________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૧૦૧ એકેન્દ્રિયના બે ભેદ એક સૂક્ષ્મ અને સ્થળ. સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાય એટલે શરીર પુરું થાય અને અપર્યાપ્ત એટલે શરીર અધુરું રહે. સૂક્ષ્મ એકેન્દ્રિયના બે ભેદ અને ધૂળ એકેન્દ્રિયના બે ભેદ. હદ્રિય પર્યાય અને અપર્યા, ત્રીદ્રિય પર્યાયને અપર્યાય, ચતુરિંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત, અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાય અને અપર્યાય, સંજ્ઞી પંચેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત-એવા ભેદોવાળાં ચૌદ જીવસ્થાનો છે.” આ બધા જીવને રહેવાના સ્થાનો છે-રહેઠાણો છે.. તો પણ જીવ તેમાં રહેલો નથી. કયા જીવસ્થાનો? ઉપર કહ્યાં તે જીવસ્થાનોમાં જીવ રહેતો નથી. ઓહો ! દષ્ટિ પલટાવવાની આ વાત છે.
સ્વભાવથી વિચારશે તો તેને સ્વભાવની પ્રાપ્તિ થશે. આહા ! પર્યાયથી વિચારશે, ભેદથી વિચારશે, વ્યવહારથી વિચારશે તેને સ્વભાવની પ્રાપ્તિ નહીં થાય. તેને સ્વભાવનો વિચાર જ ઉઠશે નહીં તો સ્વભાવની પ્રાપ્તિનો અવકાશ જ નહીં રહે. અનુભવ પહેલા તારી વિચારકોટિ બદલાવ. આહા ! જ્ઞયનિષ્ઠ પીંજણ મૂકી દે હવે અને ધ્યેયનું સ્વરૂપ કેવું છે એને લક્ષમાં તો લે! ભણીને શાસ્ત્રપાઠી થાય અને ભેદમાં રોકાય જાય. તે કહે અમને અભેદનો તો વિચારેય આવતો નથી. અને કદાચિત્ વિચાર આવે તો તે વિચાર ટકતો નથી. તેનો અર્થ એમ છે કે તેણે અભેદને પ્રેમ કર્યો નથી. આવી ભાષા (વાત) બધી સાંભળેલી છે હોં ! આપણે સાંભળી લઈએ બીજું શું થાય? કેમકે માની જીવને બહુ કાંઈ કહેવાય નહીં, નહીંતર તેના નાકની દાંડી ઠરડાઈ જાય. આહા! રહેવા દે ભાઈ !
આહા ! ભેદના વિચારમાં જામાં તારી બુદ્ધિ બગડી જશે. તું બુદ્ધિથી ભ્રષ્ટ થઈ જાઈશ... કેમકે એ ભેદો તારામાં નથી. તું તેને જીવના ભેદપણે માની રહ્યો છો... પણ એ અજીવનો ભેદ છે. એ જીવના ભેદપણે અમને દેખાતો નથી. જરા. સૂક્ષ્મવાત આવી ગઈ.
આહા ! જીવ તો અભેદપણે બિરાજમાન છે. આ જે બધા ભેદો કહ્યાં છે તેને ઉપચારથી જીવના ભેદો કહ્યાં છે. પરંતુ નિશ્ચયનયે જોવામાં આવે તો એ બધા ભેદો અજીવના છે. એ મારા ભેદો નથી કેમકે હું તો અભેદ છું. આ મસ્તી ચડી જાય એવી વાત છે હોં ! બે ઘડી તો સંસારનું વિસ્મરણ થઈ જાય તેવી વાત છે. એ ભેદો મારામાં કયાં છે? હું તો અભેદ ટંકોત્કીર્ણ એક શુદ્ધ પરમાત્મા છું. આ બધા ભેદો મારામાં નથી.
એ ભેદો તો જીવમાં નથી. પરંતુ તેનાથી બીજી એક વાત હજુ સૂક્ષ્મ આવે છે. આહા ! એ જીવનો ભેદ છે, એ જીવનો ભેદ છે, એ જીવનો ભેદ છે, એ જીવનો ભેદ છે અરે ! રહેવા દે! એ ભેદ જીવમાં નથી. એ બધા ભેદો અજીવના છે. આ વાત સમયસારના અજીવ અધિકારમાં છે.
સમયસારના અજીવ અધિકારમાં ચૌદ ગુણસ્થાન, ચૌદ માર્ગણાસ્થાનના સ્થાનો અને ચૌદ જીવસમાસો એ બધાને અજીવમાં નાખ્યાં છે. આગળ વધીને પુદ્ગલના પરિણામ છે. અરે! પુદ્ગલ છે જા ! કોઈ હિસાબે દૃષ્ટિ ફેરવ. અહા ! કોઈ હિસાબે દૃષ્ટિને
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk