SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates શુદ્ધ અંત:તત્ત્વ ૮૭ પડશે. પછી જે પ્રત્યક્ષ આત્માનો અનુભવ થાય અને જે અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થાય તેનો પણ પક્ષ છોડવો પડશે. અને જે ત્રિકાળી સ્વભાવ છે તેનોય પક્ષ વિકલ્પ છોડવો પડશે. ત્યારે પક્ષાતિક્રાંત થઈને સાક્ષાત્ અનુભૂતિ-સ્વાનુભવદશા પ્રગટ થાય છે. તેને ધર્મધ્યાન કહેવામાં આવે છે. સઘળુંય સુકૃત ભોગીઓના ભોગનું મૂળિયું છે. આહા.. હા ! એના ફળને સંસારી ભોગવે છે. એ શુભભાવના ફળને સંસારી ભોગવતા નથી. પાંચ મહાવ્રતના ફળને ધર્માત્મા ભોગવતા નથી. અરે! અતીન્દ્રિયઆનંદને ધર્માત્મા ભોગવે છે. એ પણ ઉપચારનું કથન છે. આહા ! શુભભાવનું ફળ જે આકુળતા, પાંચ મહાવ્રતનું ફળ આકુળતા તેને ધર્માત્મા ભોગવતા નથી. તેને તો જ્ઞાનના પરજ્ઞયમાં નાખે છે. તેના પ્રત્યે ઉપેક્ષા અને તેના પ્રત્યે એકતાબુદ્ધિ નથી. અસ્થિરતાના દુ:ખના વેદનને અહીં ગૌણ કરવામાં આવે છે. પરમતત્વના અભ્યાસમાં નિષ્ણાંત ચિત્તવાળા”, જે પરમતત્ત્વના અનુભવમાં નિષ્ણાંત છે. અભ્યાસ એટલે આ શાસ્ત્રનો અભ્યાસ તે અભ્યાસ નહીં. પરમ તત્ત્વમાં', નવ તત્ત્વોમાં તે બહુવચન છે અને પરમતત્ત્વમાં-આત્મતત્ત્વમાં તે એકવચન છે. જે પરમતત્ત્વમાં અર્થાત્ શુદ્ધાત્મતત્ત્વમાં, જીવતત્ત્વમાં નિષ્ણાંત છે. જીવતત્ત્વમાં પણ સામાન્ય જીવતત્ત્વ જેનું લક્ષણ સહુજજ્ઞાન, સહજદર્શન, સહજસુખ અને સહજવીર્ય એવા ગુણો જેનું લક્ષણ છે. અને એ ગુણોનું લક્ષણ પારિણામિક છે, એવા અનંતગુણોનો પિંડ તેને પરમપારિણામિકભાવ કહેવામાં આવે છે. જ્યાં પર્યાયને લક્ષણ કહ્યું હોય તે પ્રમાણથી કહેલ છે. જ્યાં ગુણભેદને લક્ષણ કહ્યું હોય એ નિશ્ચય નથી છે. અને ગુણી તે હું છું એવો વિકલ્પ ઉઠ તેને નિશ્ચયનયનો પક્ષ આવ્યો તેમ કહેવામાં આવે છે. ગુણભેદના પક્ષવાળો છે તેને પણ હજુ નિશ્ચયનો પક્ષ આવ્યો નથી. પર્યાયના પક્ષવાળાને તો નિશ્ચયનો પક્ષ છે જ નહીં. પરંતુ ગુણભેદના પક્ષમાં ઉભો છે તેને નિશ્ચયનો પક્ષ નથી. એ પણ વ્યવહારના પક્ષમાં ઉભો છે. કેમકે ગુણભેદ પણ વ્યવહારનયનો વિષય છે. એ નિશ્ચયનયનો વિષય નથી. આહાહા! ગુણભેદ એ નિશ્ચયનયનો વિષય નથી. તે ગુણભેદને પણ ઓળંગે છે. ગુણભેદને પણ દ્રવ્યમાં અંતર્લીન કરે છે. ત્યારે ગુણભેદ પણ દેખાતો નથી. ત્યારે ગુણભેદ ભાવમનમાંથી એટલે અનુમાનમાંથી પણ છૂટી જાય છે. તેને અનુમાનમાં પણ ગુણી સામાન્ય આવે છે તેથી તે અનુમાન પણ છૂટીને અલ્પકાળમાં અનુભવ થાય છે. હજુ તો તે નિમિત્તના પક્ષમાં ઉભો છે અને તેને કરવો છે ધર્મ. અમે ૪૦-૪) વરસ થયા સોનગઢમાં રહીએ છીએ. પણ સમ્યગ્દર્શન થતું નથી. તારા આત્માને પૂછને ! તું કોની ભાવના ભાવી રહ્યો છો ? તે આત્માની ભાવના ભાવે છે કે-ધારણાની ભાવનામાં Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk
SR No.008313
Book TitleShuddhantahtattva
Original Sutra AuthorN/A
AuthorLalchandra Pandit
PublisherDigambar Jain Kundamrut Kahan
Publication Year2002
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy