SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૧૦) પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ વખત નિગોદમાંથી બહાર નીકળીને પાછો નિગોદમાં જાય તેને ઈતર નિગોદ કહેવામાં આવે છે. એક નિત્ય નિગોદ, બીજું ઈતર નિગોદ થયા. વનસ્પતિકાયિક જીવોનાં દશ લાખ યોનિમુખ છે; કીદ્રિય જીવોનાં લાખ યોનિમુખ છે. ત્રીદ્રિય જીવોનાં લાખ યોનિમુખ છે; ચતુરિંદ્રિય જીવોનાં લાખ યોનિમુખ છે; દેવોના ચાર લાખ યોનિમુખ છે; મનુષ્યોનાં ચૌદલાખ યોનિમુખ છે. (બધાં થઈને ૮૪00000 યોનિમુખ છે.). બધાં થઈને ચોરાશી લાખ યોનિ છે. ચાર ગતિને ચોરાશી લાખ યોનિ એટલે જીવોની ઉત્પત્તિ થવાના વ્યવહારનયે સ્થાનો કહ્યાં. એ સંયોગમાં ઉત્પન્ન થાય છે એમ વ્યવહારનયે કહેવામાં આવે છે. ખરેખર! તો જીવની ઉત્પત્તિ નથી અને મરણ પણ નથી. થોડા ઊંડા ઉતરે તો એને મજા આવે એવી વાત છે. પરિણામ આત્મ સન્મુખ થતાં પોતાને જોવામાં આવે છે. પોતાને ખબર પડે છે કે-પર્યાયષ્ટિ છૂટતી જાય છે. તેને દ્રવ્યદૃષ્ટિ થવા પહેલાં સ્વભાવનો વિચાર તેને વિશેષપણે ઉગ્રપણે આવતો જાય છે. એ પોતાને જ ખબર પડે બીજાને ખબર ન પડે. આ ભેદો જીવમાં નથી એ વાત તમને કોઈએ કહી ! તમને કહી ? કેટલા વરસ થયા પાટને પાયે બેસે પ્રમુખથઈ ને.. પ્રમુખ એટલે મુખ્ય વ્યક્તિ. આ યોનિ તારામાં નથી. એ વાત તેના ચોપડામાં નથી.. અજ્ઞાનીના લખેલાં ચોપડા કહેવાય, તેને શાસ્ત્ર ન કહેવાય. એને ચોપડા કહેવાય. શું કહ્યું? આહા! દિગમ્બર શાસ્ત્રો તે શાસ્ત્રો છે. બાકી બધા ચોપડા છે. તેથી તેમાં આ વાત ક્યાંથી હોય! ન હોય ને! તો કહે પણ કયાંથી ? પોતાને ભાન ન મળે અને તેના ચોપડામાં પણ લખેલું નથી. શાસ્ત્રમાં લખેલું હોય પણ ચોપડામાં લખેલું ન હોય. કેમકે ચોપડા અજ્ઞાની લખે છે... અને જ્ઞાની લખે તે શાસ્ત્ર, જ્ઞાનીનું જે લખાણ છે તેને શાસ્ત્ર કહેવાય. તે આગમ કયાં છે ? એના આગમ બધા સમજવા જેવા છે. તેમણે નામ નિક્ષેપ આગમ લખી નાખ્યું છે. કોથળીમાં કળિયાતું ભર્યું હોય ઉપર નામ લખે સાકર તો કળિયાતું સાકર થઈ જાય? તેમ આ લોકોએ ઉપર લખ્યું આગમ. અજ્ઞાનીના લખેલા ચોપડાને આગમ કહીને મારી નાખ્યા. આ ચોરાશી લાખ યોનિમુખ છે તે જીવમાં નથી. તે ભાવ એક સમયમાત્ર પણ જીવમાં આવી શકતો નથી. જીવ જીવભાવે રહેલો છે. એ જીવ પરિણામરૂપે થઈ શકતો નથી. અપરિણામી જીવ પરિણામરૂપે થઈ શકે નહીં. ત્રણકાળમાં અપરિણામી પરિણામરૂપ ન થાય. અપરિણામીપણું તે છોડે નહીં અને પરિણામમાં તે આવી શકે નહીં. નિષ્ક્રિય શુદ્ધભાવ છે તે સક્રિય અશુદ્ધ કે શુદ્ધભાવમાં આવી શકતો નથી. સૂક્ષ્મ એકૅન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાસ, પૂલ એકેન્દ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત”, Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy