________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શુદ્ધ અંત:તત્ત્વ
૮૯ કઈ વાત કરો છો તે ખ્યાલ આવી ગયો છે. તમે અનંત સંસારી છો. તમે નિકટભવી નથી.. એમ પરીક્ષા પણ થઈ શકે છે.
તે સઘળાય શુભકર્મને પાંચ મહાવ્રતના શુભભાવને છોડો. જો તમારે મુક્તિ જોઈતી હોય તો પાંચ મહાવ્રતના પરિણામને પણ છોડો. છોડો એ પણ ઉપચારનું કથન છે. તેને કયાં ગ્રહણ કર્યું છે કે ત્યાગ કરવો પડે. એતો સ્વભાવમાં ઠરે એટલે શુભભાવ ઉત્પન્ન થતો નથી. તેને છોડ્યો એમ કહેવામાં આવે છે. સઘળાંય શુભકર્મને-પાંચ મહાવ્રત, અઠ્ઠાવીસ મૂળ ગુણ તેને છોડો.
“સાર તત્વ સ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે?” કારણ સમયસારને ઉપાદેય માટે ભજો અને કાર્ય સમયસારને પ્રગટ કરવા માટે ભજો. ઉભય સમયસાર બે પ્રકારના છે. એક કારણ સમયસાર અને એક કાર્ય સમયસાર. કારણ સમયસાર શુદ્ધાત્મા છે અને કાર્ય સમયસાર તે તો કેવળજ્ઞાન-મુક્તિ છે.
આહા! બન્નેને ભજો તેમ લખ્યું છે તેનો અર્થ શું? બેયને ભજો તેમ લખ્યું છે ને! તો તેનો અર્થ તો કરવો પડશે ને? ઉભયનયે બન્નેને ભજો એટલે કારણ સમયસાર અને કાર્ય સમયસારને ભજો. મુનિશ્વરો કહે છે કે તમે આ બેયને ભજો-કારણ ને અને કાર્યને ભજો !
કારણ સમયસારને તો ઉપાદેયપણે ભજો અને કાર્ય સમયસારને પ્રગટ કરવા માટે ભજ-કેમકે આખરમાં પ્રયોજન તો આ છે. બન્નેને ભજો તેમાં બન્નેનો આશ્રય કરાવવાનું કહ્યું નથી. તેમાં એક ધ્યાનનું ધ્યેય અને બીજું જ્ઞાનનું જ્ઞય છે. જે ય છે તેને પ્રગટ કરવાની અપેક્ષાએ ભજો એમ કહેવામાં આવે છે.
આચાર્યશ્રી માધનન્દિકુત ધ્યાનસૂત્ર•••••••••••••••••••••••••••••°•••••••••••••••••૪
શુદ્ધચિદ્રુપોડહમ્,નિત્યાનન્દસ્વરુપોડહમ્, શુદ્ધોડ, બુદ્ધોડહમ્, અનંત ચતુષ્ઠયસ્વરૂપોડહમ્, નિરંજનોડહમ્, શલ્યત્રયરહિતોડહમ્, કેવલજ્ઞાનસ્વરુપોડહમ્, કેવલદર્શનસ્વરુપોડહુમ, અનંતજ્ઞાનસ્વરુપોડહમ્, અનંતદર્શનસ્વરૂપોડહમ, અનંત સુખસ્વરુપોડહમ, અનંતવીર્ય સ્વરુપોડહમ્, મિથ્યાત્વત્રય રહિતોડહુમ્, આનંદ સ્વરુપોડહમ્, નિર્વિકલ્પ સ્વરુપોડહમ્, સ્પર્શ-રસ-ગંધ-વર્ણ રહિતોડહમ્, ક્રોધ-માન-માયા-લોભ રહિતોડહમ્, રાગ-દ્વેષમોહ રહિતોડહમ્, પંચેન્દ્રિય વ્યાપાર શૂન્યોડમ્.”
. .......... ................... ૨
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk