________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
८४
પ્રવચન નં:- ૫ ગાથા-૪૧ નથી અને ભવિષ્યકાળે પણ જશે નહીં.
આહા ! ભૂતકાળમાં જેટલા પરમાત્મા સિદ્ધ થયા તે શુદ્ધાત્માની ભાવનાથી સિદ્ધ થયા છે. ભવિષ્યકાળે જેટલા જીવો મોક્ષમાં જવાના છે એ પણ નિજ પરમાત્માની ભાવનાથી જશે. અને વર્તમાનકાળે પણ જેને મોક્ષ થાય છે તેને શુદ્ધાત્માની ભાવનાથી મોક્ષ થાય છે. [ હવે ૪૧મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે. ]
શ્લોક – ૫૮
(માર્યા) अंचितपंचमगतये पंचमभावं स्मरन्ति विद्वान्सः।
संचितपंचाचाराः किंचनभावप्रपंचपरिहीणाः।। ५८ ।। [ શ્લોકાર્ચ-1(જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહપ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે. ૫૮.
શ્લોક - ૫૮ : ઉપર પ્રવચન (જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ) પાંચ આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે.” જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચ આચારોથી યુક્ત એટલે સહિત. વ્યવહારનયે આ પાંચ પ્રકારના આચારોથી આત્મા સહિત છે. તે કાંઈ પણ પરિગ્રહુ પ્રપંચથી સર્વથા રહિત છે. આહા! એક કટકો કે એક તરણું પણ એના શરીર ઉપર હોતું નથી. એટલો પરિગ્રહ પણ તેને હોતો નથી. આહા ! આવી મુનિની દશાની પણ હજુ ખબર નથી. લુગડાં પહેરેલા હોય અને તેને માને સાધુ ! અરે ! અષ્ટપાહુડમાં તો કહ્યું છે કે આવા આત્મા સાધુ માને, મનાવે તે નિગોદમાં જનારા જીવો છે. મુનિરાજ કોઈપણ પ્રકારના પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહિત છે. સર્વથા શબ્દ લગાડ્યો છે.
એવા વિદ્વાનો પૂજનીય પંચમગતિને પ્રાપ્ત કરવા માટે પંચમભાવને સ્મરે છે.” હે! બુદ્ધિમાન જીવો! વિદ્વાનો પૂજનીય પંચમગતિને પામવા માટે પંચમભાવનું સ્મરણ કરે છે. ૪૧ ગાથામાં “પરમ ” શબ્દ હતો અને અહીંયા ‘પૂજનીય’ શબ્દ કહ્યો. પંચમગતિને પ્રાપ્ત કરવા માટે એટલે પ્રગટ કરવા માટે, પ્રગટ કરવાની અપેક્ષાએ પ્રાસ છે, તે પર્યાયને પ્રાપ્ત નથી કરવાની. દ્રવ્યને પ્રાપ્ત કરતાં પર્યાય પ્રગટ થઈ જાય છે. તો તેણે
Please inform us of any errors on rajesh.shah@totalise.co.uk