________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૬ ગાથા-૪૨
૧૦૨
તું અંદ૨માં લાવ ! જ્યાં જીવ છે ત્યાં લગાવ તો તારું કામ થઈ જશે.
આહા... હા ! વ્યવહારનયે એ ભેદો જીવના કહેવાય, પરંતુ નિશ્ચયનયે એ ભેદો અજીવના છે. તેનાથી આગળ કહીએ તો.. નિશ્ચયનયથી જોવામાં આવે તો એ ભેદો અજીવના પણ નથી અજીવ જ છે. શું કહ્યું ? જીવના ભેદને પણ અજીવમાં અભેદ ક૨. આ જીવનો ભેદ આ અજીવનો ભેદ તેમ પણ નહીં.. તેમાં પણ તને વિકલ્પ ઉત્પન્ન થશે. પરંતુ તે અજીવનો ભેદ નથી પણ અજીવ જ છે. હું તો જીવ જ છું તો જીવમાં પણ ભેદ દેખાતો નથી, અને અભેદનું અવલંબન લેતા તેને અનુભવ થશે.
પ્રશ્ન:- જીવના ભેદને અજીવમાં અભેદ કર એમ કહેવું છે!?
ઉત્ત૨:- જીવના જે ભેદો કહેવામાં આવે છે–તે ઉપચારથી કહેવામાં આવે છે. સર્વજ્ઞ ભગવાને તે ભેદો વ્યવહારનયથી કહ્યા છે. શાસ્ત્રમાં લખાણ આવે કે-આ જીવનો ભેદ છે, આ જીવનો ભેદ છે એ બધાં વ્યવહારનયના કથનો છે. હવે તેણે પૂછ્યું જોઈએ કેઆ કઈ નયના કથનથી તમે જીવનો ભેદ કહ્યો ? તેને કહે છે- એ વ્યવહારનયે જીવનો ભેદ કહ્યો છે.
જો વ્યવહારનયે આ ભેદોને જીવનો ભેદ કહ્યો છે તો હું પૂછું છું કે-નિશ્ચયનયે તે ભેદ કોના છે? તમે મને જવાબ ધો ! જો નિશ્ચયનયે જીવનો ભેદ કહે તો તો પેલો ઉભો
થઈને ચાલ્યો જાય. પછી તે પેલાની સામે વાત પણ કરે નહીં. આ કોઈ મૂરખ લાગે છે! ભલે ગાદી ઉ૫૨ બેઠો હોય, મોટો વાંચનકાર હોય પણ તેથી શું ? આહા ! મારા પ્રયોજનની અહીં સિદ્ધિ થતી નથી એમ જાણીને તે મૂંગે મોઢે ચાલ્યો જાય છે. તે તકરાર કરતો નથી પરંતુ સમતા રાખે છે.
અહીંયા કહે છે–જે જીવ અભેદ સુધી પહોંચ્યો નથી તેને ભેદ વ્યવહારનયે જીવનો કહ્યો; સર્વજ્ઞ ભગવાને ભલે કહ્યો હોય. એ ભેદને વ્યવહા૨નયે જો જીવનો કહ્યો હોય તો મારો પ્રશ્ન છે કે-એ ભેદ નિશ્ચયનયે કોનો છે ? સર્વજ્ઞ ભગવાને એ ભેદ વ્યવહારનયે ભલે દર્શાવ્યો હોય, મને મંજૂર છે અને હું પણ વ્યવહારનયે તે જીવનો ભેદ છે તેમ જાણું છું પણ તેમ માનતો નથી. હું પણ એમ જાણું છું કે–સર્વજ્ઞ ભગવાને જે આ વ્યવહારનય દર્શાવ્યો છે કે આ અજીવના ભેદો છે. હું પણ એમ જાણું છું. પરંતુ મારો એક પ્રશ્ન છે કેવ્યવહારનયે એ ભેદ જીવનો છે તો નિશ્ચયનયે એ ભેદ કોનો છે? તો કહે છે એ ભેદ અજીવનો છે. ત્યારે જીવ સામાન્ય ઉપર તેની દૃષ્ટિ આવ્યા વિના રહેતી નથી. કેમકે તે ભેદ મારામાં નથી. ભેદ મારામાં નથી તેનો તો નિષેધ કર્યો પરંતુ એ ભેદને અજીવમાં નાખ્યો એટલે તે ભેદ ઉ૫૨થી લક્ષ છૂટી ગયું અને તેની દૃષ્ટિ અભેદમાં આવી ગઈ.
શ્રોતાઃ- જીવનો ભેદ કહ્યો છે પરંતુ તે જીવનો ભેદ નથી.
ઉત્તર:- વ્યવહારનયે આ જીવના ભેદો છે તેમ વ્યવહાર દર્શાવવામાં આવે છે. જે
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk