SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૧૦૫ શુદ્ધ નિશ્ચયનયના બળે એટલે આત્માના સ્વભાવની સન્મુખ થઈને... અનુભવના કાળમાં અને અનુભવના કાળથી જોતાં તે ભેદો જીવમાં નથી એટલે મારામાં નથી. અનુભવના કાળથી એટલે જ્યારથી અનુભવ થયો છે ત્યારથી અનુભવ ચાલું છે. શુદ્ધનિશ્ચયનયે નહીં પરંતુ શુદ્ધનિશ્ચયનયના બળે અર્થાત્ શુદ્ધાત્માની સન્મુખ થઈને હું જોઉં છું તો આ ભેદો મારામાં દેખાતા નથી. અભેદમાં કોઈ ભેદ-પર્યાયનો ભેદ દેખાતો નથી. પર્યાયનો તો ત્રણેકાળ મારામાં અભાવ છે પરંતુ ગુણભેદનો માામાં સદ્ભાવ હોવા છતાં અભેદના લક્ષે જોઉં છું ત્યારે મારામાં ગુણભેદ હોવા છતાં તે ગુણભેદ મને દેખાતો નથી. મને તો એકલો ગુણી સામાન્ય દેખાય છે... એમ ભગવાન સૂત્રકર્તાનો અભિપ્રાય છે. સૂત્રકર્તાનો અભિપ્રાય છે એટલે કુંદકુંદભગવાનનો આ અભિપ્રાય છે. પદ્મપ્રભદેવ કહે છે–મેં જે ટીકામાં કહ્યું છે તે કુંદકુંદભગવાનના અભિપ્રાય અનુસાર લખું છું.. એવો વિવેક કરે છે. એવો વિવેક છે કે–હું જે આ કહું છું ને, મેં જે વાત કરી છે તે કુંદકુંદભગવાને મૂળસૂત્રમાં કહેલી છે. તેમના અભિપ્રાયની વાત, તેના હૃદયની વાત હું ખોલીને તમને સમજાવું છું. આ વાત મૂળસૂત્રમાં છે. સંસ્કૃતમાં અન્વયાર્થમાં છે “ જીવસ્ય ત્યાંથી શરૂઆત કરી છે. એ ભેદો જીવના નથી. 29 સમયસાર શ્લોક ૩૫ - (માલિની ) “ सकलमपि विहायाह्नाय चिच्छक्तिरिक्तं स्फुटतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् । इममुपरि चरंतं चारु विश्वस्य साक्षात् कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम्॥ ,, “ [ શ્લોકાર્થ:- ] ચિશક્તિથી રહિત અન્ય સકળ ભાવોને મૂળથી છોડીને અને ચિત્શક્તિમાત્ર એવા નિજ આત્માનું અતિ સ્ફુટપણે અવગાહન કરીને, આત્મા સમસ્ત વિશ્વના ઉ૫૨ સુંદર રીતે પ્રવર્તતા એવા આ કેવળ (એક) અવિનાશી આત્માને આત્મામાં સાક્ષાત્ અનુભવો.” શ્લોક - ૩૫ : ઉ૫૨ પ્રવચન “ એવી રીતે (આચાર્યદેવ ) શ્રીમદ્ અમૃતસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ૩૫-૩૬ માં બે શ્લોક દ્વા૨ા )” કહ્યું છે કે-આ રીતે ટીકાકાર સમયસારનો ટેકો લ્યે છે. સમયસાર શાસ્ત્રનો ટેકો લઈને આ વાત મજબૂત કરે છે. અમે જે વાત કરી છે તે વાત કુંદકુંદભગવાને કરી છે. એ વાત કુંદકુંદભગવાને Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy