SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates ૯૨ પ્રવચન નં:- ૬ ગાથા-૪૨ જીવોનાં સાત લાખ યોનિમુખ છે; નિત્ય નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; ચતુર્ગતિ ( -ચાર ગતિમાં પરિભ્રમણ કરનારા અર્થાત્ ઇતર ) નિગોદી જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વનસ્પતિકાયિક જીવોનાં દશ લાખ યોનિમુખ છે; દ્વીદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ત્રીદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; ચતુરિંદ્રિય જીવોનાં બે લાખ યોનિમુખ છે; દેવોનાં ચાર લાખ યોનિમુખ છે; ના૨કોનાં ચા૨ લાખ યોનિમુખ છે; તિર્યંચ જીવોનાં ચાર લાખ યોનિમુખ છે; મનુષ્યોનાં ચૌદ લાખ યોનિમુખ છે. (બધાં થઈને ૮૪૦૦૦૦૦ યોનિમુખ છે.) સૂક્ષ્મ એકેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાપ્ત, સ્થૂલ એકેંદ્રિય પર્યાસ ને અપર્યાસ, ઢીંદ્રિય પર્યાસ ને અપર્યાસ, ત્રીદ્રિય પર્યાસ ને અપર્યાસ, ચતુરિંદ્રિય પર્યાસ ને અપર્યાસ, અસંજ્ઞી પંચેંદ્રિય પર્યાપ્ત ને અપર્યાસ, સંશી પંચેંદ્રિય પર્યાસ ને અપર્યાપ્તએવા ભેદોવાળાં ચૌદ જીવસ્થાનો છે. ગતિ, ઇન્દ્રિય, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યક્ત્વ, સંશિત્વ અને આહા૨-એવા ભેદસ્વરૂપ (ચૌદ) માર્ગણાસ્થાનો છે. આ બધાં, તે ભગવાન પરમાત્માને શુદ્ધનિશ્ચયનયના બળે (-શુદ્ધનિશ્ચયનયે ) નથી-એમ ભગવાન સૂત્રર્તાનો (શ્રીમદ્ભગવકુંદકુંદાચાર્યદેવનો ) અભિપ્રાય છે. સ્થળઃ- મુંબઈ-ઝવેરી બજાર મંદિર તા. ૧૮/૫/ ’૭૯ પ્રવચન નં:- ૬ ગાથા ૪૨ : ઉ૫૨ પ્રવચન આ નિયમસારશાસ્ત્ર ઊચું અને તેમાં શુદ્ધભાવ અધિકાર ઊંચો છે. જેઓ ચિત્તની પ્રસન્નતાથી અને પ્રયોજનની સિદ્ધિ અર્થે સાંભળે, વિચારે, ધ્યાવે તેને આત્માનો અનુભવ થાય છે. અનંતકાળથી જે ઉત્પન્ન થતો મિથ્યાત્વભાવ એ ટળીને એને પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય એવો આ અધિકાર છે. જેને આત્મા જોઈતો હોય તેને આમાંથી મળે એમ છે. જેને સંયોગ જોઈતા હોય તેને આ અધિકારમાંથી મળે એમ નથી. - ‘શુદ્ધ નિશ્ચયનયે ’ નિશ્ચયનયની આગળ એક વિશેષણ કહ્યું. શુદ્ધનિશ્ચયનયે જીવને એટલે મને, સમસ્ત એટલે બધા પ્રકારે. સંસાર વિકારોનો એટલે સંસારી વિશેષકાર્યોનો સમુદાય નથી.. એમ અહીં આ ગાથામાં કહ્યું છે. 66 શુદ્ધ નિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત સંસાર વિકારોનો સમુદાય નથી... એમ અહીં (આ ગાથામાં) કહ્યું છે.” શુદ્ઘનિશ્ચયનયે એટલે કે-જીવને અનાદિ કાળથી એક એવો વ્યવહારનો પક્ષ પડયો છે.. કે મારામાં રાગ, દ્વેષ, સુખ, દુ:ખના પરિણામ થાય છે. તેને વ્યવહારનો પક્ષ કહેવામાં આવે છે. એ પરિણામ જીવમાં થતાં નથી છતાં થાય છે. ત્રણેય કાળમાં એક સમયમાત્ર જીવમાં–શુદ્ધભાવમાં–શુદ્ધાત્મામાં Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy