________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૧
શુદ્ધ અંત:તત્ત્વ पर्याप्तकभेदसनाथचतुर्दशजीवस्थानानि। गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभव्यसम्यक्त्वसंड्याहारविकल्पलक्षणानि मार्गणास्थानानि। एतानि सर्वाणि च तस्य भगवतः परमात्मन: शुद्धनिश्चयनयबलेन न सन्तीति भगवतां सूत्रकृतामभिप्रायः।
ચઉગતિભ્રમણ નહિ, જન્મ મરણ ન, રોગ શોક જરા નહીં,
કુળ, યોનિ કે જીવસ્થાન માર્ગણસ્થાન જીવને જ નહીં. ૪૨. અન્વયાર્થ:- [ નીવસ્ય] જીવને [ ચતુતિમસંક્રમi ] ચાર ગતિના ભવોમાં પરિભ્રમણ [નાતિનરામરારો શો: જન્મ, જરા, મરણ, રોગ, શોક, [ jpયોનિનીવાળસ્થાનાનિ ] કુળ, યોનિ, જીવસ્થાનો અને માર્ગણાસ્થાનો [નો સન્તિ] નથી.
ટીકા - શુદ્ધ નિશ્ચયનયે શુદ્ધ જીવને સમસ્ત સંસારવિકારોનો સમુદાય નથી એમ અહીં (આ ગાથામાં) કહ્યું છે.
દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો સ્વીકાર નહિ હોવાથી જીવને નારકત્વ, તિર્યંચત્વ, મનુષ્યત્વ અને દેવત્વસ્વરૂપ ચાર ગતિઓનું પરિભ્રમણ નથી.
નિત્ય-શુદ્ધ ચિદાનંદરૂપ કારણપરમાત્મસ્વરૂપ જીવને દ્રવ્યકર્મ તથા ભાવકર્મના ગ્રહણને યોગ્ય વિભાવપરિણતિનો અભાવ હોવાથી જન્મ, જરા, મરણ, રોગ અને શોક નથી.
ચતુર્ગતિ (ચાર ગતિના) જીવોનાં કુળ તથા યોનિના ભેદ જીવમાં નથી એમ (હવે ) કહેવામાં આવે છે. તે આ પ્રમાણે
પૃથ્વીકાયિક જીવોનાં બાવીશ લાખ કરોડ કુળ છેઃ અપ્લાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે: તેજકાયિક જીવોનાં ત્રણ લાખ કરોડ કુળ છે; વાયુકાયિક જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; વનસ્પતિકાયિક જીવોનાં અઠયાવીશ લાખ કરોડ કુળ છે; વિદ્રિય જીવોનાં સાત લાખ કરોડ કુળ છે; ત્રીદ્રિય જીવોનાં આઠ લાખ કરોડ કુળ છે; ચતુરિંદ્રિય જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; પંચેંદ્રિય જીવોને વિષે જળચર જીવોનાં સાડા બાર લાખ કરોડ કુળ છે; ખેચર જીવોનાં બાર લાખ કરોડ કુળ છે; ચાર પગવાળા જીવોનાં દશ લાખ કરોડ કુળ છે; સર્પાદિક પેટે ચાલનારા જીવોનાં નવ લાખ કરોડ કુળ છે; નારકોનાં પચીશ લાખ કરોડ કુળ છે; મનુષ્યોનાં બાર લાખ કરોડ કુળ છે અને દેવોનાં છવ્વીશ લાખ કરોડ કુળ છે. બધાં થઈને એક સો સાડી સત્તાણું લાખ કરોડ (૧૯૭૫00000000000) કુળ છે.
પૃથ્વીકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; અષ્કાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; તેજકાયિક જીવોનાં સાત લાખ યોનિમુખ છે; વાયુકાયિક
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk