________________
Version 001: remember fo check http://www.AtmaDharma.com for updates
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧
૮૬
એકાગ્ર થાય છે કે જ્યાં દ્રવ્યને પર્યાયનું દ્વૈત પણ ભાસતું નથી. આ ધ્યાન અને ધ્યેય એવો ભેદ પણ જ્યાં તિરોભૂત થઈ જાય છે–ઢંકાય જાય છે. એવો ભેદ પાડવાનો ભાવ પણ છૂટી જાય છે. ભેદ ભેદપણે રહી જાય છે અને અભેદ અભેદપણે રહી જાય છે. પરંતુ આ અભેદ છે અને આ ભેદ છે એવો ભાવ પણ જ્યાં જન્મતો નથી. અને ત્યાં દ્વૈત પ્રતિભાસતું નથી. આ અનુભૂતિના કાળમાં થયેલ નિર્વિલ્પ ધ્યાન કહેવામાં આવે છે.
શ્લોક - ૫૯
(માલિની )
सुकृतमपि समस्तं भोगिनां भोगमूलं त्यजतु परमतत्त्वाभ्यासनिष्णातचित्तः । उभयसमयसारं
सारतत्त्वस्वरूपं
भजतु भवविमुक्त्यै कोऽत्र दोषो मुनीशः ।। ५९ ।।
[ શ્લોકાર્થ:-] સઘળુંય સુક્ત (શુભ કર્મ) ભોગીઓના ભોગનું મૂળ છે; ૫૨મ તત્ત્વના અભ્યાસમાં નિષ્ણાત ચિત્તવાળા મુનીશ્વ૨ ભવથી વિમુક્ત થવા અર્થે તે સઘળાય શુભ કર્મને છોડો અને સારતત્ત્વસ્વરૂપ એવા ઉભય સમયસારને ભજો. એમાં શો દોષ છે? ૫૯.
શ્લોક - ૫૯ : ઉ૫૨ પ્રવચન
66
“ સઘળુંય સુકૃત (શુભકર્મ) ભોગીઓના ભોગનું મૂળ છે;” ભોગી એટલે સંસારીઓ જે દુ:ખીયો છે તે-દુ:ખીયા જીવો.. છે તેને ભોગી કહ્યો. આહા ! જે જીવો દુઃખથી પીડિત છે એવા સંસારી મિથ્યાર્દષ્ટિ, અજ્ઞાની આત્માઓ છે. તેને સુકૃત એટલે શુભકર્મ ભોગીઓના ભોગનું મૂળિયું છે. તે દુ:ખનું મૂળયું છે. શુભભાવને જે કર્તબુદ્ધિએ કરે છે એવા જે ભોગીઓ તેને એ દુઃખના ભોગનું મૂળિયું છે. એ બધા દુ:ખી થવાના છે.
શુભભાવને દુષ્કૃત કહ્યું. કેમકે શુભભાવનું ફળ દુ:ખ છે અશુભભાવનું ફળ તો વર્તમાનમાંય દુ:ખ અને પરંપરાએ પણ દુ:ખ છે. આ દેશનાલબ્ધિ સાંભળવાનો જે શુભભાવ ઊઠે તે શુભભાવ દુઃખરુપ છે. મુનિરાજ ભાવલિંગી સંતને આહા૨ દેવાનો જે શુભભાવ ઉત્પન્ન થાય છે એ પણ દુઃખરૂપ છે, એ આકુળતાનું કારણ છે; એ અનાકુળતાનું કા૨ણ નથી. અનાદિનો શુભ ભાવનો પક્ષ છે ને ! એ પક્ષ છૂટવો બહુ કઠણ છે. હજુ તો નિમિત્તનો પક્ષ છોડવો પડશે, શુભભાવનો પક્ષ છોડવો પડશે. અતીન્દ્રિયજ્ઞાન થવા પહેલાં જે અનુમાનજ્ઞાન થાય, જેમાં આત્મા છે તેવો નિર્ણય થાય તેનો પણ પક્ષ છોડવો * સમયસાર સારભૂત તત્ત્વ છે.
Please inform us of any errors on rajesh.shah@tofalise.co.uk