SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૯૫ પરિણામોમાં ભલે વિકારો હોય, પરંતુ તે સક્રિય પરિણામોમાં હું નિષ્ક્રિય નહીં હોવાથી મારામાં થતાં જ નથી. આહી.. હા ! જોઈ લેજો ! આ દ્રવ્ય અને પર્યાયનું ઉત્કૃષ્ટ ભેદજ્ઞાન ચાલે છે. દ્રવ્યકર્મ એટલે જ્ઞાનાવરણાદિ આઠ કર્મ અને ભાવકર્મ એટલે રાગાદિ તેનો સ્વીકાર નહીં હોવાથી. રાગાદિનો નાશ થવાથી તેમ લખ્યું નથી. રાગાદિ ભાવોનો અનાદિઅનંત સ્વીકાર નહીં હોવાથી હોં! એક સમયમાત્ર પણ આ વિકારો આત્મામાં થતાં નથી. આવા આત્માને પહેલા સવિકલ્પ દ્વારા એટલે નિશ્ચયનયના પક્ષમાં આવીને વિચાર તો કર.. બાપુ! તારું કામ થઈ જશે. તેને એવું જ્ઞાન છે કે-ભલે સમ્યગ્દર્શન ન હોં! અને ભલે મિથ્યાત્વના પરિણામ હોં ! તો પણ તે મિથ્યાત્વ સ્વભાવમાં નથી. એવા સ્વભાવનો નિર્ણય કરીને અને પછી તેનો અનુભવ કરતાં પર્યાયમાંથી મિથ્યાત્વનો અભાવ થઈ અને તેની જગ્યાએ સમ્યગ્દર્શન પ્રગટ થાય.. થાયને થાય છે. આ એક જ રીત છે બીજી કોઈ રીત નથી. દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહીં હોવાથી જીવને એટલે મને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વ સ્વરૂપ ચારગતિઓનું પરિભ્રમણ નથી.” ચારગતિમાં પરિભ્રમણ ભગવાન આત્મા કરતો નથી. પરિભ્રમણ પર્યાયમાં થાય છે, પરિભ્રમણ આત્મામાં થતું નથી. પરિભ્રમણનો ભાવ છે ખરો, પરિભ્રમણનો ભાવ અવસ્તુ નથી. એ પણ તે-તે સમયનું ક્ષણિક અશુદ્ધ ઉપાદાન છે અથવા તે ક્ષણિક સત્ છે. પંરતુ ત્રિકાળ જે સત્ છે-શુદ્ધ ઉપાદાન તેને પરિભ્રમણ થયું નથી. ચારગતિમાં પરિભ્રમણ કરે છે એવો એનો નિજ સ્વભાવ નથી. એ ચારગતિઓનું પરિભ્રમણ આત્માને છે એવા અજ્ઞાનને તું છોડ! ચારગતિમાં તારે પરિભ્રમણ કરવું પડશે એવું આગમનું વચન આવે ત્યાં એમ સમજવું કે આ વ્યવહારનયથી કથન કરેલું છે. નિશ્ચયનયે તો આત્માને પરિભ્રમણ નથી. અહીંયા નિશ્ચયની મુખ્યતાથી વાત ચાલે છે ત્યારે કોઈ જીવ વ્યવહારનયને વિકલ્પમાં આગળ કરશે તો પણ તેને આ નિશ્ચયનયનો વિષય લક્ષમાં નહીં આવે. તો પછી નિર્વિકલ્પ થવાનો તો તેને પ્રસંગ આવવાનો નથી. સમજાણું? સંતો કહે છે-આ વાતને પહેલાં વિચારમાં તો લે! અનુભવ તો પછી થશે. અનુભવ તો પછી પણ તે નિર્ણય તો કર કે-હું આવો જ છું” એ નિર્ણય એવો કર કેઉપરથી દેવ આવે તો પણ ચળે નહીં. અરે ! ઉપરથી કુંદકુંદભગવાન આવી જાય અને કહે કે–તારામાં ચારગતિના ભાવો છે. તો એ કહે છે-મારામાં એ ચાર ભાવો નથી. ચારભાવો મારામાં નથી એમ હું આપની પાસેથી જ સમજ્યો છું. હું સમજ્યો છું કોની પાસેથી ? આપની પાસેથી જ સમજ્યો છું. હે ભગવાન! હે Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy