SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ८८ પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ ઉભો છે! ધારણાની ભાવના તે સંસારનું કારણ છે. શ્રોતા- આચાર્યદવે અધિકમાં અધિક છ મહિનાનો સમય આપ્યો છે. ઉત્તર:- જે આ શુદ્ધાત્મદ્રવ્ય કહ્યું-તેટલો જ હું છું.. એવો યથાર્થ નિર્ણય અને પરિપકવ સ્થિતિ અને સવિકલ્પરૂપ નિરંતર પરિણતી ચાલુ રહે તો વધારેમાં વધારે છે મહિના કહ્યાં છે. બાકી ઉગ્ર પુરુષાર્થ કરે તો અંતર્મુહૂર્તમાં અનુભવ થાય. નિર્ણયવાળા જીવને હવે સવિકલ્પદશામાં ઉંઘમાં પણ પરિણતી જતી નથી. નિર્ણય થયો છે કે હું આવો જ છું, ઉપરથી હવે દેવ આવે તો પણ ફરતો નથી. શ્રીગુરુના શ્રીમુખેથી વ્યવહારના કથનો સાંભળે છે તોપણ તે તેને ગણકારતો નથી. શુદ્ધાત્મા હું છું એમ યથાર્થ નિર્ણય અને પરિપકવ નિર્ણય થતાં હવે તેને સવિકલ્પ દશામાં એક એવી પરિણતી ઉત્પન્ન થાય છે કે-જે પરિણતીનો અભાવ થઈને તેને અવશ્ય સમ્યગ્દર્શન થાય છે. આ તેને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ છ મહિનાનો કાળ કહ્યો છે. જે પરિણતિ પાછી ફરી જાય તો ફરી પાછો ફેરો કરવો પડશે. ગોથા ખાનારા જીવો પણ મને ઘણાં મળ્યા છે. તેને પહેલાં શુદ્ધાત્માનો એકદમ વિચાર આવે, ત્યારે આપણને થાય કેહવે આ આત્મા કાંઈક નજીક આવ્યો છે. પછી વરસ બે વરસ પછી આપણને ભેગા થાય ત્યારે આખું ચક્કર ફરી ગયું હોય. અરે ! આ શું થયું તમને ભાઈ ! મનમાં થાય હોં! મને મોઢે કહેવાની બહુ ટેવ નથી પરંતુ મારા પિતાજી તો મોંઢે જ ચોંટાડી ઘે. તેને કહેવાથી કદાચ જીવ નાશીપાસ થાય. ભાઈ ! આવા શુદ્ધાત્માની ભાવના ભાવો. આ ભેદની ભાવના છોડવા જેવી છે. શું કહ્યું? પરમ તત્વના અભ્યાસમાં, અભ્યાસમાં એટલે અનુભવમાં નિષ્ણાંત ચિત્તવાળા એટલે જ્ઞાનવાળા મુનિશ્વર એટલે ધર્માત્માઓ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ મહારાજો, “ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભકર્મને છોડો.” ભવ એટલે રાગનો જે ભાવ છે તે ભવ છે. આ બાયડી, છોકરાં, કુટુંબ-પરિવાર એ ભવ નથી. અને જેમાં એ ભવનો ભાવ નથી. છતાં પર્યાયમાં રાગ ઉત્પન્ન થાય તેને ભવ કહેવામાં આવે છે. એ ભવથી વિમુક્ત એટલે વિશેષ કરીને મુક્ત થવા અર્થે તે સઘળાય શુભકર્મને છોડો. આહા ! તમે વ્યવહારને છોડાવો છો ! અરે! વ્યવહારને છોડવા માટે જ્ઞાનીઓનો જન્મ થાય છે.. તું સાંભળતો ખરો ! વ્યવહારને રાખવા માટે અથવા વ્યવહાર કરતાંકરતાં ધર્મ થશે એ માટે જ્ઞાનીનો જન્મ નથી. અજ્ઞાનીના બોલનો તોલ તેના એક શબ્દમાં થઈ જાય છે. ઉત્કૃષ્ટ મુમુક્ષુ બીજે દિવસે તેનો સંગ છોડી દે છે. પછી પેલો અજ્ઞાની કહે ક-હમણાં કેમ આવતા નથી? ભાઈ ! ટાઈમ મળતો નથી. તમારા એક બોલમાં તોલ થઈ ગયું છે. તમારો તોલ તો અમારા જ્ઞાનમાં આવી ગયો છે. તમે કયાં ઉભા છો અને Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy