છો. તમે દુકાન કરીને કમાવ પરંતુ અમે તો રાતને દિ’ કમાઈએ. એક સમય પણ એવો ન હોય કે-જ્યાં વ્યાજ ન ચડે. સમજ્યાં?
એમ સતતપણે અર્થાત્ નિરંતર, એક સમયનો આંતરો પાડયા વિના તેને સતતપણે કહેવામાં આવે છે. તે કાળ અપેક્ષાએ કથન છે. સતતપણે નિરંતર-હંમેશાં. હવે અખંડજ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા તેનો અર્થ કરે છે.
અખંડજ્ઞાનની સદ્ભાવનાવાળો આત્મા એટલે શું? “અખંડજ્ઞાનની સદ્ભાવના વાળો આત્મા” તે શબ્દ છે પાઠમાં. તેનો અર્થ-હું અખંડજ્ઞાન છું. આ મૂળ પૂંજીની વાત ચાલે છે. આ જ્ઞાનની પર્યાયની વાત નથી. જ્ઞાન એટલે અખંડ જ્ઞાનાનંદ આત્મા. હું અખંડજ્ઞાન છું. જુઓ, અખંડજ્ઞાનની વ્યાખ્યા કરી. હવે કૌંસમાં વ્યાખ્યા કરે છે. (હું અખંડ જ્ઞાન છું.) હું અખંડ જ્ઞાનસ્વરૂપી આત્મા છું.
એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા”, સદ્ભાવના શબ્દ છે ને તેનો અર્થ કરે છે. એવી સાચી ભાવના જેને નિરંતર વર્તે છે તે આત્મા તે સાધક આત્મા. હવે ભાવનાના બે પ્રકાર છે તે કહે છે. શુદ્ધાત્માની (૧) ઉપયોગરૂપ ભાવના ૧. અનn = દોષ રહિત, નિષ્પાપ, મળ રહિત.
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk