________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
૧૦૪
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ આવ્યો હશે ને ! એક પૈસાભાર પણ કહું છું હોં ! સત્નો પક્ષ એક પૈસાભાર આવ્યો હશે ને ! અને સો ટકા વ્યવહારના પક્ષમાંથી એક પૈસો પણ ઘટયો હશે અને સત્નો પક્ષ એક પૈસો થયો હશે ને ! તો તે એક પૈસો, બે પૈસા, ચા૨ પૈસા, દશ પૈસા અને પછી સો પૈસા થઈ જશે.. અને વ્યવહારનો પક્ષ છૂટી જશે. સો પૈસાનો જે નિશ્ચયનો પક્ષ આવ્યો છે તે પક્ષ છૂટીને અનુભવ થઈ જશે. એક પૈસાભાર તો સ્વભાવનો પક્ષ લાવ ભાઈ ! જીવ વ્યવહા૨થી ૨ખડયો નથી પરંતુ તે વ્યવહારનાપક્ષથી તે રખડે છે. વ્યવહારથી અલ્પકાળ રખડે છે અને વ્યવહા૨ના પક્ષથી તે અનંતકાળ રખડે છે. વ્યવહાર રખડાવે તો છે પરંતુ વ્યવહારનો જે પક્ષ છે તે જીવને મારી નાખે છે. વ્યવહારે શુભભાવ આવશે ખરો પણ તે અલ્પ સંસારનું કારણ છે. શુભભાવ મારામાં થાય છે તેવું તું તારામાં સ્થાપમાં, તેને હવે આસવમાં સ્થાપ. તેને જીવમાંથી ઉથાપ અને આસ્રવમાં સ્થાપ. વ્યવહારનો પક્ષ હવે છોડી દે ! મિથ્યાત્વના પરિણામ મારામાં થતાં નથી. આ વાત ગળે કેમ ઉતરે ? આહા ! થાય છે તેનો નકાર કેમ કરવો ?
આહાહા ! મિથ્યાત્વ જીવમાં થાય છે તે તને પર્યાયદેષ્ટિથી દેખાય છે. પર્યાયમાં થાય છે ત્યારે દ્રવ્ય સ્વભાવમાં નથી. સવિકલ્પ સ્વસંવેદનથી આત્માને મનમાં તો સ્થાપ ! અને મનમાંથી તો રાગ ને ઉથાપ ! ભાવમનમાંથી તો રાગની ઉથાપના કર તો ભાવમન મરી જશે અને અતીન્દ્રિયજ્ઞાન દ્વારા આત્માનો અનુભવ થશે. આ મોજ આવે એવી વાત છે. હોં ! આહા ! આ નિયમસાર શાસ્ત્ર અને તેમાંય આ શુદ્ધભાવ અધિકાર અજોડ છે. ભારતનો અજોડ અધિકાર છે. આ અધિકારમાં ચોખ્ખી વાત છે.
માર્ગણાસ્થાનોમાં બધાય શુદ્ધ પરિણામ લઈ લીધા. અશુદ્ધ પરિણામ અને પરિપૂર્ણ શુદ્ધ પરિણામ તેને માર્ગણાસ્થાનમાં લઈ લીધા જ્ઞાનમાર્ગણામાં કેવળજ્ઞાન અને દર્શનમાર્ગણામાં કેવળદર્શન આવી ગયું. સમ્યક્ત્વની અંદર ક્ષાયિક સમ્યગ્દર્શન આવી ગયું. આવા ભેદસ્વરૂપ એ ભેદો છે અર્થાત્ તે ભેદના પ્રકારો છે પરંતુ અભેદના પ્રકારો નથી. અભેદમાં આ ભેદો નથી. અભેદ એકરૂપ હોય છે... અને ભેદ અનેકરૂપ હોય છે. હું એક છું અને અનેકરૂપ નથી. આ ચૌદ માર્ગણાસ્થાનો છે, તે જીવને નથી તે બધામાં લઈ લેવું. અશુદ્ઘનિશ્ચયનયે છે અને શુદ્ધ નિશ્ચયનયે જીવમાં નથી. આપણે આ પરિણામના ભેદોને જીવમાં સ્થાપ્વા નથી. આ પરિણામના ભેદો અભેદમાં નથી એમ સ્થાપ્યું છે.
એ જાણીને કરવું છે શું ? કે-મારામાં નથી તેમ પ્રતીતમાં લેવાનું છે. શાસ્ત્ર દ્વારા ભેદોનું જ્ઞાન કરે.. પરંતુ એ ભેદ મારામાં નથી એવું જોર શાસ્ત્રના વાંચનકારને પણ જોવામાં આવતું નથી.
હવે સરવાળો કરે છે... ટોટલ મારે છે. આ બધા ઉપર કહ્યાં તે ભેદો ભગવાન પરમાત્માને નથી. આહા... હા ! ભણ્ એટલે જ્ઞાન ને આનંદવાન મારો પરમાત્મા છે તેને
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk