SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૯૪ પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ શબ્દ સીધો પાધરો વાપર્યો. “નથી' એમ અહીં આ ગાથામાં કહ્યું છે. હવે આવો જીવ શુદ્ધનયે શુદ્ધાત્માની સન્મુખ પોતાના મનને લગાડીને મન વડે જે કળી લે છે એવો એ આત્મા વિશેષ મનની એકાગ્રતા દ્વારા શુદ્ધાત્માનો નિર્ણય કરે છે કે“હું આવો જ છું.” એમ નિર્ણય કરીને, એમ જાણીને પછી તેમાં મનને લગાડે છે તો મનાતીત થાય છે ત્યારે એક શુદ્ધનિશ્ચયનય પ્રગટ થાય છે તે નિર્વિકલ્પ નિશ્ચયનયને શુદ્ધ નિશ્ચયનય કહેવામાં આવે છે. ત્યારે તેને સાક્ષાત આત્માનો અનુભવ થાય છે. ત્યારે મન પાવે વિશ્રામ' એટલે કે મનનો ઉપયોગ અટકી જાય છે, મનનો વ્યાપાર અટકી જાય છે. પાંચ ઇન્દ્રિયનો વ્યાપાર તો પ્રથમથી જ અટકી ગયો છે. જ્યાં આત્માના વિચારમાં આવ્યો ત્યાં પાંચ ઇન્દ્રિયના જ્ઞાનના ઉઘાડનો વ્યાપાર અટકી જાય છે. અને એક મનનો વ્યાપાર ચાલુ થાય છે. જેવું આત્માનું સ્વરૂપ અનુભવમાં આવે છે, અતીન્દ્રિયજ્ઞાનમાં જેવો શુદ્ધાત્મા આવવાનો છે તેવો આત્મા પ્રથમ ભાવ મનમાં આવે છે. તેને સવિકલ્પ સ્વસંવેદન કહેવામાં આવે છે. અથવા તેણે મનવડે આત્માનું સ્વરૂપ જાણી લીધું તેમ કહેવામાં આવે છે. આહા ! આ ભાઈ બહુ પ્રમોદિત થાય છે. એ લાયક છે. આમાં કાંઈ પૈસાવાળાને સમ્યગ્દર્શન થાય અને નિર્ધનને ન થાય એવું છે? શાસ્ત્ર ભણનારાને થાય અને દેડકાને ન થાય એવું નથી. આ તો મારે તેની તલવાર છે. શું કહ્યું? કે પહેલાં તો તું મન વડે આત્માનો નિર્ણય કર, કેમકે મન વડે નિર્ણય થઈ શકે છે... એમ શાસ્ત્રનું આગમનું વચન છે. જેવું આત્માનું સ્વરૂપ છે તેવું અતીન્દ્રિયજ્ઞાનમાં અનુભવમાં આવવાનું હોય તેવું જ, એનાથી કિંચિત્માત્ર ફેરફાર નહીં એવું પહેલાં મનમાં આવે છે તે આત્મા મનવડે શુદ્ધાત્માને પ્રથમ કળી લે છે. અને પછી ઉપયોગ તેમાં લગાવે છે ત્યારે મન વિશ્રામ પામે છે. ત્યારે તેને સાક્ષાત શુદ્ધાત્માનો અનુભવ થાય છે. તેને શુદ્ધનિશ્ચયનય કહેવામાં આવે છે. અનુભવનો કાળ આવ્યો ત્યારે તેને શુદ્ધનિશ્ચયનય પ્રગટી કહેવાય છે. શુદ્ધનિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત એટલે બધા પ્રકારના સાંસારિક વિકારોનો એટલે વિશેષકાર્યોનો સમુદાય મને નથી. વિશેષ કાર્યોમાં માર્ગણાસ્થાન પણ લેવા છે. વિશેષ એટલે વિકારી પર્યાય નહીં પરંતુ વિશેષ કાર્યો. વિકાર એટલે વિશેષકાર્યોનો સમુદાય મને નથી એમ અહીં આ ગાથામાં કહ્યું. હવે તેનો વિસ્તાર કરે છે. દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહીં હોવાથી જીવને નારકન્ડ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચારગતિઓનું પરિભ્રમણ નથી.” દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો જીવને સ્વીકાર જ નથી. ભાવકર્મ મારામાં થાય છે તે વાત જ અશકય છે. કેમકે જીવમાં ન થાય પરંતુ થાય છે તે પરિણામમાં થાય છે. અપરિણામી તત્ત્વમાં વિકાર-વિશેષ કાર્યો નથી.. થતાં, કેમકે અપરિણામી તત્ત્વ નિષ્ક્રિય છે. સક્રિય એવા Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy